તેના વિના આપણે ક્યારેય નહીં જીતી શકીએ! યોગરાજ સિંહે ભારતીય ટીમને લીધી આડેહાથ

પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓને નબળી ફિલ્ડિંગ માટે આડેહાથ લીધા છે. યોગરાજ સિંહના મતે, જ્યાં સુધી ભારતીય ટીમ પોતાની ફિલ્ડિંગમાં સુધાર ન કરે, ત્યાં સુધી જીતવું મુશ્કેલ છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, ભારતીય ટીમની ફિલ્ડિંગ ફરી એકવાર નબળી રહી છે. ઘણા કેચ છૂટી ગયા હતા.

યોગરાજ સિંહે કહ્યું કે, ‘મેં ઘણી વખત કહ્યું છે કે કેચ ન છોડો. આપણે આ ઇનિંગમાં 5-6 કેચ છોડ્યા છે. ઓછામાં ઓછા એ કેચ ન છોડવા જોઇએ જે હાથમાં આવી રહ્યા હોય. જો ટીમે બધા કેચ પકડ્યા હોત, તો ઈંગ્લેન્ડ 300ની અંદર સમેટાઇ જતી. આપણે પોતાની ફિલ્ડિંગ સુધારવી પડશે. તેના વિના આપણે જીતી નહીં શકીએ. ફિલ્ડરોએ દરરોજ 100-100 કેચ પકડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.

Yograj-Singh2
crictoday.com

યોગરાજ સિંહે કહ્યું, ‘ભારતીય ટીમમાં જ્યારે જ્યારે યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ આવ્યા ત્યારે ફિલ્ડિંગનું સ્તરમાં ખૂબ સુધાર થયો. તેઓ એવા કેચ પકડતા હતા જે પકડાવાની શક્યતા નહોતી. તો 2ની  જગ્યાએ એક રન અને 3 રનની જગ્યાએ રન આઉટ કરતા હતા. તેમની જેમ વર્તમાન ટીમે ફિલ્ડિંગ કરવી પડશે.

યોગરાજ સિંહે કહ્યું કે, ‘જ્યાં સુધી બેટિંગનો સવાલ છે, શુભમન ગિલે છેલ્લી મેચમાં શું કર્યું હતું તે ભૂલી જવું જોઈએ. જો તે દરેક ઇનિંગને પોતાની પહેલી ઇનિંગ સમજાશે, તો હંમેશાં રન બનશે. આપણાં પહેલા 5-6 બેટ્સમેન સારું કરી રહ્યા છે. નીચેનો ક્રમ નબળા છે. મને લાગે છે કે બૂમરાહ અને સિરાજ સાથે અન્ય બોલરોને નેટસમાં 1-1 કલાક બેટિંગ પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે. જો ટોપ ઓર્ડર ફ્લોપ થાય છે, તો આ કામમાં આવી શકે છે. તેનાથી નંબર 11 સુધી આપણી બેટિંગ મજબૂત થશે. ક્રિકેટ એવી રમત છે કે ઘણી વખત એક વિકેટ 300 રનની પાર્ટનરશિપ કરીને મેચ બદલી દે છે.

Yograj-Singh1
sports.info

એક જૂની મેચને યાદ કરતા યોગરાજ સિંહે કહ્યું કે, ‘મને યાદ છે કે વેસ્ટ ઈન્ડીઝની મેચ ચાલી રહી હતી. એક તરફ વિવિયન રિચર્ડ્સ બેટિંગ કરી રહ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝે 109 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. રિચર્ડ્સે છેલ્લા નંબર પર આવેલા માઈકલ હોલ્ડિંગને વિકેટ પર રહેવા કહ્યું. છેલ્લી વિકેટ માટે બંનેએ લગભગ 125 રનની ભાગીદારી કરી. રિચર્ડ્સે તે મેચમાં 189 રનની ઇનિંગ રમી હતી. તે સમયે વન-ડેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. તે મેચ વેસ્ટ ઈન્ડીઝે જીતી હતી. એટલે, નીચલા ક્રમના ખેલાડીઓ પાસે બેટિંગ કરવાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.