‘ભારતને હરાવવાનો શાનદાર અવસર’,પાકિસ્તાની ખેલાડીએ બતાવી શું છે ભારતીય ટીમની નબળાઇ

એશિયા કપ શરૂ થવામાં હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બચ્યા છે. બધી 6 ટીમો આ ટૂર્નામેન્ટ માટે તૈયાર છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશની ટીમો આ વખત એશિયા કપ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હિસ્સો લઈ રહી છે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી મિડલ ઓર્ડર બેટ્સમેન માટે સંઘર્ષ કરી રહી છે. તેને લઈને પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેનનું માનવું છે કે, પાકિસ્તાન પાસે આ વખત એશિયા કપમાં ભારતને હરાવવાનો સારો અવસર છે.

ભારતીય ટીમનો મજબૂત પક્ષ હંમેશાં બેટિંગ રહ્યો છે, પરંતુ આ વખત ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત હોવાથી થોડી નબળી નજરે પડી રહી છે. જો કે, શ્રેયસ ઐય્યર અને કે.એલ. રાહુલનું પુનરાગમન થઈ ચૂક્યું છે, પરંતુ બંનેએ ખૂબ લાંબા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી નથી. એશિયા કપ 2023માં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સાથે જ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચમાં પાકિસ્તાનની બોલિંગ અને ભારતની બેટિંગ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

જો કે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતિફને લાગે છે કે આ વખત ભારતીય ટીમને હરાવવાનો પાકિસ્તાન પાસે સારો અવસર છે. તેમણે કહ્યું કે, પાવરપ્લે દરમિયાન આપણાં બેટ્સમેન થોડી ધીમી બેટિંગ કરે છે. આપણી પાસે ડેથ ઓવરો માટે પાવર હીટર નથી. જો કે, આપણું પાવરપ્લેમાં બૉલ સાથે સારું પ્રદર્શન થઈ રહ્યું છે. 11મી થી લઈને 40મી ઓવરો વચ્ચે આપણે થોડા સંઘર્ષ કરી રહ્યા છીએ, આપણાં સ્પિનર વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નથી. પછી તે શાદાબ ખાન હોય કે મોહમ્મદ નવાઝ.’

રાશિદ લતિફે ભારતીય બોલરો વચ્ચે ઓવરોમાં પ્રદર્શનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ભારત વચ્ચેની ઓવરોમાં ખૂબ મજબૂત છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી મોટી ઇનિંગ રમવામાં સક્ષમ છે અને તેઓ આપણાં ઉચ્ચ ક્રમના બેટ્સમેનોની તુલનામાં સારી સ્ટ્રાઈક રેટથી રમે છે. જેથી ભારતને ફાયદો મળે છે. જો કે, પાકિસ્તાન પાસે સારો અવસર છે. આપણી પાસે ખૂબ શક્તિશાળી ફાસ્ટ બોલિંગ આક્રમણ છે. જો કે, ટર્નિંગ પીચ પર તે બેઅસર થઈ જાય છે. બેટિંગની વાત કરીએ તો ઈમામ-ઉલ હક, ફખર જમાન અને બાબર આઝમનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. પછી શાહીન આફ્રિદી, હારિસ રઉફ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ છે.

એશિયા કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન),  વિરાટ કોહલી, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ વિકેટકીપર).

એશિયા કપ માટે પાકિસ્તાની ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર જમાન, ઈમામ-ઉલ હક, સલમાન આગા, ઈફ્તિખાર અહમદ, તૈયાબ તાહિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારીસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસિમ શાહ અને શાહીન આફ્રિદી.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.