'તમે કંઈ રજા માણવા નથી આવ્યા...', ગંભીરનું BCCIના ફેમિલી નિયમનું સમર્થન, કોહલીએ કરી હતી ટીકા!

ઓસ્ટ્રેલિયામાં 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું. તેણે પરિવારોને વિદેશી પ્રવાસો પર લઈ જવા અંગે નવા નિયમો બહાર પાડયા હતા. ઘણા ખેલાડીઓના આ અંગે અલગ અલગ મંતવ્યો હતા. કેટલાકે તેનો વિરોધ કર્યો હતો, તો કેટલાકે તેનું સમર્થન કર્યું હતું. ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ તેની તીવ્ર ટીકા કરી હતી. હવે કોચ ગૌતમ ગંભીરે તેનાથી વિરુદ્ધ નિયમોનું સમર્થન કર્યું છે. તેમણે BCCIનો જોરદાર બચાવ કર્યો છે.

Gautam-Gambhir2
firstindia-co-in.translate.goog

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ માટે 10-મુદ્દાનો હુકમ બહાર પાડયો હતો, જેમાં વિદેશી પ્રવાસો પર રહેવા માટેના નિયમો કડક બનાવ્યા હતા. જે મુખ્ય નિયમ, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું અને કેટલાક ગ્રુપમાં હોબાળો મચાવ્યો તે હતો સમગ્ર વિદેશી પ્રવાસ દરમિયાન પરિવારોને ખેલાડીઓ સાથે રહેવાની મંજૂરી ન આપવાનો નિર્ણય. BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 45 દિવસથી વધુના પ્રવાસો પર, પત્નીઓ/ગર્લફ્રેન્ડ અને બાળકો ફક્ત બે અઠવાડિયા માટે ખેલાડીઓ સાથે રહી શકે છે.

Gautam-Gambhir,-Virat-Kohli1
livehindustan.com

આ નિયમ બહાર પડયાના થોડા દિવસો પછી, કોહલીએ ભારત માટે બીજી ટેસ્ટ મેચ રમતા પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલીએ માર્ચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં કહ્યું કે, 'લોકોને એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે, જ્યારે પણ તમે બહાર કંઈક ટેન્શનનો અનુભવ કરો છો ત્યારે તમારા પરિવાર પાસે પાછા ફરવું કેટલું મહત્વપૂર્ણ છે. મને નથી લાગતું કે લોકો સમજે છે કે તેનું કેટલું મૂલ્ય છે અને હું ખૂબ જ નિરાશ છું, કારણ કે તે એવા લોકો જેવું છે જેમનો હાલમાં જે ચાલી રહ્યું છે તેના પર કોઈ નિયંત્રણ નથી. તેમને વાતચીતમાં લાવવામાં આવે છે અને સૌથી આગળ મૂકવામાં આવે છે કે, ઓહ, કદાચ તેમને દૂર રાખવા જોઈએ.'

Gautam-Gambhir3
crickettimes-com.translate.goog

કોહલીએ આગળ કહ્યું, 'જો તમે કોઈ ખેલાડીને પૂછો, શું તમે ઇચ્છો છો કે તમારો પરિવાર હંમેશા તમારી આસપાસ રહે? તમે કહેશો, હા. હું મારા રૂમમાં જઈને એકલા બેસીને દુઃખી થવા માંગતો નથી. હું સામાન્ય રહેવા માંગુ છું અને પછી તમે ખરેખર તમારી રમતને જવાબદારી તરીકે લઈ શકો છો. તમે તે જવાબદારી પૂર્ણ કરો છો અને તમે ફરીથી જીવંત થાઓ છો.' BCCI દ્વારા કડક નિયમો બહાર પડયાના થોડા દિવસો પછી, રોહિત શર્મા દ્વારા અજિત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ પહેલાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગેની ટિપ્પણી વાયરલ થઈ હતી.

Gautam-Gambhir,-Virat-Kohli3
ndtv.in

ગંભીરે પહેલી વાર આ મુદ્દા પર વાત કરી અને BCCIના નિયમનો મજબૂત રીતે બચાવ કર્યો. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચે કહ્યું કે, જો કે તે પરિવારોને સાથે રાખવાની વિરુદ્ધ નથી, પરંતુ તેમણે ભાર મૂક્યો કે, ખેલાડીઓ વિદેશમાં રજા માણવા નથી આવી રહ્યા અને તેઓએ તેમના અંતિમ લક્ષ્યથી વાકેફ હોવા જોઈએ. એક સ્પોર્ટ્સ ચેનલ પર ચેતેશ્વર પૂજારા સાથેની વાતચીતમાં, ગંભીરે કહ્યું, 'પરિવારો મહત્વપૂર્ણ છે, પરંતુ તમારે એક વાત સમજવી પડશે. તમે અહીં એક હેતુ માટે છો. આ કોઈ રજા માણવાની નથી. તમે અહીં એક મોટા હેતુ માટે છો. તે ડ્રેસિંગ રૂમમાં અથવા આ પ્રવાસ પર બહુ ઓછા લોકોને દેશને ગૌરવ અપાવવાની તક મળે છે. તો હા, હું પરિવારો સાથે ન રાખવાની વિરુદ્ધ નથી. પરિવારો હોવા મહત્વપૂર્ણ છે, પરંતુ જો તમારું ધ્યાન આપણા દેશને ગૌરવ અપાવવા પર હોય અને તમારી ભૂમિકા બીજી કોઈ પણ વસ્તુ કરતાં ઘણી મોટી હોય. તમે તે ધ્યેય માટે પ્રતિબદ્ધ છો. તમે તે હેતુ માટે પ્રતિબદ્ધ છો, તો મને લાગે છે કે બધું બરાબર છે. મારા માટે, મને લાગે છે કે, તે હેતુ અને તે ધ્યેય બીજા કોઈપણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.'

About The Author

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.