હુક્કા વિવાદ પર ઈરફાન પઠાણે તોડ્યું મૌન, બોલ્યો- હું અને ધોની સાથે બેસીને..

ભારતીય ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ ઈરફાનનું એક જૂનું ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે સંકેત આપ્યો હતો કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હુક્કો પી છે અને જે ખેલાડીઓ તેની સાથે તે સેશન્સમાં સામેલ થતા હતા, તેઓ તેની નજીક આવી જતા હતા. ઈરફાન પઠાણે મજાકમાં આ વાત કહી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેને લઈને બહેસ છેડાઈ ગઈ ઈ છે. કેટલાક લોકોએ મહેન્દ્ર સિંહ ધોની પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કેટલાકે ઈરફાનને પૂર્વ કેપ્ટનની છબી ખરાબ કરવાનો આરોપ લગાવી દીધો. ઈરફાન પઠાણે હવે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.

Pathan
cricketaddictor.com

3 સપ્ટેમ્બરના રોજ ઈરફાન પઠાણે X પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર એક ફેને મજાકમાં ઈરફાનને પૂછ્યું કે, ‘પઠાણ ભાઈ, એ હુક્કાનું શું થયું???’ તેના પર ઈરફાન પઠાણે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો, ‘હું અને મહેન્દ્ર સિંહ ધોની સાથે બેસીને પીશું. ઈરફાન પઠાણે એમ પણ કહ્યું કે આ એક જૂનો વીડિયો છે, જેને હવે તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. તેણે સંકેત આપ્યો કે તેની પાછળ ફેન વૉર અથવા કોઈ PR લોબી હોઈ શકે છે. ઈરફાન પઠાણે લખ્યું કે, ‘હવે નિવેદનના સંદર્ભને તોડી-મરોડીને રજૂ કરતા અડધા દાયકા જૂનો વીડિયો સામે આવ્યો છે. ફેન વૉર? PR લોબી?’

ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણ 2007ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની જીતનો હીરો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન સામેની મેચમાં 16 રન આપીને 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચબન્યો હતો. ઈરફાને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2012માં રમી હતી. ત્યારબાદ વર્ષ 2020માં તેણે 35 વર્ષની ઉંમરમાં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. કપિલ દેવ બાદ ઈરફાનને એક સમયે ભારતનો આગામી મોટો ઓલરાઉન્ડર માનવામાં આવતો હતો, પરંતુ ઈજા અને સીમિત તકોને કારણે તેનું કરિયર લાંબા સમય ટકી ન શક્યું.

ઈરફાન પઠાણનું જે વીડિયો વીડિયો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, તેમાં તે 2008માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમાયેલી CB સીરિઝની વાત કરી રહ્યો છે. ઇન્ટરવ્યૂમાં તેણે એ સમય યાદ કર્યો જ્યારે તેણે ધોની સાથે મીડિયામાં આવેલા એ રોપોર્ટ્સની વાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કેપ્ટન તેની બોલિંગથી ખુશ નથી. આ દરમિયાન હુક્કાવાળી વાત પણ સામે આવી. ઇરફાન પઠાણે કહ્યું હતું કે, ‘મારી આદત નથી કે, કોઈના રૂમમાં હુક્કો સેટ કરું. બધા જાણે છે. ક્યારેક-ક્યારેક ચૂપ રહેવું વધુ સારું હોય છે. ક્રિકેટરનું સાચું કામ મેદાન પર પ્રદર્શન કરવાનું છે અને ત્યાં જ મારું ધ્યાન રહેતું હતું.

Pathan
cricketcountry.com

ઇરફાન પઠાણે 29 ટેસ્ટ મેચોમાં 31.57ની સરેરાશથી 1105 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 1 સદી અને 6 અડધી સદી ફટકારી. બૉલિંગમાં તેણે 32.26ની સરેરાશથી 100 વિકેટ લીધી. વન-ડે ક્રિકેટમાં ઇરફાને 120 મેચોમાં 23.39 ની સરેરાશથી 1544 રન બનાવ્યા છે. તેણે વન-ડેમાં કુલ 173 વિકેટ લીધી છે અને તેની સરેરાશ 29.72ની રહી છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇરફાને 24 મેચ રમીને 172 રન બનાવ્યા અને 28 વિકેટ લીધી હતી.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.