અધિકારી ઓફિસમાં લગાવ્યું પોસ્ટર- ‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચ આપીને અપમાન કરશો નહીં..’

ગુજરાત સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચનાહેડિંગ સાથે પોસ્ટર લગાવ્યા છે.

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાની લાંચ આપી કામ કરાવવા માગતા તત્ત્વોને દૂર રહેવા અને અરજદારોને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ આપ્યો છે. પોસ્ટરની અંદર લખવામાં આવેલું લખાણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

office
gujarati.news18.com

રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ વિભાગની કચેરીમાં મેનેજર સૂર્ય પ્રતાપસિંહ દ્વારા આ પોસ્ટર પોતાની ઓફિસમાં લગાડવામાં આવ્યા હોવાથી ચર્ચા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મને મારા કામ કરવા બદલ તગડો પગાર મળે છે. રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં. તમારું વાજબી કામ કરી આપું, એમાં હું તમારા ઉપર ઉપકાર કરતો નથી. તમારું કોઈપણ ગેરવ્યાજબી કામ પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કેમકે હું ભારતીય નાગરિક છું.

પોસ્ટરમાં લખવામાં આવેલું આ લખાણ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેમ કે સરકારી કચેરીઓમાં લાંચ લેવામાં આવતી હોવાની લોકોની માનસિકતા હોય છે. એમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ લાંચ લેતા હોવાના આક્ષેપો થયા છે અને કેટલાક અધિકારીઓને જેલની હવા પણ ખાવી પડી છે ત્યારે લાંચ અંગેના આ પોસ્ટરે ચર્ચા જગાવી છે. બીજી તરફ અહીં આવતા અરજદારે કહ્યું હતું કે, અગાઉ તેઓ આ કચેરીમાં આવાસના ફોર્મ ભરવા માટે આવી ચૂક્યા છે. અહીંયા સ્ટાફ તરફથી પણ સારો સહકાર મળે છે. ક્યારેય કોઈ પૈસાની વાત અહીંયા આવતી નથી.

office
gujarati.news18.com

નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં અનેક અરજદારો આવતા હોય છે ત્યારે અરજદારોને સંબોધીને આ પોસ્ટર લખવામાં આવ્યા છે. લોકો પોસ્ટરને પોઝિટિવ રીતે લઈ રહ્યા છે. ત્યારે લોકો એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જેમ આ અધિકારીએ આવા પોસ્ટર લગાડ્યા તેવી જ રીતના અન્ય કચેરીઓમાં પણ આવા પોસ્ટર લાગવા જોઈએ અને દરેક અધિકારીએ આટલી જ પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવું સોફ્ટવેર બનાવ્યું છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને SMS દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.