શોએબ અખ્તરે જણાવ્યું- T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે કોણ ગેમ ચેન્જર સાબિત થશે

2026નો T20 વર્લ્ડ કપ આગામી મહિને 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરશે, જેની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે, જેમાં અભિષેક શર્મા અને જસપ્રીત બૂમરાહ જેવા મેચ વિનર ખેલાડીઓ હશે. પરંતુ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે અભિષેક શર્મા કે જસપ્રીત બૂમરાહ નહીં, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારત માટે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ગેમ-ચેન્જર સાબિત થશે.

ભારતનો T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તેણે 2025માં રમાયેલી 19, T20 ઇનિંગ્સમાં માત્ર 218 રન જ બનાવ્યા હતા. ગયા વર્ષે તેની સરેરાશ માત્ર 13.63 હતી. આમ છતા શોએબ અખ્તરનું માનવું છે કે સૂર્યકુમાર યાદવ 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્ટાર બનીને ઉભરી આવશે.

akhtar1
cricketaddictor.com

શોએબ અખ્તરે PTV સ્પોર્ટ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી અને T20 વર્લ્ડ કપ જીતવા માટે એક મજબૂત દાવેદાર નજરે પડે છે. અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે જો ભારતીય ટીમે વર્લ્ડ કપ જીતવો હોય, તો કેપ્ટન સૂર્યકુમાર યાદવે રન બનાવવા જ પડશે, જે પાકિસ્તાનના બોલરના મતે ભારતીય ટીમ માટે મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અખ્તરે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારતે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય, તો કેપ્ટને કોઈપણ કિંમતે રન બનાવવા જ પડશે.

suryakumar
cricketaddictor.com

સૂર્યકુમાર યાદવે ભારતીય T20 કેપ્ટન બન્યા બાદ એક પણ શ્રેણી હાર્યો નથી. સૂર્યકુમારની કેપ્ટન્સી હેઠળ, ભારતે 38માંથી 28 T20 મેચ જીતી છે અને માત્ર 6 મેચ જ હારી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનો જીતનો દર 80.55 છે. પરંતુ, કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શનમાં ઘટાડો થયો છે.

About The Author

Related Posts

Top News

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.