‘રાજનીતિ જીતી ગઈ, શ્રેયસ ઐય્યર હારી ગયો’, BCCI પર લાગ્યો આ ગંભીર આક્ષેપ

BCCIએ એશિયા કપ 2025 માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં કુલ 15 શ્રેષ્ઠ ખેલાડીઓને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જોકે, શ્રેયસ ઐય્યરને ફરી એકવાર નજરઅંદાજમાં કરી દેવામાં આવ્યો છે. શ્રેયસ ઐય્યરનું પ્રદર્શન T20 ફોર્મેટમાં ખૂબ સારું રહ્યું છે અને તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પણ ધમાકેદાર બેટિંગ કરી હતી, છતા તે ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. ઘણા ભારતીય ફેન્સે તેને લઈને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે એમ પણ લખ્યું છે કે, ‘રાજનીતિ જીતી ગઈ અને શ્રેયસ ઐય્યર હારી ગયો.

શ્રેયસ ઐય્યર હાલમાં ભારતના શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેનોમાંથી એક છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 51 T20 મેચ રમી છે જેમાં તેણે 30.66ની સરેરાશ અને 136.12ની સ્ટ્રાઇક રેટથી 1104 રન બનાવ્યા છે. તેણે 8 અડધી સદી ફટકારી છે અને તેનો બેસ્ટ સ્કોર નોટ આઉટ 74 રન છે. ઐય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS) ટીમની કેપ્ટન્સી કરી હતી. તેની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.

શ્રેયસ ઐય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે રમતા 17 મેચમાં 50.33ની સરેરાશ અને 175.07ની સ્ટ્રાઇક રેટથી 604 રન બનાવ્યા હતા. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી હતો. તેણે 6 અડધી સદી ફટકારી હતી અને શાનદાર બેટ્સમેનનો બેસ્ટ સ્કોર નોટઆઉટ 97 રન હતો. આવા આંકડા હોવા છતા શ્રેયસ ઐય્યરને T20 ટીમમાં જગ્યા મળી રહી નથી.

તેણે ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની છેલ્લી T20 મેચ રમી હતી. ભારતે આ મેચ 6 રનથી જીતી હતી અને શ્રેયસ ઐય્યરે 37 બૉલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રનની તોફાની ઇનિંગ રમી હતી.

ઘણા લોકો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે, તે શ્રેયસ ઐય્યરને તક આપી રહ્યા નથી. એટલું જ નહીં, ભારતીય પુરુષ ટીમના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે શ્રેયસ ઐય્યરને લઈને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઐય્યર ટીમમાં જગ્યા બનાવતા ચૂંકી ગયો. તેમાં તેની કોઈ ભૂલ નથી કે ન તો અમારી. તેણે પોતાની તકની રાહ જોવી પડશે.

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બૂમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડી: રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જાયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.