ICCએ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)2026 T20 વર્લ્ડ કપનનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ મેગા ઇવેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચે ફાઇનલ મેચ રમાશે. 2026 T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તો T20 વર્લ્ડ કપ મેચો ભારતના 5 અને શ્રીલંકાના 3 સ્થળોએ ટૂર્નામેન્ટ મેચો પણ રમાશે.

T20-World-cup
livemint.com

2026 T20 વર્લ્ડ કપના પહેલા દિવસે એટલે કે 7 ફેબ્રુઆરીએ 3 મેચ રમાશે. પાકિસ્તાનનો સામનો નેધરલેન્ડ્સ સામે થશે, ભારતનો સામનો USA સામે થશે અને વેસ્ટ ઇન્ડીઝનો સામનો બાંગ્લાદેશ સામે થશે.  2026 T20 વર્લ્ડ કપની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો પાકિસ્તાન ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. તેવી જ રીતે સેમીફાઇનલ મેચ કોલકાતા અને મુંબઈમાં રમાવાની છે, પરંતુ જો પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચશે, તો તે કોલંબોમાં રમશે.

20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી

ગ્રુપ A - ભારત, પાકિસ્તાન, USA, નેધરલેન્ડ અને નામિબિયા

ગ્રુપ B- ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન

ગ્રુપ C- ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, નેપાળ અને ઇટાલી

ગ્રુપ D- ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, કેનેડા અને UAE

2026 T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રમાશે. બંને ટીમો શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ USA સામે રમશે. ત્યારબાદ નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે લીગ મેચ રમશે.

T20-World-cup1
financialexpress.com

ભારતના કુલ 5 સ્થળોએ 2026 T20 વર્લ્ડ કપનું આયોજન થશે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં કોલંબોમાં આર. પ્રેમદાસા, એસ. સ્પોર્ટ્સ ક્લબ અને કેન્ડીમાં પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ટુર્નામેન્ટ મેચોનું આયોજન કરાશે.

2026 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું શેડ્યૂલ

ભારત Vs USA, 7 ફેબ્રુઆરી, મુંબઈ

ભારત Vs નામિબિયા, 12 ફેબ્રુઆરી, દિલ્હી

ભારત Vs પાકિસ્તાન, 15 ફેબ્રુઆરી, કોલંબો

ભારત Vs નેધરલેન્ડ્સ, 18 ફેબ્રુઆરી, અમદાવાદ

ICC ચેરમેન જય શાહે રોહિત શર્માને 2026 T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. રોહિત શર્માએ ભારતને 2024 T20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી, ત્યારબાદ તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. જય શાહે જણાવ્યું હતું કે એમ્બેસેડર તરીકે સેવા આપવા માટે રોહિત શર્મા કરતા વધુ સારી વ્યક્તિ કોઈ ન હોઈ શકે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોહિત શર્મા T20 વર્લ્ડ કપને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

About The Author

Related Posts

Top News

હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

નેશનલ મેડિકલ કમિશન (NMC)એ મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક મોટો ફેરફાર પ્રસ્તાવિત કર્યો છે. નવા ડ્રાફ્ટ મુજબ, MBBS ...
Education 
હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં...
Sports 
એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો

લખનઉના સઆદતગંજમાં એક નવપરિણીત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેના પતિ સાગર રાજપૂત સહિત 6 લોકો સામે દહેજ...
National 
પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો

એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અરકી સબડિવિઝનના ઘનગુઘાટ પંચાયતના તાલ ગામમાં થયેલા એક દુ:ખદ દુર્ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી દીધો છે. અહીં...
National 
એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો
Copyright (c) Khabarchhe All Rights Reserved.