એ 14 સવાલ જે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે પ્રેસિડેન્શિયલ રેફરેન્સ માટે મોકલ્યા છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટને એક રેફરન્સ મોકલીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની શક્તિઓ સાથે સંબંધિત 14 મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર તેમનો અભિપ્રાય માગ્યો છે. 13 મે 2025ના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટને એક દુર્લભ સંદર્ભ આપ્યો, જેમાં કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની શક્તિઓ સાથે સંબંધિત 14 મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર તેમનો અભિપ્રાય માંગ્યો છે.

આ બધા પ્રશ્નો બિલોને સ્વીકૃતિ આપવાના અધિકાર સાથે સંબંધિત છે,  જે તામિલનાડુ રાજ્ય વિરુદ્ધ તામિલનાડુના રાજ્યપાલ (2025)માં સુપ્રીમ કોર્ટના નિર્ણયમુ અનુકરણ કરે છે, જ્યાં કોર્ટે બંધારણીય અધિકારીઓને તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલો પર કાર્યવાહી કરવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ બિલોને સ્વીકૃતિ આપવાની શક્તિ સાથે જોડાયેલા આ પ્રશ્નો પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે.

murmu
livemint.com

રાષ્ટ્રપતિ દ્વારા ઉઠાવવામાં આવેલા 14 પ્રશ્નો નીચે મુજબ છે:

1. ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ કોઈ બિલ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો ઉપલબ્ધ છે?

2. ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ રજૂ કરવામાં આવે ત્યારે શું તેઓ મંત્રી પરિષદની સહાય અને સલાહથી બંધાયેલા છે?

3. શું ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેક અથવા વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?

4. શું ભારતીય બંધારણની કલમ 361 ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવે છે?

5. બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદા અને રાજ્યપાલ દ્વારા શક્તિઓના ઉપયોગની રીતના અભાવમાં, શું રાજ્યપાલ દ્વારા ભારતના બંધારણની કલમ 200 હેઠળ તમામ શક્તિઓના પ્રયોગ માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમયા મર્યાદા લાગૂ કરી શકાય છે અને પ્રયોગની રીત નિર્ધારિત કરી શકાય છે?

6. શું ભારતના બંધારણની કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?

7. રાષ્ટ્રપતિ દ્વારા શક્તિઓના ઉપયોગ માટે બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદા અને રીતના અભાવમાં શું ભારતના બંધારણની કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમય મર્યાદા લાગૂ કરી શકાય છે અને પ્રયોગની રીત નિર્ધારિત કરી શકાય છે?

sc1
facebook.com/SupremeCourtOfIndia

8. રાષ્ટ્રપતિની શક્તિઓને નિયંત્રિત કરનારી બંધારણીય યોજનાના આલોકમાં, શું રાષ્ટ્રપતિએ ભારતના બંધારણની કલમ 143 હેઠળ સંદર્ભ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેવા અને જ્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિની સહમતિ માટે અથવા કોઈ બિલ અનામત રાખે છે ત્યારે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે?

9. શું ભારતના બંધારણની કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણય, કાયદા લાગૂ થવાથી પહેલાં તબક્કામાં વાજબી છે? શું કોર્ટોને કોઈ બિલ કાયદો બને તે અગાઉ કોઈપણ સ્વરૂપમાં, તેના વિષય-વસ્તુ પર ન્યાયિક લેવાની મંજૂરી છે?

10. શું બંધારણીય સત્તાઓના પ્રયોગ અને રાષ્ટ્રપતિ/રાજ્યપાલના આદેશોને ભારતના બંધારણની કલમ 142 હેઠળ કોઈપણ રીતે પ્રસ્થાપિત કરી શકાય છે?

11. શું ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની સહમતિ વિના રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલ કાયદો લાગૂ કાયદો છે?

12. ભારતના બંધારણની કલમ 145(3)ની હેઠળ માનનીય કોર્ટની કોઈપણ બેન્ચ માટે પહેલા એ અનિવાર્ય નથી કે તેની સમક્ષ કાર્યવાહીમાં સામેલ પ્રશ્ન બંધારણના અર્થઘટન જેવા કાયદાના પર્યાપ્ત પ્રશ્નો સામેલ છે અને તેને ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની બેન્ચને સનદરભિત કરવામાં આવે?

13. શું ભારતના બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ પ્રક્રિયાગત કાયદાની બાબતો સુધી મર્યાદિત છે અથવા શું ભારતના બંધારણની કલમ 142 નિર્દેશો/આદેશો પસાર કરવા સુધી વિસ્તારીત છે જે બંધારણ અથવા લાગૂ કાયદાની હાલની મૂળ અથવા પ્રક્રિયાગત જોગવાઈઓથી વિપરીત અથવા અસંગત છે?

14. શું બંધારણ, સુપ્રીમ કોર્ટને ભારતના બંધારણની કલમ 131 હેઠળના દાવા સિવાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદોનું સમાધાન કરવા માટે કોઈ અધિકારક્ષેત્ર પર પ્રતિબંધ લગાવે છે?

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.