ગૌતમ અદાણીએ ભારતની 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ સાથે ફોટો કેમ પડાવ્યો?

બરાબર 40 વર્ષ પહેલાં, હોકીથી ગ્રસિત દેશમાં ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ. જ્યારે ભારતીય ટીમે ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં કપિલ દેવની કપ્તાનીમાં તેનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. બે વર્ષ પહેલા દુનિયા છોડી ગયેલા યશપાલ શર્મા સિવાયની તે 14 સભ્યોની વિજેતા ટુકડીના દરેક સભ્યો થોડા દિવસો પહેલા યોજાયેલા સન્માન સમારોહમાં હાજર હતા. પ્રસંગ હતો દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61માં જન્મદિવસનો. આ તમામ દિગ્ગજો ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક ખાસ મિશન માટે એકઠા થયા હતા.

અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સમર્થનમાં 'જીતેંગે હમ' નામનું અભિયાન શરૂ કર્યું હતું. પોર્ટ્સ-ટુ-એનર્જી ગ્રૂપે 24 જૂનના રોજ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના અનુભવીઓને ભેગા કર્યા. અદાણી ગ્રુપના મુખ્ય મથકે હાજર રહેવાવાળા 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના અન્ય દિગ્ગજ ક્રિકેટરોમાં વાઈસ-કેપ્ટન મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, વિકેટ-કીપર સૈયદ કિરમાણી, રોજર બિન્ની, મદન લાલ, સંદીપ પાટીલ, બલવિંદર સિંહ સંધુ, કૃષ્ણમાચારી શ્રીકાંત, દિલીપ વેંગસરકર અને સુનિલ વાલ્સન વિગેરેએ હાજરી આપી હતી.

ભારતીય ક્રિકેટ ચાહકોને એક કરવા માટે Twitter અને Instagram પર #JeetengeHum સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચેરમેન ગૌતમ અદાણી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ક્રિકેટ એ આપણા દેશમાં લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમમાં એક જોડતી શક્તિ છે. વાર્તાઓ બનતી નથી પણ પરિશ્રમ અને ખંતથી સામે આવે છે. ટીમ ઈન્ડિયામાં આ બંને ગુણ હોવા જોઈએ, જેણે અમને 1983માં વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી.'

ભારતની આ ચેમ્પિયન ટીમના સ્ટાર્સને અહીં બોલાવવાનું એક ખાસ કારણ હતું. ભારતીય ટીમે 25 જૂને 1983માં વર્લ્ડ કપ જીત્યો હતો. એટલે કે 24મી જૂને આ ભારતીય ટીમની જીતનો જન્મદિવસ છે, ગૌતમ અદાણીના જન્મદિવસના બીજા જ દિવસે. ચાર દાયકા પછી પણ આ સ્ટાર્સને દરેક ખાસ પ્રસંગે યાદ કરવામાં આવે છે. હાલમાં જ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 83 પણ આ ટીમનો મહિમા બતાવવા માટે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી.

ગૌતમ અદાણીના જન્મદિવસના અવસર પર ભારતીય ટીમના તે સ્ટાર્સ પહોંચ્યા જેમણે પ્રથમ વખત દરેક ભારતીયને ક્રિકેટના મેદાન પરથી ખુશીની ક્ષણ આપી હતી. આ સ્ટાર્સ આવતાની સાથે જ આખા હોલમાં તાળીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. લંડનમાં રવિ શાસ્ત્રી અને દિવંગત યશપાલ શર્માની હાજરી સિવાય ટીમના લગભગ તમામ ખેલાડીઓ આ પ્રસંગે હાજર હતા. આ પ્રસંગે BCCI પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. અહીં હાજર તમામ વર્લ્ડ ચેમ્પિયન સ્ટાર્સે તેમની યાદોને તાજી કરી અને સ્ટેજ પર તેમના અનુભવો શેર કર્યા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.