ગ્રુપ-8ની બધી મેચમાં વરસાદ પડે તો એક પણ મેચ રમ્યા વિના સેમીફાઇનલમાં પહોંચી જશે ભારત

ICC T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, અને ભારત ગ્રુપ-1માં દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વે સાથે છે. ભારતની પહેલી સુપર-8 મેચ આજે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમાશે. સુપર-8માં ગ્રુપ સ્ટેજના કોઇ પોઇન્ટ્સ કેરીઓવર થતા નથી; બધી ટીમો શૂન્યથી શરૂઆત કરે છે. દરેક ટીમ 3-3 મેચ રમશે, અને ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં આગળ જાય છે. જો કોઈપણ ગ્રુપમાં મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે. આ ઉપરાંત, ICCએ ટૂર્નામેન્ટ માટે પ્લેઇંગ કન્ડિશન નક્કી કરી રાખી છે.

Team-India
BCCI

તાજેતરમાં, સુપર-8ની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના પરિણામે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને 1-1 પોઈન્ટ આપી દેવામાં આવ્યો હતો. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈપણ સુપર-8 ગ્રુપમાં બધી મેચ વરસાદ કે અન્ય કારણે રદ કરવામાં આવે તો શું થશે? બાદમાં, ICCએ ટૂર્નામેન્ટની પ્લેઇંગ કન્ડિશનમાં સુપર-8 રાઉન્ડથી આગળ ક્વોલિફિકેશન માટે વિવિધ માપદંડો સ્પષ્ટ કર્યા છે, જેને કારણે ભારત એક પણ મેચ રમ્યા વિના સેમીફાઇનલમાં પહોંચી શકે છે.

Team-India2
BCCI

એક પણ મેચ રમ્યા વિના સેમીફાઇનલમાં કેવી રીતે પહોંચશે ભારત?

ICCના નિયમો અનુસાર, સેમીફાઇનલમાં પહોંચવાનો નિર્ણય સૌથી પહેલા પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવશે. ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં આગળ વધશે. જો પોઈન્ટ બરાબર હોય, તો સુપર-8 રાઉન્ડમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ આગળ વધશે. જો કે, જો મેચોની સંખ્યા પણ સમાન હોય, તો નિર્ણય નેટ રન-રેટ પર આધારિત હશે. જો નેટ રન-રેટ બરાબર હોય, તો બંને ટીમો વચ્ચેની મેચનો વિજેતા ક્વોલિફાય થશે. પરંતુ જો કોઈ મેચ ન રમાય તો શું?

Team-India1
BCCI

એવી પરિસ્થિતિમાં જ્યાં ગ્રુપ-1ની બધી મેચ વરસાદથી રદ થાય છે, તો ચારેય ટીમો 3 પોઈન્ટ સાથે બરાબર રહેશે. જીતની સંખ્યા 0 હશે. ત્યારબાદ નેટ રન-રેટ લાગૂ થશે, પરંતુ કોઈ મેચ રમાઈ ન હોવાથી, NRR પણ 0 રહેશે. હેડ-ટૂ-હેડ મેચ પણ શક્ય નહીં હોય, કારણ કે કોઈ મેચ રમાઈ નહોતી. એવામાં, અંતિમ ટાઈબ્રેકર ICC T20I રેન્કિંગ હશે. ભારત T20I રેન્કિંગમાં ટોચ પર છે. એટલે, ભારત એક પણ મેચ રમ્યા વિના સેમીફાઇનલમાં પહોંચી શકે છે.

About The Author

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.