કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે જ લોકો જાણે છે. તેઓ હાલમાં બિહાર સરકારમાં મંત્રી છે અને તેમનું નામ કોઈ જગ્યાએ ચાલી નહોતું રહ્યું, પણ ભાજપે તેમના નામની જાહેરાત કરીને ચોંકાવી દીધા છે, ત્યારે તેમના વિશે આપણે જાણીએ.

નવી નીતિશ કેબિનેટમાં ઘણા જૂના અને અનુભવી ચહેરાઓ સાથે કેટલાક નવા નામોને પણ સ્થાન મળ્યું હતું. મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ક્વોટામાંથી આવતા અને અગાઉની સરકારમાં માર્ગ નિર્માણ મંત્રી રહી ચૂકેલા નીતિન નબીને ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

photo_2025-12-14_17-36-17

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, નીતિન નબી માત્ર મંત્રી તરીકે પાછા ફર્યા નહોતા, પરંતુ તેઓ બાંકીપુર વિધાનસભા બેઠકને સતત જાળવી રાખીને ભાજપના એક મજબૂત શહેરી નેતા તરીકે પોતાનું કદ વધારી રહ્યા છે.

બિહારનું રાજકારણ તેના સ્વભાવમાં જેટલું જટિલ છે, તેટલું પરિવર્તનશીલ પણ છે. દરેક ચૂંટણી નવા સમીકરણો અને નવા સંદેશાઓ લઈને આવે છે. પરંતુ બદલાવ વચ્ચે કેટલાક ચહેરાઓ એવા હોય છે જે રાજકારણને સ્થિરતા અને જનતાને વિશ્વાસ આપે છે. નીતિન નબી આવું એક નામ છે. તેમણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે માત્ર પોતાની બેઠક જાળવી રાખી છે, પરંતુ સતત પાંચ વખત જીત મેળવીને ભાજપના શહેરી અને બૌદ્ધિક મતદારોના આધારને સ્થાયી બળ આપ્યું છે.

તજજ્ઞો કહેતા હતા કે 2025ની બાંકીપુર ચૂંટણી અનેક રીતે રસપ્રદ હતી. રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું હતું, પરંતુ બધાની વચ્ચે જો કોઈ બાબત અડગ રહી હોય, તો તે નીતિન નબી પ્રત્યેનો જનતાનો વિશ્વાસ હતો. વખતે તેમણે પોતાના હરીફને 47524 મતોના જંગી અંતરથી હરાવ્યા હતા. તેમને મળેલા 1,00,485 મત માત્ર એક આંકડો નથી, પરંતુ બાંકીપુરના લોકોએ વર્ષોથી તેમના કામ અને સહેલાઈથી ઉપલબ્ધતા પર મૂકેલા ભરોસાની અભિવ્યક્તિ છે.

નીતિન નબીનની રાજકીય યાત્રા અચાનક શરૂ થઈ નથી. તેઓ સ્વર્ગસ્થ ભાજપના નેતા તેમના પિતાના જનસેવા, શુદ્ધતા અને રાજકીય સાદગીના વારસાને આગળ ધપાવે છે. 2006ની પેટાચૂંટણીમાં પ્રથમ જીત બાદ તેમણે ખૂબ સંતુલન સાથે દરેક પગલું ભર્યું છે. 2008ના સીમાંકન બાદ બનેલી નવી બાંકીપુર બેઠક પર પણ પાર્ટીએ તેમના પર ભરોસો મૂક્યો, અને તેમણે દરેક વખતે ભરોસો બમણો કરીને પાછો આપ્યો છે.

નીતિન નબીનના પિતા નબીન કિશોર પ્રસાદ સિંહા, ભાજપના એક મજબૂત નેતા હતા. તેમના નિધન પછી જ્યારે પેટાચૂંટણી યોજાઈ, ત્યારે જનતાએ તે જ પરિવારના પુત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. આ ક્ષણે નીતિન નબીનની રાજકીય સફર શરૂ થઈ. ત્યારબાદ જે બન્યું તે બિહારના રાજકારણમાં એક અધ્યાય બની ગયું. તેમણે સતત ચાર વખત બાંકીપુર બેઠક જીતી. માર્ગ બાંધકામ મંત્રી તરીકે, તેમણે એક યુવાન, ઉર્જાવાન અને મહેનતુ નેતા તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આ લાંબી રાજકીય સફરમાં તેમના પ્રથમ પગલાં વારસાના બળ પર લેવામાં આવ્યા હતા, જ્યાં તેમના પિતાની પ્રતિષ્ઠાએ તેમને રાજકીય ભીડથી અલગ પાડ્યા હતા.

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતિન નબીન બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ભારે જીત મેળવી હતી. તેમણે તેમના નજીકના હરીફ આરજેડી ઉમેદવાર રેખા કુમારીને 51936 મતોથી હરાવ્યા હતા. પાર્ટીએ તેમને ત્રીજી વખત મંત્રી પદ પર નિયુક્ત કર્યા હતા. નીતિન નબીન અગાઉ પણ ભારે માર્જિનથી ચૂંટણી જીતી ચૂક્યા છે. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમણે શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિંહાને લગભગ 84000 મતોથી હરાવ્યા હતા.

02

રાજકીય વિશ્લેષકો માને છે કે, "જ્યાં અન્યત્ર કાયસ્થ મતોમાં અસંતોષ જોવા મળ્યો હતો, ત્યાં બાંકીપુરમાં નીતિન નબીને તેમને એકજુટ રાખ્યા. બાબત ભાજપની નજરમાં તેમનું મહત્વ વધારે છે."

તેમનો શાંત સ્વભાવ, સંતુલિત નિવેદનબાજી અને વિવાદોથી દૂર રહીને કામ કરવાની છબી તેમને કાયસ્થ સમાજના સર્વસ્વીકૃત નેતા બનાવે છે. બાંકીપુર જેવા શહેરી વિસ્તારમાં લોકો જાતિ કરતાં પહેલાં કામ જુએ છે. અહીંની અપેક્ષાઓ માર્ગો, સ્વચ્છતા, પાણી, ગટર વ્યવસ્થા અને ટ્રાફિકના ઉકેલો જેવી નાગરિક સુવિધાઓ પર કેન્દ્રિત હોય છે.

માર્ગ નિર્માણ મંત્રી તરીકે પણ તેમની છબી એક એવા નેતાની બની છે જે ફાઇલોની પાછળ છુપાવવાને બદલે જમીન પર કામ બતાવવા માંગે છે. ભાજપે તેમને અન્ય રાજ્યોમાં પણ સંગઠનાત્મક કામગીરી સોંપી હતી, જ્યાં તેઓ સક્રિય દેખાયા હતા. સંકેત આપે છે કે પાર્ટી તેમને બિહારથી આગળ એક મોટા નેતા તરીકે જોઈ રહી હતી.

About The Author

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.