T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકીઓ વચ્ચે પાકિસ્તાને ટીમ જાહેરાત કરી; બાબર આઝમ ઈન, હરિસ રઉફ આઉટ

ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરશે. પાકિસ્તાનને ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે, જેમાં ભારત પણ શામેલ છે. પાકિસ્તાની ટીમ 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ્સ સામે તેની પહેલી મેચ રમશે. 25 જાન્યુઆરી, રવિવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના હાઇ પર્ફોર્મન્સ ડિરેક્ટર આકિબ જાવેદ, કેપ્ટન સલમાન અલી આગા અને વ્હાઇટબોલ ટીમના મુખ્ય કોચ માઈકલ હેસન હાજર રહ્યા હતા.

Pakistan-T20-World-Cup-Team3
khabarindiatv.in

કેપ્ટન સલમાન અલી આગા સાથે, ફહીમ અશરફ, ખ્વાજા નફાય, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાહિબજાદા ફરહાન અને ઉસ્માન તારિકને પ્રથમ વખત ICC મેગા ઇવેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, નસીમ શાહ અને ફખર ઝમાન જેવા અનુભવી ખેલાડીઓ અગાઉ T20 વર્લ્ડ કપમાં રમી ચૂક્યા છે. ફાસ્ટ બોલર હરિસ રઉફ અને ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી, પરંતુ આ દરમિયાન તેણે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. અહીં તમને બતાવી દઈએ કે, બાંગ્લાદેશે ભારત જવાનો ઇનકાર કર્યો હતો અને તેની મેચો શ્રીલંકામાં ખસેડવાની માંગ કરી હતી. જોકે, ICCએ તેની માંગણી સ્વીકારી ન હતી. હવે, સ્કોટલેન્ડ બાંગ્લાદેશની જગ્યાએ T20 વર્લ્ડ કપ રમશે.

Pakistan-T20-World-Cup-Team
jagran.com

T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે. દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે, ત્યારપછી સુપર 8 અને નોકઆઉટ તબક્કો રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલશે. વર્લ્ડ કપ પહેલા, પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે, જેની મેચો 29, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાશે.

T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમ: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા નફાય (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર) અને ઉસ્માન તારિક.

About The Author

Related Posts

Top News

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.