આખરે રોહિત-વિરાટ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડીઝ કેમ ન ગયા? કારણ જાહેર કર્યું

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ પછી ટીમ ઇન્ડીયા વેસ્ટ ઇન્ડીઝ સામે ODI અને T20 સિરીઝ પણ રમશે. આ દરમિયાન ટીમ ઇન્ડીયાના કેટલાક ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ પહોંચી ગયા છે.

જ્યાં એક તરફ ટીમ ઇન્ડીયાએ કેરેબિયન ટીમ સામે રમવા માટે વિન્ડીઝ પહોંચવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ ટીમના સૌથી સિનિયર ખેલાડીઓ એટલે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા ન તો ટીમ ઇન્ડીયા સાથે જોડાયા છે અને ન તો તેઓ ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝ જશે, ચાલો જાણીએ આવું કેમ.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ મેચ રમાશે, ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ પહોંચવા લાગ્યા છે, રોહિત-વિરાટ વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર ટીમ સાથે કેમ નથી જઈ રહ્યા, વેસ્ટ ઇન્ડીઝ સામે કેટલી મેચોની સિરીઝ રમાવાની છે.

હકીકતમાં WTC પછી ટીમ ઇન્ડીયા એક મહિનાની રજા પર હતી. આ દરમિયાન તમામ ક્રિકેટરોએ પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. જ્યાં એક તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેના પરિવાર સાથે પેરિસમાં રજાઓ માણી રહ્યો છે, તો બીજી તરફ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે લંડનમાં રજાઓ માણી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે બંને ખેલાડીઓ પેરિસ અને લંડનથી જ વેસ્ટ ઇન્ડીઝ માટે રવાના થશે.

ભારતીય ખેલાડીઓ વિન્ડીઝ પ્રવાસ માટે ટુકડે-ટુકડે વેસ્ટ ઇન્ડીઝ આવવા લાગ્યા છે. આવું એટલા માટે થયું, કારણ કે BCCIને એક ફ્લાઈટમાં તમામ ખેલાડીઓની ટિકિટ મળી શકી ન હતી. જેના કારણે પ્રથમ બેચમાં રવાના થયેલા ખેલાડીઓ અમેરિકા, લંડન અને નેધરલેન્ડ થઈને વેસ્ટ ઇન્ડીઝ પહોંચશે.

ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝ મેચો (ભારતીય સમય પ્રમાણે): 1લી ટેસ્ટ, 12-16 જુલાઈ, 7.30 PM, ડોમિનિકા, બીજી ટેસ્ટ, 20-24 જુલાઈ, 7.30 PM, ત્રિનિદાદ

ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ODI શ્રેણી (ભારતીય સમય પ્રમાણે): 1લી ODI, 27 જુલાઈ, સાંજે 7.00 વાગ્યે, બાર્બાડોસ, બીજી ODI, 29 જુલાઈ, સાંજે 7.00 વાગ્યે, બાર્બાડોસ, ત્રીજી ODI, 1 ઓગસ્ટ, સાંજે 7.00 વાગ્યે, ત્રિનિદાદ.

ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ T20 શ્રેણી (ભારતીય સમય પ્રમાણે): 1લી T20I, 3 ઓગસ્ટ, રાત્રે 8.00 PM, ત્રિનિદાદ, 2જી T20I, 6 ઓગસ્ટ, 8.00 PM, ગુયાના, 3જી T20I, 8 ઓગસ્ટ, 8.00 PM, ગુયાના, 4થી T20I, 12 ઓગસ્ટ, ફ્લોરિડા , પાંચમી T20 મેચ, 13 ઓગસ્ટ, રાત્રે 8.00 કલાકે, ફ્લોરિડા.

About The Author

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.