ધોનીએ ગંભીરને કારણે ઠુકરાવી ભારતીય ટીમના મેન્ટરની ઓફર?

ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશનો સૌથી પ્રિય ક્રિકેટરોમાંથી એક છે. તેણે પોતાની કેપ્ટન્સી હેઠળ ભારત માટે 3 ICC ટ્રોફી જીતાડી હતી. ઘણા લોકોનું માનવું છે તેની કેપ્ટન્સીને કારણે ધોની એક સારો કોચ બની શકે છે. કદાચ આ વિચાર સાથે BCCIએ ફરી એક વખત ધોનીને મેન્ટર બનવાની ઓફર આપી હતી, પરંતુ આ વખતે તેણે ના પાડી દીધી.

મહેન્દ્ર સિંહ ધોની 2021ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો મેન્ટર રહી ચૂક્યો છે. ત્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના હેડ કોચ હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. જોકે બોર્ડને અત્યારે પણ ધોની પર ખૂબ વિશ્વાસ છે. ક્રિક બ્લોગરના મતે આ વખતે બોર્ડે ધોનીને ફૂલ ટાઈમ મેન્ટર બનવાની ઓફર આપી હતી. ધોનીનું કામ જુનિયર ટીમ, સીનિયર પુરુષ અને મહિલા ટીમને મેન્ટર કરવાનું હતું. જોકે, ધોનીએ આ ઓફર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

dhoni1
moneycontrol.com

તેનું કારણ ગૌતમ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંભીર હાલમાં ભારતીય ટીમના હેડ કોચ છે. જો ધોની મેન્ટર બને છે, તો તે ગંભીર સાથે કામ કરશે. ધોની એવું ઇચ્છતો નથી. ધોની અને ગંભીર ભારતીય ટીમ માટે સાથે રમી ચૂક્યા છે. ઘણા લોકો એવો દાવો છે કે ધોની અને ગંભીરના સંબંધોમાં કડવાશ હતી. બંનેના વિચાર અલગ હતા. ધોની ફરીથી એવી કોઈ પરિસ્થિતિમાં પડવા માગતો નથી જ્યાં તેને ગંભીર સાથે ફરીથી આ રીતે કામ કરવું પડે. આ કારણે તેણે હાલમાં મેન્ટરનું પદ લેવાની ના પાડી દીધી છે.

ધોનીના ઇનકાર પાછળ અન્ય એક કારણ છે. વર્ષ 2020માં સંન્યાસ લીધા બાદ ધોની માત્ર IPL રમે છે. IPL 2026ને તેની અંતિમ સીઝન માનવામાં આવે છે. એવામાં ધોની હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આવા સમયે, જો તે BCCI સાથે જોડાય છે, તો તેના માટે બંને બાબતો એકસાથે મેનેજ કરવી એટલી સરળ નહીં રહે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.