અફઘાનિસ્તાનને જોરદાર ઝટકો, ભારત વિરુદ્ધ સીરિઝથી બહાર થયો આ સ્ટાર ખેલાડી

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ટીમ હાલના દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહી તેણે 3 મેચોની T20 સીરિઝ રમવાની છે. પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ મોહાલીમાં થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07:00 વાગ્યે રમાશે, પરંતુ આ મેચ અગાઉ જ અફઘાનિસ્તાની ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાન આખી સીરિઝથી બહાર થઈ ગયો છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે રાશિદ ખાન અંતિમ 2 મેચ રમી શકે છે, પરંતુ હવે એવું નથી.

રાશિદ ખાન આખી T20 સીરિઝથી બહાર થઈ ગયો છે. આ વાત અફઘાની ટીમના કેપ્ટન ઈબ્રાહિમ જાદરાને પોતે બતાવી છે. મોહાલીમાં રમાનારી T20 મેચ અગાઉ ઈબ્રાહિમ જાદરાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘તે (રાશીદ ખાન) પૂરી રીતે ફિટ નથી, પરંતુ ટીમ સાથે યાત્રા જરૂર કરશે. અમે આશા રાખીએ છીએ કે તે વહેલી તકે ફિટ થાય. તે ડૉક્ટર સાથે રિહેબ કરી રહ્યો છે અને અમે તેને આખી સીરિઝમાં મિસ કરીશું.’

જો કે, જાદરાને કહ્યું કે, રાશિદ ખાન ન હોવાથી પણ ટીમમાં ખૂબ ટેલેન્ટેડ ખેલાડી છે જે તેની કમી પૂરી કરવા માટે જીવ લગાવી દેશે. તેણે કહ્યું કે, રાશિદ ખાન વિના કેટલાક એવા ખેલાડી છે જેના પર અમે ભરોસો વ્યક્ત કર્યો છે. હું એટલું કહી શકું છું કે તેઓ સારી ક્રિકેટ રમશે. બાકી ખેલાડી પણ ખૂબ ક્રિકેટ રમી ચૂક્યા છે અને મને ભરોસો છે કે તે શાનદાર પ્રદર્શન કરશે. રાશિદ ખાન વિના અમે સંઘર્ષ કરીશું કેમ કે અનુભવ અમારા માટે ખૂબ મહત્ત્વનો છે, પરંતુ આ ક્રિકેટ છે અને તમારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂરિયાત હોય છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિન્કુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.

અફઘાનિસ્તાની ટીમ:

ઈબ્રાહિમ જાદરાન (કેપ્ટન). રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), ઇકરામ અલિખિલ (વિકેટકીપર), હજરતુલ્લાહ જજઈ, રહમત શાહ, નજીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ નબી, કરીમ જનત, અજમતુલ્લાહ ઉમરજઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહમાન, ફજલહક ફારુકી, ફરીદ અહમદ, નવીન ઉલ હક, નૂર અહમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહમદ અને ગુલબદીન નાયબ.

ભારત અને અફઘાનિસ્તાન T20 સીરિઝનું શેડ્યૂલ:

પહેલી T20 મેચ: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 01:00 વાગ્યાથી

બીજી T20 મેચ: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 07:00 વાગ્યાથી

ત્રીજી T20 મેચ: 17 જાન્યુઆરી, બેંગ્લોર, સાંજે 07:00 વાગ્યાથી.

About The Author

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.