ઈરાનમાં મળ્યા પ્રાચીન મંદિરોના અવશેષો, જોઈને દંગ રહી ગયા શોધકર્તાઓ

ઈરાનમાં પુરાતત્વવીદોને ખોદકામ દરમિયાન કંઈક એવી વસ્તુઓ મળી છે, જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. ઈરાનની એક ઐતિહાસિક સાઈટ પર થઈ રહેલા ખોદકામમાં શોધકર્તાઓને એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ મંદિર પ્રાચીન ઈરાનના સૌથી તાકાતવર સામ્રાજ્યોમાંથી એક સસનીદ સામ્રાજ્યના સમયનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પુરાતત્વવીદોને ઉત્તર પૂર્વીય ઈરાનમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના આ અવશેષો મળ્યા છે.

પહેલી વખત આવા અવશેષોને જોઈને પુરાતત્વવીદોની ટીમ પણ દંગ રહી ગઈ હતી. સાઈટ પર ખોદકામ કરી રહેલા પુરાતત્વવીદોનું કહેવું છે કે આ શોધ ઘણી ખાસ છે કારણ કે તેના દ્વારા પ્રાચીન ઈરાની કલા ઈતિહાસનો એક નવો અધ્યાય ખુલીને સામે આવી શકે છે. સોમવારે ઈરાની એક સાઈટ પર ખોદકામ કરી રહેલી ટીમમાં સામેલ પુરાતત્વવીદ મીસમ લબ્બાક ખાનિકીએ કહ્યું છે કે પુરાતત્વ વિભાગ ઉત્તરી પૂર્વ ઈરાનમાં એક ગામની પાસે પ્રાચીન સાઈટ પર ખોદણીનું કામ કરી રહ્યા છે.

ખોદણી દરમિયાન પુરાતત્વ વિભાગની ટીમને સસનીદ સામ્રાજ્યના એક અગ્નિ મંદિરના અવશેષ મળ્યા છે. જ્યારે તેની સાથે જ ટીમને પ્રાચીન ચિત્રકળા સાથે જોડાયેલી પણ કેટલીંક વસ્તુઓ મળી છે, જે ઘણી શાનદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શોધ દરમિયાન જિઓમેટ્રીક પ્લાન્ટ સાથે સજેલા કેટલાંક પ્લાસ્ટરવર્કના ઘણા જોરદાર ટુકડાઓ પણ મળ્યા છે. આ બધાના મળવાથી સાફ થાય છે કે આ સાઈટનું ધાર્મિક અને આર્થિક પહેલું પણ છે. પુરાતત્વવીદ મીસમ લબ્બાફ ખાનિકીએ કહ્યું કે આ સાઈટથી જે પણ શોધ કરવામાં આવી છે, આ સસનીદ સામ્રાજ્ય દરમિયાન ઈરાની કળાના ઈતિહાસનો એક નવો અધ્યાય છે. પુરાતત્વવીદ આગળ કહે છે કે ખોદકામમાં મળેલા અગ્નિ મંદિરમાં એક સમય પર હીપોસ્ટાઈલ હોલ રહ્યો હશે. તે સમય પર મંદિરનો આ હોલ અલગ અલગ રીતના નક્શી કામથી સજેલો રહ્યો હશે. માલૂમ થાય છે કે વર્ષ 2014માં પુરાતત્વવીદ સસનીદ સામ્રાજ્યના સ્મારકની સારી રીતે સ્ટડી કરવા માટે અલગ અલગ સર્વે કરી રહ્યા હતા.

આ બધા સર્વેમાં સ્મારકની સારી રીતે તપાસ કરવામાં આવી રહી છે. અસલમાં સસનીદ કાળનો ઈરાની ઈતિહાસમાં ખાસ મહત્વ છે. સસનીદ કાળમાં પારસી આર્કિટેક્ચર અને આર્ટ્સનો પુનરુદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. પ્રાચીન ઈરાનમાં સસનીદ સામ્રાજ્ય દરમિયાન જે પણ કામ કરવામાં આવતું હતું, તે પહલવીમાં થતું હતું. આ સસનીદ સામ્રાજ્યની ભાષા હતી અને તે સામ્રાજ્યથી આવનારા લોકો પણ તેનો ઉપયોગ કરતા હતા.  

About The Author

Top News

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.