ગિલ કે ઐયર નહીં, રૈના ઈચ્છે છે આ ખેલાડી બને આગામી વન-ડે કેપ્ટન; બોલ્યો- તેમાં ધોનીની ઝલક

શુભમન ગિલની ભારતીય T20 ટીમમાં વાપસી બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બધા ફોર્મેટમાં એક જ કેપ્ટન હશે. શુભમન ગિલને T20 એશિયા કપ 2025 માટે ભારતનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. જોકે, થોડા દિવસો અગાઉ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શ્રેયસ ઐયર પણ આગામી વન-ડે કેપ્ટન બનવાની રેસમાં છે. તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. તો, પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ ગિલને વન-ડે કેપ્ટન્સી માટે મજબૂત દાવેદાર ગણાવ્યો હતો, પરંતુ તે ઇચ્છે છે કે ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ જવાબદારી મળે. રૈનાએ હાર્દિકને વન-ડે કેપ્ટન્સી માટે લાયક ઉમેદવાર ગણાવ્યો.

suresh-Raina1
sports.ndtv.com

તેણે કહ્યું કે હાર્દિકમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક છે. રોહિત ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. શુભાંકર મિશ્રાના પોડકાસ્ટ પર જ્યારે રૈનાને પૂછવામાં આવ્યું કે રોહિત બાદ આગામી વન-ડે કેપ્ટન કોણ હશે? તો પૂર્વ બેટ્સમેને કહ્યું કે, ‘શુભમન ગિલ, જેમ તેઓ નક્કી કરશે, પરંતુ મને અત્યારે પણ લાગે છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનના રૂપમાં વ્હાઇટ બૉલના ક્રિકેટમાં ચમત્કાર કરશે. શુભમન ગિલ પણ તે વ્યક્તિ બની શકે છે. આશા છે કે હાર્દિક ફરીથી કેપ્ટન બનશે. તેની પાસે કપિલ દેવ પાજી જેવો અનુભવ છે, પછી બેટિંગ હોય, બૉલિંગ હોય કે ફિલ્ડિંગ હોય. તે ખૂબ જ પોઝિટિવ વ્યક્તિ છે. તે ખેલાડીઓનો કેપ્ટન છે. તેમાં થોડી માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની)ની ઝલક જોવા મળે છે. હાર્દિક મેદાન પર જે ઉર્જા બતાવે છે તે મને ખૂબ પસંદ આવે છે.

suresh-Raina2
sports.ndtv.com

નોંધનીય છે કે, 31 વર્ષીય હાર્દિકે 3 વન-ડે અને 16 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટન્સી કરી ચૂક્યો છે. તે T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો વાઇસ- કેપ્ટન હતા. રોહિત બાદ તેને વ્હાઇટ બૉલ ટીમના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ વર્તમાનમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન છે. સિલેક્શન સમિતિના પ્રમુખ અજીત અગરકરે દરેક ફોર્મેટમાં એક કેપ્ટન હોવાના સવાલનો જવાબ આપ્યો નહોતો, પરંતુ ટોચના ક્રમમાં ગિલની ઉપસ્થિતિ બાબતે તેમણે કહ્યું કે, ‘આપણને બધાને ગિલ ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તેણે અપેક્ષા વ્યક્ત કરતા પણ વધુ સારું પ્રદર્શન કર્યું. ગિલે ઇંગ્લેન્ડના પ્રવાસ પર સીરિઝમાં સૌથી વધુ 754 રન બનાવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતે 5 મેચોની સીરિઝ 2-2થી ડ્રૉ કરાવી હતી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.