શોએબ અખ્તરે જણાવ્યું- T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે કોણ ગેમ ચેન્જર સાબિત થશે

2026નો T20 વર્લ્ડ કપ આગામી મહિને 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરશે, જેની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે, જેમાં અભિષેક શર્મા અને જસપ્રીત બૂમરાહ જેવા મેચ વિનર ખેલાડીઓ હશે. પરંતુ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે અભિષેક શર્મા કે જસપ્રીત બૂમરાહ નહીં, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારત માટે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ગેમ-ચેન્જર સાબિત થશે.

ભારતનો T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તેણે 2025માં રમાયેલી 19, T20 ઇનિંગ્સમાં માત્ર 218 રન જ બનાવ્યા હતા. ગયા વર્ષે તેની સરેરાશ માત્ર 13.63 હતી. આમ છતા શોએબ અખ્તરનું માનવું છે કે સૂર્યકુમાર યાદવ 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્ટાર બનીને ઉભરી આવશે.

akhtar1
cricketaddictor.com

શોએબ અખ્તરે PTV સ્પોર્ટ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી અને T20 વર્લ્ડ કપ જીતવા માટે એક મજબૂત દાવેદાર નજરે પડે છે. અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે જો ભારતીય ટીમે વર્લ્ડ કપ જીતવો હોય, તો કેપ્ટન સૂર્યકુમાર યાદવે રન બનાવવા જ પડશે, જે પાકિસ્તાનના બોલરના મતે ભારતીય ટીમ માટે મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અખ્તરે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારતે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય, તો કેપ્ટને કોઈપણ કિંમતે રન બનાવવા જ પડશે.

suryakumar
cricketaddictor.com

સૂર્યકુમાર યાદવે ભારતીય T20 કેપ્ટન બન્યા બાદ એક પણ શ્રેણી હાર્યો નથી. સૂર્યકુમારની કેપ્ટન્સી હેઠળ, ભારતે 38માંથી 28 T20 મેચ જીતી છે અને માત્ર 6 મેચ જ હારી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનો જીતનો દર 80.55 છે. પરંતુ, કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શનમાં ઘટાડો થયો છે.

About The Author

Related Posts

Top News

ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો

રાજકોટમાં ન્યૂઝીલેન્ડે જે રીતે ભારતને 7 વિકેટથી હરાવ્યું, તેનાથી ન માત્ર શ્રેણી બરાબર થઈ ગઈ, પરંતુ ભારતીય ટીમના...
Sports 
ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો

ભારતીય સેનાના જવાનો દરરોજ, દરરાત્રે, ઠંડી, ગરમી, બરફ અને ચોમાસામાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની રક્ષા કરે છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી દિવસના પ્રસંગે જયપુરમાં આપેલા ભાષણમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું...
National 
ભારતીય સેનાના જવાનો દરરોજ, દરરાત્રે, ઠંડી, ગરમી, બરફ અને ચોમાસામાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની રક્ષા કરે છે

વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી

અમદાવાદ (ગુજરાત) [ભારત], 13 જાન્યુઆરી:  વેસ્ટ કોસ્ટ કિયાએ તેના અમદાવાદ શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ રજૂ કરી. લોન્ચિગ ગ્રાહકોને ધ્યાનમાં રાખી...
Gujarat 
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી

સુરતમાં પરિવાર માટે પતંગની દોરી બની જીવલેણ, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા

ગઇકાલે ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવ્યો. પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાની ખૂબ મજા માણી. તો ઘણી જગ્યાએ આજે વાસી...
Gujarat 
સુરતમાં પરિવાર માટે પતંગની દોરી બની જીવલેણ, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા

Opinion

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો...
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.