‘જો તમે વિકેટ નથી લેતા તો..’, બીજી ટેસ્ટ અગાઉ કુલદીપ યાદવે કોના પર સાધ્યું નિશાન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ બુધવાર 2 જુલાઈથી એજબેસ્ટન, બર્મિંઘમમાં શરૂ થઈ રહી છે. આ મેચ અગાઉ, ઘણા ક્રિકેટ એક્સપર્ટે કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની ભલામણ કરી છે. પહેલી ટેસ્ટમાં ભારતે 3 ફાસ્ટ બોલર, એક સ્પિન ઓલરાઉન્ડર અને એક સીમ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જસપ્રીત બૂમરાહ સિવાય કોઈ બોલર ઇંગ્લિશ બેટ્સમેનો પર દબાણ લાવી શક્યો નહોતો.

kuldeep2
crictracker.com

કુલદીપ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી નેટ પ્રેક્ટિસમાં પૂરી ગતિથી બોલિંગ કરી રહ્યો છે, જેનાથી સંકેત મળે છે કે તે ઓક્ટોબર 2024 બાદ પોતાની પહેલી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. હવામાનના રિપોર્ટ મુજબ, બર્મિંઘમની પીચ સામાન્ય કરતા વધુ સૂકી રહી શકે છે અને પાંચેય દિવસ ગરમીની સંભાવના છે, જે સ્પિન બોલરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કુલદીપ યાદવે કહ્યું કે, 'જો તમે વિકેટ લેતા નથી તો તમે ટીમમાં પોતાની જગ્યા બનાવી શકતા નથી, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં. પછી તમે ઘર પર રમી રહ્યા હોવ કે બહાર, લક્ષ્ય એક જ હોય છે. બોલને સારી રીતે સ્પિન કરાવો, ડ્રિફ્ટ પેદા કરો અને વિકેટ લો. કુલદીપે કહ્યું કે 2025ના IPL દરમિયાન, તેણે દિલ્હી કેપિટલ્સ (DC)માં પોતાના મેન્ટર રહેલા કેવિન પીટરસન પાસેથી ઇંગ્લેન્ડ પ્રવાસને લઈને ઘણી વાતો શીખી હતી. કુલદીપ યાદવે કહ્યું કે, ‘તેમણે મને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઘણી સમજ આપી.

kuldeep
indiatoday.in

અમે ફિલ્ડ પ્લેસમેન્ટ, પીચ અને ઇંગ્લિશ બેટ્સમેનોની માનસિકતા પર ચર્ચા કરી. તેમણે મને કહ્યું કે ઇંગ્લેન્ડમાં મોટાભાગના સ્પિનરો ડિફેન્સિવ માઇન્ડસેટ સાથે આવે છે. તેઓ માને છે કે ફાસ્ટ બોલરો જ વિકેટ લેશે અને સ્પિનરો માત્ર સપોર્ટ કરશે. પરંતુ પીટરસને મને વિરુદ્ધ વિચારવાનું કહ્યું. જો હું 15-20 ઓવર બોલિંગ કરી રહ્યો છું, તો મારે દરેક બોલ પર વિકેટ માટે વિચારવું પડશે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.