ગિલને ટાર્ગેટ બનાવવા બદલ બ્રિટિશ મીડિયા પર ગુસ્સે થયા ગાવસ્કર, કહ્યું, 'જો આ ભારત હોત તો...'

લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસની આખી રમત બોલ બદલવાના વિવાદથી ઘેરાયેલી રહી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ ઘણી વખત બોલ બદલવાની અપીલ કરતા જોવા મળ્યા. તે અમ્પાયરોથી થોડો ગુસ્સે પણ દેખાતો હતો. તેનું કારણ એ હતું કે, તે બદલાયેલા બોલથી ખુશ ન હતો. ભૂતપૂર્વ ઈંગ્લેન્ડના ક્રિકેટરો અને સ્થાનિક મીડિયાએ પણ આ અંગે ટીમ ઈન્ડિયા અને કેપ્ટન ગિલ પર નિશાન સાધ્યું. જોકે, અનુભવી સુનીલ ગાવસ્કર હવે તેમના બચાવમાં આવ્યા છે. આ સાથે, તેમણે બ્રિટિશ મીડિયા પર પણ નિશાન સાધ્યું છે.

Sunil Gavaskar
thesportstak.com

ટીમ ઈન્ડિયાનો પક્ષ આગળ ધરતા, અનુભવી સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, 'તમે અહીંથી જોઈ શકો છો કે 10 ઓવરના જૂના બોલને બદલે, ટીમ ઈન્ડિયાને 20 ઓવરનો જૂનો બોલ આપવામાં આવ્યો હતો. જો આવું ભારતમાં થયું હોત જ્યાં તે જ જૂનો બોલ બદલવા માટે ઉપલબ્ધ ન હોત, તો બ્રિટિશ મીડિયા તેના વિશે હોબાળો કરી રહ્યું હોત.'

Sunil Gavaskar
cricketaddictor.com

એક સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરતી વખતે, ભૂતપૂર્વ ઈંગ્લેન્ડના કેપ્ટન નાસિર હુસૈને પણ ડ્યુક બોલની સમસ્યા સ્વીકારી. તેમણે કહ્યું હતું કે, 'ડ્યુક બોલ સાથે ગંભીર સમસ્યા છે. મેચ પહેલા બંને કેપ્ટનોએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. આ સત્રમાં પણ બે વાર બોલ બદલવામાં આવ્યો છે. પરંતુ, મને લાગે છે કે ઘણા બધા બોલ બદલવામાં આવી રહ્યા છે. આપણે ક્રિકેટ બોલ વિશે કંઇક વધારે જ વિચારી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે બોલ 80 ઓવર માટે પરફેક્ટ રહે. પહેલા પણ બોલ જૂનો અને નરમ થઈ જતો હતો. પહેલા પણ એવું બનતું હતું કે, ઓપનિંગ બેટ્સમેન નવા બોલને જૂનો બનાવતા હતા અને પછી તેને રમવાનું થોડું સરળ બની જતું હતું. બુમરાહની બોલિંગમાં પહેલા કલાકમાં રમવું અશક્ય લાગતું હતું, ટીમ પાસે તે ડ્યુક બોલ હતો જે મુવમેન્ટ કરી રહ્યો હતો.'

Shubman Gill
sports.ndtv.com

લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે ફક્ત 75 ઓવર જ ફેંકવામાં આવી હતી. બંને દિવસની વાત કરીએ તો કુલ 22 ઓવર ઓછી નાખવામાં આવી. ત્રીજા દિવસે, પહેલા સત્રમાં, ટીમ ઈન્ડિયાએ 65 ઓવરમાં 4 વિકેટે 248 રન બનાવ્યા છે. KL રાહુલ 97 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. આ દરમિયાન, છેલ્લી ઓવરમાં 74 રન બનાવ્યા બાદ રિષભ પંત રન આઉટ થયો અને સ્ટોક્સે તેને આઉટ કર્યો.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.