ટેસ્ટ ટીમમાં સૂર્યકુમાર યાદવના સિલેક્શન પર સરફરાઝ ખાને જુઓ શું કહ્યું

ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા છતા સરફરાઝ ખાનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, જેને લઇને ખૂબ બહેસ થઇ. તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં સૂર્યકુમાર યાદવનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેને લઇને સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગુસ્સે જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે, પરંતુ સરફરાઝ ખાનને મળી નથી, જેને લઇને ફેન્સ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન પ્રક્રિયા પર સવાલ ઊભા કરી રહ્યા છે.

તો સરફરાઝ ખાન પણ ટીમમાં સિલેક્શન ન થવા પર ખૂબ નિરાશ નજરે પડ્યો. હવે સરફરાઝ ખાને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરવા પર પોતાના વિચાર રાખ્યા છે. સીનિયર પત્રકાર વિમલ કુમારની યુટ્યુબ વીડિયો પર સરફરાઝ ખાને તેના પર વાત કરી અને કહ્યું કે, જુઓ સૂર્યા મારો ખૂબ સારો મિત્ર છે, જ્યારે પણ અમે એક જ ટીમમાં હોઇએ છીએ તો અમે એક સાથે ઘણો સમય વિતાવતા હતા. હું તેની પાસેથી ઘણું બધુ શીખું છું.

હા તેને રાહ જોવી પડી, પરંતુ હવે તે પોતાના અનુભવનો સારો ઉપયોગ કરી રહ્યો છે. મુંબઇ માટે ઘરેલુ ક્રિકેટ રમાનાર 25 વર્ષીય સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. સરફરઝ ખાન છેલ્લી બે રણજી ટ્રોફી સત્રમાં 12 મેચોમાં 136.42ની એવરેજથી 1910 રન બનાવી ચૂક્યો છે. તો એક અન્ય ન્યૂઝ ચેનલ દ્વારા સરફરાઝ ખાનનું ઇન્ટરવ્યૂ લેવાં આવ્યું હતું. ઘણી વખત થાય છે ક્રિકેટરનું નામ ભારતી ટીમમાં આવ્યા બાદ થાય છે, પરંતુ તમે તેના વિના જ ચર્ચામાં રહો છો. તેની બાબતે શું કહેશો?

તેના પર સરફરઝે કહ્યું કે, હું બસ મહેનત પર ધ્યાન આપું છું. જેટલું બની શકે મહેનત કરું, જે વાતોનું પાલન કરતો આવી રહ્યો છું, તેનું પાલન કરું. જેમ છેલ્લા 3 વર્ષથી મારું ફોર્મ ચાલી રહ્યું છે. હું તેને યથાવત રાખવાનો પ્રયત્ન કરું છું. એટલે અમારું ફોર્મ સારું ચાલી રહ્યું છે. જ્યારે તમારી બાબતે ચર્ચા થાય છે. તમે રન બનાવી રહ્યા છો. સતત ઘણી સીઝનથી રન બનાવી રહ્યા છો. આજકાલ જે પણ મળે છે તે બોલે છે કે સરફરાઝને ચાંસ મળવો જોઇએ. આ વાતો તમને આત્મવિશ્વાસ આપે છે કે પછી નિરાશા થાય છે. તમારો નજરિયો શું હોય છે?

આ સવાલનો જવાબ આપતા તેણે કહ્યું કે, હું સીઝનના સમયે એ જ વિચારું છું કે હું જે પણ મેચ રમી રહ્યો છું તેમાં રન બનાવું. પછી તે રણજી ટ્રોફી હોય, વિજય હજારે ટ્રોફી હોય કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હોય. હું હંમેશાં રન બનાવવા માગું છું. જે હાલમાં મારા હાથમાં છે તેના પર વધારે ધ્યાન આપી રહ્યો છું. જે મારા હાથમાં નથી તેની બાબતે વિચારવામાં કોઇ ફાયદો નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.