સૂર્યાએ AAP નેતાની ચેલેન્જ સ્વીકારી, કહ્યું- મારી એશિયા કપની મેચ ફી...

પહેલગામ ઘટના બાદ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પર બોખલાયેલી પડોશી દેશ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય ટીમના ઓપરેશન તિલકથી હચમચી ગઈ હતી. આ રોમાંચક ફાઇનલ મેચમાં ભારતના 11 યોદ્ધાઓએ એવી રમત બતાવી કે વિશ્વભરના ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ. ભારતીય ટીમે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમને 5 વિકેટથી હરાવી. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમને ત્રીજી વખત હરાવી. પાકિસ્તાની ટીમને હરાવીને ભારતે બતાવી દીધું કે ક્રિકેટમાં બાદશાહી અમારી છે. આ રીતે ભારતે રેકોર્ડ 9મી વખત એશિયા કપ જીત્યો (7 વખત વન-ડે અને બે વખત T20 ફોર્મેટમાં).

suryakumar
https://x.com/IPL2025Auction

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેણે કહ્યું કે, તે તાજેતરમાં સમાપ્ત થયેલા એશિયા કપમાંથી પોતાની પૂરી મેચ ફી દેશના સશસ્ત્ર સેનાઓ અને પહેલગામ ઘટનાના પીડિતોને દાન કરશે.  28 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ, સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘મેં આ ટુર્નામેન્ટ માટે મારી મેચ ફી આપણા સશસ્ત્ર સેનાઓ અને પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તમે હંમેશાં મારા વિચારોમાં રહો છો. જય હિંદ.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ટીમ ઈન્ડિયાને ચેલેન્જ આપી હતી કે, તમે દેખાડો ન કરો, તમારામાં હિંમત હોય તો આ એશિયા કપમાં કમાયેલી તમામ રકમ પહેલગામના પીડિતોને ડોનેટ કરી દો. હાલમાં સૂર્યાએ પોતાની મેચ ફી તો ઈન્ડિયન આર્મીને આપવાનું કહ્યું છે. બાકી ખેલાડીઓએ હજુ કોઈ જાહેરાત નથી કરી.

નોંધનીય છે કે, T20 ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓને પ્રતિ મેચ 4 લાખ ફી મળે છે. આમ 7 મેચ રમીને સૂર્યકુમાર યાદવ ભારતીય સેનાને કુલ 28 લાખ રૂપિયાનું દાન કરશે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનથી અંતર જાળવી રાખ્યું. પરિણામે, ભારતીય ટીમે સતત ત્રણ મેચમાં પાકિસ્તાની ટીમને હરાવી અને ટ્રોફી કબજે કરી. ભારતીય ટીમે ફાઇનલ જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણે એવોર્ડ સમારોહ લગભગ એક કલાક માટે વિલંબિત થયો હતો.

Team India
https://x.com/surya_14kumar

પાકિસ્તાનના ગૃહમંત્રી, ACC અધ્યક્ષ હોવાને કારણે ટ્રોફી આપવા માગતા હતા, પરંતુ ભારતીય ટીમે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મોહસીન નકવી લગભગ અડધા કલાક સુધી સ્ટેજ પર ઉભા રહ્યા, તેમની સાથે અમીરાત ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ સ્ટેજ પર ઊભા હતા. ભારતીય ટીમ એક તરફ ઉભી રહી, જ્યારે લાંબા સમયથી ડ્રેસિંગ રૂમમાં રહેલી પાકિસ્તાની ટીમ બહાર આવીને બીજી તરફ ઉભી રહી. એક સમયે વિજેતા ટ્રોફીને મેદાનની બહાર પણ લઈ જવામાં આવી હતી. આખરે પ્રેઝન્ટરે કહ્યું કે, ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, જેથી એવોર્ડ સમારોહ સમાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ મોહસીન નકવી ભાગી ગયો. ભારતીય ટીમે ટ્રોફી વિના ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો. આ પહેલીવાર છે જ્યારે કોઈ વિજેતા ટીમે ટ્રોફી વિના ઉજવણી કરી છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.