શું શુભમન ગિલ પોતાની કીટ જ ભૂલી આવ્યો હતો? એડિલેડ વન-ડેમાં આ ક્રિકેટરની જર્સી પહેરીને ફિલ્ડિંગ કરવા ઉતર્યો

ભારતીય ટીમને એડિલેડ ઓવલ ખાતે રમાયેલી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે ભારતીય ટીમે 3 મેચની વન-ડે શ્રેણી ગુમાવી દીધી. વન-ડે શ્રેણીનો ત્રીજી અને અંતિમ મેચ 25 ઓક્ટોબર, શનિવારના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરવા માટે માંગશે.

શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ વન-ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. કેપ્ટન તરીકે ગિલની આ બીજી વન-ડે મેચ હતી. તેણે અગાઉ પર્થ વન-ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને ભારતની વન-ડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Gill1

કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જાયસ્વાલ અને ધ્રૂવ જુરેલને એડિલેડ વન-ડે માં તક મળી નહોતી. જોકે, જુરેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હોવા છતા લાઈમલાઇટમાં રહ્યો. ભારતીય કેપ્ટન શુભમન ગિલ જુરેલની જર્સી પહેરીને ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. મેદાન પર ખેલાડીઓને થોડી ઠંડી લાગી રહી હતી. કેપ્ટન શુભમન ગિલ કદાચ પોતાની કીટ લાવવાનું ભૂલી ગયો હતો, એટલે તેણે જુરેલનું સ્વેટર પહેરી લીધું હતું.

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તે પર્થ વન-ડેમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો, જ્યારે એડિલેડ વન-ડેમાં તે 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ખાસ કરીને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, તે બંને મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.Gill

 

એડિલેડ વન-ડેમાં, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયરે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું. રોહિતે 97 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેયસે 77 બોલમાં 61 રનનું યોગદાન આપ્યું, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત અને શ્રેયસની અડધી સદી સાથે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 264 રન બનાવ્યા હતા.

જોકે, ઓસ્ટ્રેલિયન ટીમે 46.2 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેથ્યૂ શૉર્ટના 74 અને કૂપર કોનોલીના અણનમ 61 રનની મદદથી ઓસ્ટ્રેલિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચાર ખેલાડીઓને આઉટ કરનારા એડમ ઝમ્પાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આઆવ્યો હતો.

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.