યુવરાજે અશ્વિનને સ્થાન મળતા ઉઠાવ્યા સવાલ, આ ખેલાડીને સાચો હકદાર ગણાવ્યો

નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન યુવરાજ સિંહે ભારતીય વર્લ્ડ કપ ટીમ વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સિક્સર કિંગ તરીકે જાણીતા યુવીએ કહ્યું કે, અક્ષર પટેલને બદલે વોશિંગ્ટન સુંદરને ટીમમાં જગ્યા મળવી જોઈતી હતી.

વર્લ્ડ કપ 2011ના હીરો યુવરાજ સિંહ માને છે કે, ભારતીય ટીમ ઉત્તમ ખેલાડીઓથી ભરેલી છે, પરંતુ હોમ ટીમની લાઇન-અપમાં ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને કાંડાના જાદુગર, સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અથવા વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થવો જોઈતો હતો. ઈજાના કારણે ઓલરાઉન્ડર અક્ષર વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.

તેના સ્થાને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવરાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'મને અંગત રીતે લાગે છે કે આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલની ખોટ છે. ટીમમાં લેગ સ્પિનરનો અભાવ છે. જો આપણે યુઝીને પસંદ ન કરી રહ્યા હોય તો હું વોશિંગ્ટન સુંદરને ટીમમાં જોવા માટે ઉત્સુક હતો, પરંતુ ટીમને કદાચ એક અનુભવી બોલર જોઈતો હતો, તેથી મને લાગે છે કે તેઓએ અશ્વિનને પસંદ કર્યો.'

યુવરાજે કહ્યું કે વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહના પ્રદર્શનની ભારતના અભિયાન પર ભારે અસર પડશે. યુવીએ કહ્યું, 'જસપ્રીત એક મેચ વિનર છે, જેમ કે જેક (ઝહીર ખાન)એ 2011માં અમારા માટે કર્યું હતું. તેની કુશળતા અને ઝડપ જસપ્રીતને ખતરનાક બનાવે છે. તે ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. ઈજામાંથી આટલા લાંબા સમય પછી પરત ફરવું એ જ મોટી વાત છે. આવા બોલર રાખવાથી ટીમનું મનોબળ વધે છે, કારણ કે તેઓ કોઈપણ સંજોગોમાં મેચ જીતાડી શકે છે.'

યુવીએ એમ પણ કહ્યું કે, 'વર્લ્ડ કપ જીતવા માટે દરેકને પોતાનું સર્વસ્વ આપી દેવું પડશે. ફોર્મેટ અલગ છે અને જો તમે સેમિ-ફાઇનલ સ્ટેજમાં પહોંચો છો, તો તમને સીધી મોટી મેચમાં દબાણનો સામનો કરવો પડશે. તેથી મને લાગે છે કે તમે દબાણનો સામનો કેવી રીતે કરશો તેના પર બધું નિર્ભર રહેશે. 2011માં જ્યારે ભારતે તેની સંયુક્ત યજમાનીમાં વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમાં યુવરાજ સિંહનું મોટું યોગદાન હતું. આઠ ઇનિંગ્સમાં 362 રન બનાવવાની સાથે યુવીએ ટૂર્નામેન્ટમાં 15 વિકેટ પણ લીધી હતી.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.