'..તો સવારે ઉઠીને નિવૃત્તિ માટે ટ્વીટ કરીશ', ઈજાથી ઝઝૂમતા શમીનું મોટું નિવેદન

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલના સમયે પગમાં ઘૂંટીની ઈજાના કારણે બ્રેક પર છે. પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહેલા મોહમ્મદ શમી હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. પરંતુ આ દરમિયાન મોહમ્મદ શમીએ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે.

શમીએ કહ્યું છે કે, તે ક્યારે ક્રિકેટને અલવિદા કહેશે. તેણે કહ્યું કે, જે કોઈ પણ દિવસે હું ક્રિકેટથી કંટાળો અનુભવવા લાગીશ ત્યારે, તે સવારે હું જાગીશ અને મારી નિવૃત્તિ વિશે ટ્વિટ કરી દઈશ. અહીં તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ મીડિયા સૂત્રો સાથેની એક વાતચીતમાં આ વાત કહી છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. આ પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જોકે, ઈજા ક્યારે થઈ તે જાણી શકાયું નથી. હાલ મોહમ્મદ શમી આ ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે.

આ દરમિયાન શમીએ પોતાની નિવૃત્તિ વિશે વાત કરતાં કહ્યું, 'જે દિવસે હું ક્રિકેટથી કંટાળી જઈશ, ત્યારે જ હું તેને છોડી દઈશ. મારે કોઈ વસ્તુનો બોજ ઉઠાવવાની જરૂર નથી અને કોઈ મને સમજાવવાવાળું પણ નથી. તેમજ મારા પરિવારમાં કોઈ મને કંઈ કહેતું નથી. જે દિવસે હું સવારે ઉઠ્યો અને ત્યારે મને લાગ્યું કે, અરે મારે ગ્રાઉન્ડ પર જવું પડશે. તે જ દિવસે હું પોતે ટ્વિટ કરીશ કે, હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.'

એવા પણ અહેવાલો આવ્યા છે કે, મોહમ્મદ શમીની બાયોપિક આવવાની છે. જો કે તેમાં કોણ અભિનેતા હશે તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે શમીએ પોતાની બાયોપિકના સવાલનો યોગ્ય જવાબ આપ્યો છે. તેણે કહ્યું, 'હા, મારી બાયોપિક પણ આવશે. જો કોઈ એક્ટર નહીં હોય તો ક્રિકેટ છોડ્યા પછી હું પોતે મારી જ બાયોપિકમાં કામ કરી લઇશ.'

 
 
 
View this post on Instagram

A post shared by ???????? ????? (@mdshami.11)

શમીને વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પણ તેણે એકદમ બિન્દાસ જવાબ આપ્યો હતો. શમીએ કહ્યું, 'વિરાટ કોહલી ખૂબ જ પ્રેમથી શોટ્સ રમે છે. પરંતુ જ્યાં સુધી રોહિત રમે છે ત્યાં સુધી તે ખૂબ જ ગંદુ અને દૂર દૂર સુધી ફટકા મારે છે.'

મોહમ્મદ શમીએ કહ્યું, 'રોહિત શર્મા વિરાટ કરતા વધુ ખતરનાક બેટ્સમેન છે. એક કેપ્ટન તરીકે મને મહેન્દ્ર સિંહ ધોની વધુ ખાસ લાગે છે, કારણ કે તેણે 3-3 ટ્રોફી જીતાવી છે. સંભવતઃ ધોની જેવું અત્યાર સુધી કોઈ મેળવી શક્યું નથી.'

Top News

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.