ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર નિકળ્યા બાદ રીઝવાને જણાવ્યું હારનું કારણ

ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનું દુખ સામે આવ્યું છે. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે તેની ટીમના ખેલાડીઓ વારંવાર એકની એક જ ભૂલો કરી રહ્યા છે અને સ્વીકાર્યું કે અહીં ભારત સામેની હાર બાદ તેની ટીમનું ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન લગભગ સમાપ્ત થઈ ગયું હતું. ભારત પહેલા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. ગ્રુપ A માં તેનો છેલ્લો મુકાબલો 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે.

01

મેચ પછી રિઝવાને પત્રકારોને જણાવ્યું કે અમારી સફર લગભગ પૂરી થઈ ગઈ છે. હવે અમારે અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે. એક કેપ્ટન તરીકે મને આવી પરિસ્થિતિઓ પસંદ નથી. અમારે અમારું ભાગ્ય પોતે જ લખવું જોઈતું હતું.03

કોહલી અંગે રીઝવાને કહ્યું કે, તેણે કેટલી મહેનત કરી તે જોઈને મને નવાઈ લાગી. દુનિયા કહી રહી છે કે તે ફોર્મમાં નથી પણ તેણે આટલી મોટી મેચમાં સરળતાથી રન બનાવ્યા. અમે તેને આઉટ કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા પણ અમને સફળતા ન મળી.

01

રિઝવાને કહ્યું કે જ્યાં સુધી મેચનો સવાલ છે, અમે ચોક્કસપણે નિરાશ છીએ. અમે ત્રણેય વિભાગોમાં ભૂલો કરી. "અમે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટ્રાઇ સીરિઝમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે બે મેચ હારી ગયું હતું. રિઝવાને કહ્યું કે તેની ટીમ પોતાની ભૂલોમાંથી શીખી શકી નથી. સાચું કહું તો, અમે સતત એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ જે અમે પાછલી મેચોમાં કરી હતી. અમે અમારી તરફથી પ્રયાસ કર્યો પણ મને લાગે છે કે તે પૂરતું ન હતું કારણ કે ભારતીય ટીમે અમારા કરતા વધુ સારો પ્રયાસ કર્યો.

Top News

કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

કેનેડા દ્વારા 15-17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવામાં આવશે. આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ...
World 
કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

નવી હેરિયર ઇલેક્ટ્રિકમાં લેન્ડ રોવર જેવી શક્તિ, 627 km રેન્જ, લાઇફટાઇમ વોરંટી, જાણો કિંમત

કેટલાક ઉત્પાદનો છે જે બજારને બદલવાની ક્ષમતા ધરાવે છે. આજે, ટાટા મોટર્સે EV સેગમેન્ટમાં પણ કંઈક આવું જ કરવાનો...
Tech and Auto 
નવી હેરિયર ઇલેક્ટ્રિકમાં લેન્ડ રોવર જેવી શક્તિ, 627 km રેન્જ, લાઇફટાઇમ વોરંટી, જાણો કિંમત

'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે...', IPL ચેમ્પિયન બન્યા બાદ શું કહ્યું વિરાટ કોહલીએ

17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ  પહેલીવાર પોતાના નામે કર્યો. આ...
Sports 
'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે...', IPL ચેમ્પિયન બન્યા બાદ શું કહ્યું વિરાટ કોહલીએ

એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી કેમ બન્યો રૂપિયો?

ભારતીય ચલણ રૂપિયાનું મે મહિનામાં એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવો મળ્યું. આખા મે મહિનામાં ડોલર સામે ભારતીય રૂપિયો 1.27 ટકા...
Business 
એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી કેમ બન્યો રૂપિયો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.