‘જો તમે વિકેટ નથી લેતા તો..’, બીજી ટેસ્ટ અગાઉ કુલદીપ યાદવે કોના પર સાધ્યું નિશાન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ બુધવાર 2 જુલાઈથી એજબેસ્ટન, બર્મિંઘમમાં શરૂ થઈ રહી છે. આ મેચ અગાઉ, ઘણા ક્રિકેટ એક્સપર્ટે કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની ભલામણ કરી છે. પહેલી ટેસ્ટમાં ભારતે 3 ફાસ્ટ બોલર, એક સ્પિન ઓલરાઉન્ડર અને એક સીમ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જસપ્રીત બૂમરાહ સિવાય કોઈ બોલર ઇંગ્લિશ બેટ્સમેનો પર દબાણ લાવી શક્યો નહોતો.

kuldeep2
crictracker.com

કુલદીપ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી નેટ પ્રેક્ટિસમાં પૂરી ગતિથી બોલિંગ કરી રહ્યો છે, જેનાથી સંકેત મળે છે કે તે ઓક્ટોબર 2024 બાદ પોતાની પહેલી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. હવામાનના રિપોર્ટ મુજબ, બર્મિંઘમની પીચ સામાન્ય કરતા વધુ સૂકી રહી શકે છે અને પાંચેય દિવસ ગરમીની સંભાવના છે, જે સ્પિન બોલરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કુલદીપ યાદવે કહ્યું કે, 'જો તમે વિકેટ લેતા નથી તો તમે ટીમમાં પોતાની જગ્યા બનાવી શકતા નથી, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં. પછી તમે ઘર પર રમી રહ્યા હોવ કે બહાર, લક્ષ્ય એક જ હોય છે. બોલને સારી રીતે સ્પિન કરાવો, ડ્રિફ્ટ પેદા કરો અને વિકેટ લો. કુલદીપે કહ્યું કે 2025ના IPL દરમિયાન, તેણે દિલ્હી કેપિટલ્સ (DC)માં પોતાના મેન્ટર રહેલા કેવિન પીટરસન પાસેથી ઇંગ્લેન્ડ પ્રવાસને લઈને ઘણી વાતો શીખી હતી. કુલદીપ યાદવે કહ્યું કે, ‘તેમણે મને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઘણી સમજ આપી.

kuldeep
indiatoday.in

અમે ફિલ્ડ પ્લેસમેન્ટ, પીચ અને ઇંગ્લિશ બેટ્સમેનોની માનસિકતા પર ચર્ચા કરી. તેમણે મને કહ્યું કે ઇંગ્લેન્ડમાં મોટાભાગના સ્પિનરો ડિફેન્સિવ માઇન્ડસેટ સાથે આવે છે. તેઓ માને છે કે ફાસ્ટ બોલરો જ વિકેટ લેશે અને સ્પિનરો માત્ર સપોર્ટ કરશે. પરંતુ પીટરસને મને વિરુદ્ધ વિચારવાનું કહ્યું. જો હું 15-20 ઓવર બોલિંગ કરી રહ્યો છું, તો મારે દરેક બોલ પર વિકેટ માટે વિચારવું પડશે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.