ભારત સામેની મેચના બહિષ્કાર પર ICCનું કડક વલણ... પાકિસ્તાની ટીમને આપી મોટી વોર્નિંગ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પાકિસ્તાન સરકાર તરફથી તેની રાષ્ટ્રીય ટીમને T20 વર્લ્ડ કપ 2026માં પસંદગીની મેચો રમવાના નિર્દેશ પર કડક પ્રતિક્રિયા આપી છે. ICCએ જણાવ્યું હતું કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી સત્તાવાર અને લેખિત માહિતીની રાહ જોઈ રહ્યું છે, પરંતુ આવો નિર્ણય વૈશ્વિક રમતની ભાવનાની વિરુદ્ધ છે. પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે કે તેની ટીમ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે.

pakistan
icc-cricket.com

ICCએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, ‘વર્લ્ડ કપ જેવી કોઈપણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં, બધી ક્વાલિફાઇંગ ટીમો નિર્ધારિત શેડ્યૂલ મુજબ બરાબરીની શરતો પર પ્રતિસ્પર્ધા કરે છે. એક ટીમ દ્વારા પસંદગીની મેચો રમવાનો કોઈપણ નિર્ણય સ્પર્ધાની નિષ્પક્ષતા, સાતત્ય અને રમતની ભાવનાને સીધી રીતે નુકસાન પહોંચાડે છે.

ક્રિકેટની ટોચની સંસ્થાએ જણાવ્યું હતું કે, ICC ટૂર્નામેન્ટ રમતની પવિત્રતા, સ્પર્ધાત્મક સંતુલન અને નિષ્પક્ષતા પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં, પસંદગીની ભાગીદારી આ મૂલ્યોને નબળી પાડે છે અને સ્પર્ધાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પુનરોચ્ચાર કર્યો કે તે રાષ્ટ્રીય નીતિગત બાબતોમાં સરકારોની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ આ નિર્ણય વૈશ્વિક ક્રિકેટ, ટૂર્નામેન્ટની પ્રતિષ્ઠા અથવા વિશ્વભરના કરોડો ફેન્સ, ખાસ કરીને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓના હિતમાં નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આશા વ્યક્ત કરી કે, PCB આ નિર્ણયના દૂરગામી અને ગંભીર પરિણામો પર ગંભીરતાથી વિચાર કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ચીમકીભર્યા અંદાજમાં કહ્યું કે, આનાથી ન માત્ર પાકિસ્તાન ક્રિકેટ, પરંતુ સમગ્ર વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર પણ અસર પડશે, જેનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક ભાગ છે અને જેનો ફાયદો તે પણ ઉઠાવે છે.

ICC
livemint.com

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્પષ્ટ કર્યું કે, તેની પ્રાથમિકતા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સફળ અને સુગમ સંચાલન છે. આ જવાબદારી PCB સહિત તમામ સભ્ય બોર્ડની છે. પરિષદે PCBને તમામ હિતદારોના હિતોનું રક્ષણ કરતા કોઈ પરસ્પર સંમત ઉકેલ તરફ આગળ વધવાની અપીલ કરી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.