'..તો સવારે ઉઠીને નિવૃત્તિ માટે ટ્વીટ કરીશ', ઈજાથી ઝઝૂમતા શમીનું મોટું નિવેદન

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલના સમયે પગમાં ઘૂંટીની ઈજાના કારણે બ્રેક પર છે. પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહેલા મોહમ્મદ શમી હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. પરંતુ આ દરમિયાન મોહમ્મદ શમીએ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે.

શમીએ કહ્યું છે કે, તે ક્યારે ક્રિકેટને અલવિદા કહેશે. તેણે કહ્યું કે, જે કોઈ પણ દિવસે હું ક્રિકેટથી કંટાળો અનુભવવા લાગીશ ત્યારે, તે સવારે હું જાગીશ અને મારી નિવૃત્તિ વિશે ટ્વિટ કરી દઈશ. અહીં તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ મીડિયા સૂત્રો સાથેની એક વાતચીતમાં આ વાત કહી છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. આ પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જોકે, ઈજા ક્યારે થઈ તે જાણી શકાયું નથી. હાલ મોહમ્મદ શમી આ ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે.

આ દરમિયાન શમીએ પોતાની નિવૃત્તિ વિશે વાત કરતાં કહ્યું, 'જે દિવસે હું ક્રિકેટથી કંટાળી જઈશ, ત્યારે જ હું તેને છોડી દઈશ. મારે કોઈ વસ્તુનો બોજ ઉઠાવવાની જરૂર નથી અને કોઈ મને સમજાવવાવાળું પણ નથી. તેમજ મારા પરિવારમાં કોઈ મને કંઈ કહેતું નથી. જે દિવસે હું સવારે ઉઠ્યો અને ત્યારે મને લાગ્યું કે, અરે મારે ગ્રાઉન્ડ પર જવું પડશે. તે જ દિવસે હું પોતે ટ્વિટ કરીશ કે, હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.'

એવા પણ અહેવાલો આવ્યા છે કે, મોહમ્મદ શમીની બાયોપિક આવવાની છે. જો કે તેમાં કોણ અભિનેતા હશે તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે શમીએ પોતાની બાયોપિકના સવાલનો યોગ્ય જવાબ આપ્યો છે. તેણે કહ્યું, 'હા, મારી બાયોપિક પણ આવશે. જો કોઈ એક્ટર નહીં હોય તો ક્રિકેટ છોડ્યા પછી હું પોતે મારી જ બાયોપિકમાં કામ કરી લઇશ.'

 
 
 
View this post on Instagram

A post shared by ???????? ????? (@mdshami.11)

શમીને વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પણ તેણે એકદમ બિન્દાસ જવાબ આપ્યો હતો. શમીએ કહ્યું, 'વિરાટ કોહલી ખૂબ જ પ્રેમથી શોટ્સ રમે છે. પરંતુ જ્યાં સુધી રોહિત રમે છે ત્યાં સુધી તે ખૂબ જ ગંદુ અને દૂર દૂર સુધી ફટકા મારે છે.'

મોહમ્મદ શમીએ કહ્યું, 'રોહિત શર્મા વિરાટ કરતા વધુ ખતરનાક બેટ્સમેન છે. એક કેપ્ટન તરીકે મને મહેન્દ્ર સિંહ ધોની વધુ ખાસ લાગે છે, કારણ કે તેણે 3-3 ટ્રોફી જીતાવી છે. સંભવતઃ ધોની જેવું અત્યાર સુધી કોઈ મેળવી શક્યું નથી.'

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.