અધિકારી ઓફિસમાં લગાવ્યું પોસ્ટર- ‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચ આપીને અપમાન કરશો નહીં..’

ગુજરાત સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચનાહેડિંગ સાથે પોસ્ટર લગાવ્યા છે.

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાની લાંચ આપી કામ કરાવવા માગતા તત્ત્વોને દૂર રહેવા અને અરજદારોને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ આપ્યો છે. પોસ્ટરની અંદર લખવામાં આવેલું લખાણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

office
gujarati.news18.com

રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ વિભાગની કચેરીમાં મેનેજર સૂર્ય પ્રતાપસિંહ દ્વારા આ પોસ્ટર પોતાની ઓફિસમાં લગાડવામાં આવ્યા હોવાથી ચર્ચા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મને મારા કામ કરવા બદલ તગડો પગાર મળે છે. રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં. તમારું વાજબી કામ કરી આપું, એમાં હું તમારા ઉપર ઉપકાર કરતો નથી. તમારું કોઈપણ ગેરવ્યાજબી કામ પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કેમકે હું ભારતીય નાગરિક છું.

પોસ્ટરમાં લખવામાં આવેલું આ લખાણ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેમ કે સરકારી કચેરીઓમાં લાંચ લેવામાં આવતી હોવાની લોકોની માનસિકતા હોય છે. એમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ લાંચ લેતા હોવાના આક્ષેપો થયા છે અને કેટલાક અધિકારીઓને જેલની હવા પણ ખાવી પડી છે ત્યારે લાંચ અંગેના આ પોસ્ટરે ચર્ચા જગાવી છે. બીજી તરફ અહીં આવતા અરજદારે કહ્યું હતું કે, અગાઉ તેઓ આ કચેરીમાં આવાસના ફોર્મ ભરવા માટે આવી ચૂક્યા છે. અહીંયા સ્ટાફ તરફથી પણ સારો સહકાર મળે છે. ક્યારેય કોઈ પૈસાની વાત અહીંયા આવતી નથી.

office
gujarati.news18.com

નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં અનેક અરજદારો આવતા હોય છે ત્યારે અરજદારોને સંબોધીને આ પોસ્ટર લખવામાં આવ્યા છે. લોકો પોસ્ટરને પોઝિટિવ રીતે લઈ રહ્યા છે. ત્યારે લોકો એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જેમ આ અધિકારીએ આવા પોસ્ટર લગાડ્યા તેવી જ રીતના અન્ય કચેરીઓમાં પણ આવા પોસ્ટર લાગવા જોઈએ અને દરેક અધિકારીએ આટલી જ પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવું સોફ્ટવેર બનાવ્યું છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને SMS દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનો ગઢ વડ ગામ છે, કારણકે તેઓ વિધાનસભા અહીંથી જીત્યા છે. મેવાણી છેલ્લાં કેટલાંક દિવસથી દારુ...
Politics 
હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.