પંડ્યાને ટીમમાં સિલેક્ટ કરવા માંગતા ન હતા રોહિત અને અગરકર, પછી જે થયું...

On

IPL હવે તેના અંતિમ તબક્કામાં છે. મુંબઈ ઈન્ડિયન્સ સહિત ત્રણ ટીમો ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે આ ટીમોના ખેલાડીઓ IPL છોડીને રાષ્ટ્રીય ટીમો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેને જૂનમાં T-20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ 24 મેના રોજ સહ-યજમાન અમેરિકા જશે. પરંતુ આ પહેલા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વિશે જે સમાચાર આવી રહ્યા છે તે ટીમ માટે સારા નથી. IPL પહેલા રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ એકદમ નજીક આવી ગયો છે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચેનો વિવાદ અટકતો નથી; હવે એવી આશંકા છે કે, રોહિત-હાર્દિકની નબળી કેમિસ્ટ્રી ભારતના પ્રદર્શનને અસર કરી શકે છે. ભારતીય ટીમ 2013થી ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી.

એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અગરકર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને પસંદ કરવાના પક્ષમાં ન હતા. મીડિયા સૂત્રના અહેવાલ મુજબ અમદાવાદમાં જ્યારે પસંદગી સમિતિની બેઠક યોજાઈ ત્યારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત સહિત ઘણા પસંદગીકારો પણ હાર્દિક પંડ્યાને ટીમમાં પસંદ કરવાના પક્ષમાં ન હતા. જોકે દબાણને કારણે હાર્દિક પંડ્યાની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી અને તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. અમેરિકા અને કેનેડાની ટીમો પણ ભારતના ગ્રુપમાં છે. ભારતીય ટીમ 12 જૂને અમેરિકા અને 15 જૂને કેનેડા સામે ટકરાશે.

ભારતીય ક્રિકેટરો T20 વર્લ્ડ કપ માટે બે બેચમાં રવાના થશે. જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થઈ જશે તેઓ 24 મેના રોજ પ્રથમ બેચમાં અમેરિકા જશે. ટીમ ઈન્ડિયામાં સામેલ બાકીના ખેલાડીઓ IPL ફાઈનલ પછી અમેરિકા જવા રવાના થશે. IPLની ફાઈનલ 26 મેના રોજ રમાવાની છે.

મુંબઈ ઈન્ડિયન્સ સહિત ત્રણ ટીમ IPL ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે. આ સાથે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ (તમામ મુંબઈ ઈન્ડિયન્સ), અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ), શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) 24 મેના રોજ વર્લ્ડ કપ માટે રવાના થવાના છે. આ યાદીમાં બીજા ઘણા ખેલાડીઓના નામનો ઉમેરો થઇ શકે છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.