'તમે કંઈ રજા માણવા નથી આવ્યા...', ગંભીરનું BCCIના ફેમિલી નિયમનું સમર્થન, કોહલીએ કરી હતી ટીકા!

ઓસ્ટ્રેલિયામાં 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું. તેણે પરિવારોને વિદેશી પ્રવાસો પર લઈ જવા અંગે નવા નિયમો બહાર પાડયા હતા. ઘણા ખેલાડીઓના આ અંગે અલગ અલગ મંતવ્યો હતા. કેટલાકે તેનો વિરોધ કર્યો હતો, તો કેટલાકે તેનું સમર્થન કર્યું હતું. ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ તેની તીવ્ર ટીકા કરી હતી. હવે કોચ ગૌતમ ગંભીરે તેનાથી વિરુદ્ધ નિયમોનું સમર્થન કર્યું છે. તેમણે BCCIનો જોરદાર બચાવ કર્યો છે.

Gautam-Gambhir2
firstindia-co-in.translate.goog

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ માટે 10-મુદ્દાનો હુકમ બહાર પાડયો હતો, જેમાં વિદેશી પ્રવાસો પર રહેવા માટેના નિયમો કડક બનાવ્યા હતા. જે મુખ્ય નિયમ, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું અને કેટલાક ગ્રુપમાં હોબાળો મચાવ્યો તે હતો સમગ્ર વિદેશી પ્રવાસ દરમિયાન પરિવારોને ખેલાડીઓ સાથે રહેવાની મંજૂરી ન આપવાનો નિર્ણય. BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 45 દિવસથી વધુના પ્રવાસો પર, પત્નીઓ/ગર્લફ્રેન્ડ અને બાળકો ફક્ત બે અઠવાડિયા માટે ખેલાડીઓ સાથે રહી શકે છે.

Gautam-Gambhir,-Virat-Kohli1
livehindustan.com

આ નિયમ બહાર પડયાના થોડા દિવસો પછી, કોહલીએ ભારત માટે બીજી ટેસ્ટ મેચ રમતા પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલીએ માર્ચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં કહ્યું કે, 'લોકોને એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે, જ્યારે પણ તમે બહાર કંઈક ટેન્શનનો અનુભવ કરો છો ત્યારે તમારા પરિવાર પાસે પાછા ફરવું કેટલું મહત્વપૂર્ણ છે. મને નથી લાગતું કે લોકો સમજે છે કે તેનું કેટલું મૂલ્ય છે અને હું ખૂબ જ નિરાશ છું, કારણ કે તે એવા લોકો જેવું છે જેમનો હાલમાં જે ચાલી રહ્યું છે તેના પર કોઈ નિયંત્રણ નથી. તેમને વાતચીતમાં લાવવામાં આવે છે અને સૌથી આગળ મૂકવામાં આવે છે કે, ઓહ, કદાચ તેમને દૂર રાખવા જોઈએ.'

Gautam-Gambhir3
crickettimes-com.translate.goog

કોહલીએ આગળ કહ્યું, 'જો તમે કોઈ ખેલાડીને પૂછો, શું તમે ઇચ્છો છો કે તમારો પરિવાર હંમેશા તમારી આસપાસ રહે? તમે કહેશો, હા. હું મારા રૂમમાં જઈને એકલા બેસીને દુઃખી થવા માંગતો નથી. હું સામાન્ય રહેવા માંગુ છું અને પછી તમે ખરેખર તમારી રમતને જવાબદારી તરીકે લઈ શકો છો. તમે તે જવાબદારી પૂર્ણ કરો છો અને તમે ફરીથી જીવંત થાઓ છો.' BCCI દ્વારા કડક નિયમો બહાર પડયાના થોડા દિવસો પછી, રોહિત શર્મા દ્વારા અજિત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ પહેલાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગેની ટિપ્પણી વાયરલ થઈ હતી.

Gautam-Gambhir,-Virat-Kohli3
ndtv.in

ગંભીરે પહેલી વાર આ મુદ્દા પર વાત કરી અને BCCIના નિયમનો મજબૂત રીતે બચાવ કર્યો. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચે કહ્યું કે, જો કે તે પરિવારોને સાથે રાખવાની વિરુદ્ધ નથી, પરંતુ તેમણે ભાર મૂક્યો કે, ખેલાડીઓ વિદેશમાં રજા માણવા નથી આવી રહ્યા અને તેઓએ તેમના અંતિમ લક્ષ્યથી વાકેફ હોવા જોઈએ. એક સ્પોર્ટ્સ ચેનલ પર ચેતેશ્વર પૂજારા સાથેની વાતચીતમાં, ગંભીરે કહ્યું, 'પરિવારો મહત્વપૂર્ણ છે, પરંતુ તમારે એક વાત સમજવી પડશે. તમે અહીં એક હેતુ માટે છો. આ કોઈ રજા માણવાની નથી. તમે અહીં એક મોટા હેતુ માટે છો. તે ડ્રેસિંગ રૂમમાં અથવા આ પ્રવાસ પર બહુ ઓછા લોકોને દેશને ગૌરવ અપાવવાની તક મળે છે. તો હા, હું પરિવારો સાથે ન રાખવાની વિરુદ્ધ નથી. પરિવારો હોવા મહત્વપૂર્ણ છે, પરંતુ જો તમારું ધ્યાન આપણા દેશને ગૌરવ અપાવવા પર હોય અને તમારી ભૂમિકા બીજી કોઈ પણ વસ્તુ કરતાં ઘણી મોટી હોય. તમે તે ધ્યેય માટે પ્રતિબદ્ધ છો. તમે તે હેતુ માટે પ્રતિબદ્ધ છો, તો મને લાગે છે કે બધું બરાબર છે. મારા માટે, મને લાગે છે કે, તે હેતુ અને તે ધ્યેય બીજા કોઈપણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.'

About The Author

Related Posts

Top News

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતું નિગમ છે અને એની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓ ખૂબ...
Opinion 
મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો...
National 
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી

ધોરણ 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર છપાયેલા QR કોડે સોશિયલ મીડિયા પર વિવાદ જગાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો...
Education 
ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.