‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી જીતી લીધી, પરંતુ ચર્ચાનો વિષય રહ્યો ભારતીય ટીમના સફળ બોલર અર્શદીપ સિંહ.  યશસ્વી જાયસ્વાલે અર્શદીપ સિંહને આડેહાથ લીધો, પરંતુ બેઇજ્જત પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન થયો. અર્શદીપ અને જાયસ્વાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. વીડિયો જોયા બાદ, તમને ખ્યાલ આવી જશે કે તેમાં રિઝવાનની કેવી મજાક ઉડાવવામાં આવી છે.

Jaiswal
BCCI

રાજસ્થાનની ટીમ ભલે પંજાબ સામેની મેચ જીતવામાં નિષ્ફળ રહી, પરંતુ જાયસ્વાલ અને સૂર્યવંશીએ બધાનું દિલ જીતી લીધું. મેચમાં યશસ્વીએ શાનદાર શરૂઆત કરી. તેણે પહેલી ઓવર નાખવા આવેલા અર્શદીપને જ ટારગેટ બનાવી લીધો. યશસ્વીએ પહેલી જ ઓવરમાં 22 રન બનાવ્યા, તેણે આ ઓવરમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ પણ, અર્શદીપને ખૂબ માર પડ્યો.

https://www.instagram.com/reel/DJzDaJaSBSQ/?utm_source=ig_web_copy_link

અર્શદીપ સિંહ ભારતીય ટીમનો ખૂબ જ સફળ બોલર છે. તેમણે મોટા મંચ પર ભારતીય ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ રાજસ્થાન સામે તેની એક ન ચાલી. વૈભવ સૂર્યવંશી અને જાયસ્વાલે તેની લાઇન-લેન્થ જ બગાડી નાખી. અર્શદીપે 4 ઓવરમાં 60 રન ખર્ચી નાખ્યા. જાયસ્વાલે મેચમાં 25 બૉલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી, જ્યારે વૈભવે 40 રન બનાવ્યા.

Arshdeep Singh
instagram.com/_arshdeep.singh

કઈ રીતે કરી રિઝવાનની બેઇજ્જતી?

જાયસ્વાલના હાથે માર ખાધા બાદ, અર્શદીપે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. તેણે ઓરેન્જ કેપ હોલ્ડર યશસ્વી સાથે એક વીડિયો રેકોર્ડ કર્યો અને કહ્યું કે, ‘ખૂબ માર્યો ભાઈ, દોરો જ ખોલી દીધો.જવાબમાં યશસ્વીએ કહ્યું કે, ‘એકદમ, મેં કહ્યું હતું ને કે એક દિવસ ખૂબ મારીશ.' પરંતુ મજાની વાત એ છે કે અહીં અર્શદીપે મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક ઉડાવી છે. રિઝવાનના 'વિન એન્ડ લર્ન'વાળા નિવેદન પર ખૂબ મીમ્સ બન્યા હતા. વીડિયોમાં અર્શદીપે લખ્યું કે, ‘Sometimes Win, Sometimes Learn and Win.’

Related Posts

Top News

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં...
Health 
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?

મહારાષ્ટ્રની રાજનીતિમાં થોડા દિવસોથી ચાલી રહેલો ગણગણાટ હવે ધીમે-ધીમે એક મોટા રાજનીતિક ઉથલ-પાથલ તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા અઠવાડિયે...
National  Politics 
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.