તેના વિના આપણે ક્યારેય નહીં જીતી શકીએ! યોગરાજ સિંહે ભારતીય ટીમને લીધી આડેહાથ

પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓને નબળી ફિલ્ડિંગ માટે આડેહાથ લીધા છે. યોગરાજ સિંહના મતે, જ્યાં સુધી ભારતીય ટીમ પોતાની ફિલ્ડિંગમાં સુધાર ન કરે, ત્યાં સુધી જીતવું મુશ્કેલ છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, ભારતીય ટીમની ફિલ્ડિંગ ફરી એકવાર નબળી રહી છે. ઘણા કેચ છૂટી ગયા હતા.

યોગરાજ સિંહે કહ્યું કે, ‘મેં ઘણી વખત કહ્યું છે કે કેચ ન છોડો. આપણે આ ઇનિંગમાં 5-6 કેચ છોડ્યા છે. ઓછામાં ઓછા એ કેચ ન છોડવા જોઇએ જે હાથમાં આવી રહ્યા હોય. જો ટીમે બધા કેચ પકડ્યા હોત, તો ઈંગ્લેન્ડ 300ની અંદર સમેટાઇ જતી. આપણે પોતાની ફિલ્ડિંગ સુધારવી પડશે. તેના વિના આપણે જીતી નહીં શકીએ. ફિલ્ડરોએ દરરોજ 100-100 કેચ પકડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.

Yograj-Singh2
crictoday.com

યોગરાજ સિંહે કહ્યું, ‘ભારતીય ટીમમાં જ્યારે જ્યારે યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ આવ્યા ત્યારે ફિલ્ડિંગનું સ્તરમાં ખૂબ સુધાર થયો. તેઓ એવા કેચ પકડતા હતા જે પકડાવાની શક્યતા નહોતી. તો 2ની  જગ્યાએ એક રન અને 3 રનની જગ્યાએ રન આઉટ કરતા હતા. તેમની જેમ વર્તમાન ટીમે ફિલ્ડિંગ કરવી પડશે.

યોગરાજ સિંહે કહ્યું કે, ‘જ્યાં સુધી બેટિંગનો સવાલ છે, શુભમન ગિલે છેલ્લી મેચમાં શું કર્યું હતું તે ભૂલી જવું જોઈએ. જો તે દરેક ઇનિંગને પોતાની પહેલી ઇનિંગ સમજાશે, તો હંમેશાં રન બનશે. આપણાં પહેલા 5-6 બેટ્સમેન સારું કરી રહ્યા છે. નીચેનો ક્રમ નબળા છે. મને લાગે છે કે બૂમરાહ અને સિરાજ સાથે અન્ય બોલરોને નેટસમાં 1-1 કલાક બેટિંગ પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે. જો ટોપ ઓર્ડર ફ્લોપ થાય છે, તો આ કામમાં આવી શકે છે. તેનાથી નંબર 11 સુધી આપણી બેટિંગ મજબૂત થશે. ક્રિકેટ એવી રમત છે કે ઘણી વખત એક વિકેટ 300 રનની પાર્ટનરશિપ કરીને મેચ બદલી દે છે.

Yograj-Singh1
sports.info

એક જૂની મેચને યાદ કરતા યોગરાજ સિંહે કહ્યું કે, ‘મને યાદ છે કે વેસ્ટ ઈન્ડીઝની મેચ ચાલી રહી હતી. એક તરફ વિવિયન રિચર્ડ્સ બેટિંગ કરી રહ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝે 109 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. રિચર્ડ્સે છેલ્લા નંબર પર આવેલા માઈકલ હોલ્ડિંગને વિકેટ પર રહેવા કહ્યું. છેલ્લી વિકેટ માટે બંનેએ લગભગ 125 રનની ભાગીદારી કરી. રિચર્ડ્સે તે મેચમાં 189 રનની ઇનિંગ રમી હતી. તે સમયે વન-ડેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. તે મેચ વેસ્ટ ઈન્ડીઝે જીતી હતી. એટલે, નીચલા ક્રમના ખેલાડીઓ પાસે બેટિંગ કરવાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.