શું ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ફરી ટકરાઇ શકે છે? જાણો ટૂર્નામેન્ટનું સમીકરણ

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે 2026ના T20 વર્લ્ડ કપમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા  ઇતિહાસ રચવા તરફ આગળ પગલાં વધારી દીધા છે. યજમાન તરીકે પોતાના ખિતાબનું રક્ષણ કરવા અને રેકોર્ડ ત્રીજો T20 વર્લ્ડ કપ જીતવાના લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયાએ તેની શરૂઆતની ગ્રુપ સ્ટેજ મેચોમાં અમેરિકા અને નામિબિયાને સરળતાથી હરાવ્યું. ત્યારબાદ, કોલંબોમાં ટૂર્નામેન્ટની હાઇવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. આ જીત સાથે, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાએ સુપર-8 સ્ટેજમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

કોલંબોમાં રમાયેલી મેચ અપેક્ષા મુજબ, હાઇ ડ્રામા અને ઉત્તેજનાથી ભરેલી હતી, પરંતુ મેદાન પર ટીમ ઇન્ડિયાનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો એકતરફી રેકોર્ડ હવે સુધરીને 8-1 થઇ ગયો છે. આ હાર બાદ, પાકિસ્તાનનો આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે, અને સુપર-8માં પહોંચવા માટે તેમને કોઇપણ કિંમતે નામિબિયાને હરાવવું પડશે. ફેંસના મનમાં હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત અને પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં ફરી એકબીજાનો સામનો થઇ શકે છે.

india-Vs-pakistan3
espncricinfo.com

ટૂર્નામેન્ટના ગણિતને સમજીએ તો સુપર-8 તબક્કામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની શક્યતા ઓછી છે. ICCની પ્રી-સીડિંગ વ્યવસ્થા હેઠળ, ભારતને 'X1' સ્લોટમાં અને પાકિસ્તાનને 'Y3' સ્લોટમાં રાખવામાં આવ્યું છે. તે મુજબ, ભારત સુપર-8ના ગ્રુપ-1માં રહેશે, જ્યારે પાકિસ્તાન ગ્રુપ-2માં રહેશે.

સેમી-ફાઇનલ મેચ થઇ શકે છે

જોકે, બંને ટીમો સેમી-ફાઇનલમાં ટકરાશે તેવી શક્યતા રહે છે. જો એક ટીમ તેના સુપર-8 ગ્રુપમાં ટોચ પર રહે છે અને બીજી તેના ગ્રુપમાં બીજા સ્થાને રહે છે, તો ભારત અને પાકિસ્તાનનો સેમી-ફાઇનલમાં એકબીજાનો સામનો થઇ શકે છે. જો બંને ટીમો પોતપોતાના ગ્રુપમાં પ્રથમ કે બીજા સ્થાને રહે છે, તો તેઓ અલગ-અલગ સેમી-ફાઇનલ રમશે.

india-Vs-pakistan
espncricinfo.com

સૌથી રોમાંચક સ્થિતિ ફાઇનલ હોઇ શકે છે. જો ભારત અને પાકિસ્તાન બંને ટીમો પોતપોતાની સેમીફાઇનલ મેચ જીતી જાય, તો ક્રિકેટ જગત 2007 બાદ પહેલી વાર T20 વર્લ્ડ કપની ઐતિહાસિક 'ભારત વિરુદ્ધ પાકિસ્તાન' ફાઇનલ જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.