હવે મને કોઈ ગાળ નથી આપતું, બધા ભૂલી ગયા કે.., આખરે દાદાનું કઇ વાત પર છલકાયુ દર્દ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, જ્યારે તેમણે રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટન્સી સોંપી ત્યારે લોકોએ તેમને ગમે તેમ કહ્યું, પરંતુ હવે જ્યારે રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં ભારતને T20 વર્લ્ડ કપની વિજેતા બનાવી છે ત્યારે બધા ટીકાકારોના મોઢા બંધ થઈ ગયા. 2021 T20 વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીએ T20 ટીમની કેપ્ટનસીથી રાજીનામું આપીને બધાને હેરાન કરી દીધા હતા. વિરાટ કોહલીએ એક મહિનાની અંદર વન-ડે અને ટેસ્ટની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી.

આ દરમિયાન વિરાટ કોહલીએ એવો કર્યો કે, તેને દક્ષિણ આફ્રિકા 2021-22 પ્રવાસની ટીમ સિલેક્શન બેઠકથી 90 મિનિટ અગાઉ બતાવવામાં આવ્યું કે, તેને વન-ડે ટીમની કેપ્ટન્સીથી હટાવવામાં આવી રહ્યો છે. તેમણે BCCIના એ દાવાનું ખંડન કર્યું હતું કે આ નિર્ણય બાબતે તેને ખૂબ પહેલા બતાવી દેવામાં આવ્યું હતું. સૌરવ ગાંગુલીએ એ સમયને યાદ કર્યો, જ્યારે રોહિત શર્માને કેપ્ટન બનાવવા માટે તેમની નિંદા કરવામાં આવી રહી હતી.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જ્યારે મેં રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટન્સી સોંપી તો બધાએ મારી નિંદા કરી. હવે જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ જીતી લીધો તો બધાએ તેના માટે મને ગાળો આપવાનું બંધ કરી દીધું. વાસ્તવમાં મને લાગે છે કે દરેક એ ભૂલી ગયું છે કે મેં જ તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકામાં સીરિઝ હાર્યા બાદ કોહલીએ ભારતની ટેસ્ટ કેપ્ટન્સી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તત્કાલીન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ હતી. અહી સુધી કે, કેટલાક લોકોએ કોહલીને પદ પરથી હટવા મજબૂર કરવા માટે દોષી પણ બતાવ્યા હતા, પરંતુ એ સમય હવે ભૂતકાળની વાત લાગે છે, જ્યારે રોહિત શર્માના નેતૃત્વમાં ભારત T20 ચેમ્પિયન બન્યું, જેણે કોહલીની જગ્યાએ બધા ફોર્મેટમાં કેપ્ટન્સી સંભાળી.

About The Author

Top News

એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ કેમ થયું? એ કયા કારણો હતા જેના કારણે અમદાવાદથી ફ્લાઇટ પૂર્ણ ન થઈ શકી? આ...
Gujarat 
 એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.