સૂર્યકુમાર કેપ્ટન તો બન્યો પરંતુ આ 3 પડકાર સામે છે, રોહિતની જગ્યા લેવી આસાન નથી

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થવા પર ખુશી વ્યક્ત કરતા સૂર્યકુમાર યાદવે શુક્રવારે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયા સપનાથી ઓછા નથી. સૂર્યાએ તેમનામાં વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો, પરંતુ 33 વર્ષીય આ ખેલાડીએ સામે ઉભેલા મોટા પડકારોનો સામનો કરવો પડશે.

સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 18 જુલાઈ 2024ની રાત ક્યારેય નહીં ભૂલે. હાર્દિક પંડ્યાને સાઇડલાઇન કરીને તેને ભારતીય T-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે સૂર્યાને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો પીઠબળ છે. 27 જુલાઈથી શરૂ થઈ રહેલા શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમે ત્યાં ત્રણ T20 અને તેટલી જ ODI મેચ રમવાની છે. એવું નથી કે સૂર્યાને પહેલીવાર કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ આ વખતે વાત અલગ છે. ટીમ મેનેજમેન્ટ તેને 2026માં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ સુધી કેપ્ટન તરીકે બનાવી રાખવા માંગે છે, તેથી આ વખતે તેને અલગ-અલગ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલો શ્રીલંકા પ્રવાસ દરમિયાન તેની સામે આવનારા ત્રણ મુશ્કેલ પડકારો પર એક નજર કરીએ...

33 વર્ષીય સૂર્યકુમાર યાદવને ટોચના સ્તરે કેપ્ટનશિપનો ખૂબ જ મર્યાદિત અનુભવ છે. અત્યાર સુધીમાં તેને માત્ર સાત T-20માં ભારતની કેપ્ટનશીપ કરવાની તક મળી છે, જેમાં મેન ઇન બ્લુ ટીમે પાંચ મેચ જીતી છે. સૂર્યાના નેતૃત્વમાં જ ટીમે ઓસ્ટ્રેલિયાને હોમ સિરીઝમાં 4-1થી હરાવ્યું હતું. આ પછી, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર, તે T-20 શ્રેણી 1-1થી રમીને પાછો ફર્યો. હવે આગામી છ મહિનામાં ખબર પડશે કે, તે તેના પર મુકવામાં આવેલા વિશ્વાસ પર કેટલી હદે ખરો ઉતરી શક્યો છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી પણ દર્શાવે છે કે, પસંદગીકારો અને કોચ મર્યાદિત ઓવરોના ક્રિકેટને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોહિતની નિવૃત્તિ પછી ટીમને હવે એવા કેપ્ટનની જરૂર પડશે જે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખુશનુમા રાખે. છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ત્રણેય ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, આવી સ્થિતિમાં સૂર્યા પાસે તમામ ખેલાડીઓને સાથે લઈને આ જ પ્રકારના ગુણવત્તાની અપેક્ષા રાખવામાં આવશે.

કેપ્ટનશિપની મોટી જવાબદારી મળ્યા પછી હવે સૂર્યકુમાર યાદવની ખરી લિટમસ ટેસ્ટ શરૂ થશે. જવાબદારી મળ્યા પછી કેટલાક ખેલાડી આ જવાબદારીથી દબાઈ જાય છે, તો કેટલાક ખેલાડી તે જવાબદારી પછી ખીલી જાય છે. સુકાનીપદ સંભાળતી વખતે સૂર્યાનું બેટ પણ અત્યાર સુધી સફળ રહ્યું છે. સાત મેચમાં તેણે 42.85ની એવરેજથી એક સદી અને બે અડધી સદી સાથે 300 રન બનાવ્યા છે. યાદવ સહિત સમગ્ર ભારતીય ટીમ ઈચ્છે છે કે સુકાનીપદની જવાબદારી સંભાળ્યા પછી તેનું આ ફોર્મ પણ અકબંધ રહે.

About The Author

Top News

વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા OTT પ્લેટફોર્મ પર વધતા નકલી કોલ્સને રોકવા માટે સરકારે મોટી તૈયારીઓ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ...
Tech and Auto 
વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર
Copyright (c) Khabarchhe All Rights Reserved.