હવે બાબ-અલ-મંડેબ બંધ કરવાની ઈરાનની ધમકીએ દુનિયાને ભયમાં મૂકી દીધી

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેનાથી અચાનક વૈશ્વિક તણાવ વધ્યો છે. ઈરાન, હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓએ ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો કર્યો છે, જેના કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે.

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી પહેલાથી જ વધી ગયેલા તેલ અને ગેસ સંકટ અંગે ચિંતાઓને વધુ વધારી દીધી છે, કારણ કે ઈરાને એક નવી ધમકી આપી દીધી છે, જે ખરેખર ચિંતાજનક છે. હકીકતમાં ઈઝરાયલી મિસાઈલ હુમલા પછી, ઈરાને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, જો હુમલાઓ વધશે, તો તે બીજો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. જો આવું થશે, તો તેલ અને ગેસ સંકટ વધુ વધી શકે છે.

Bab Al Mandab Strait
india.com

US અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નહીં, અને તે દરમિયાન, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું, જેનાથી ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો. આની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે, જેના કારણે તીવ્ર વધારો થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આ સમાચાર લખતી વખતે લગભગ 5 ટકા વધીને 98 ડૉલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન, WTI ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તીવ્ર વધારો થયો હતો, જે 95 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારાથી ફરી એકવાર વૈશ્વિક ફુગાવાનું જોખમ વધ્યું છે. પરિણામે, જાપાન અને કોરિયાથી હોંગકોંગ સુધીના શેરબજારો સોમવારે તૂટી પડ્યા.

Bab Al Mandab Strait
india.com

ઇઝરાયલે ઇરાન પર મજબુતીથી બદલો લેવા માટે મિસાઇલ હુમલો કર્યો. આ હુમલા પછી, ઇરાને એક ચેતવણી બહાર પાડી જેનાથી વૈશ્વિક તણાવ વધ્યો. ઇરાનના સુપ્રીમ લીડરના સલાહકાર અલી વેલાયતીએ બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ અંગે આ ચેતવણી બહાર પાડી હતી, જે હોર્મુઝ સ્ટ્રેટ જેટલો જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જે મુખ્ય વૈશ્વિક વેપાર માર્ગોને સીધી અસર કરી શકે છે. ઇરાને જણાવ્યું છે કે જો હુમલાઓ વધશે, તો તે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, વેલાયતીએ જણાવ્યું હતું કે, 'હાલની પરિસ્થિતિ જોઈને દુશ્મન કોઈ શંકા ન રાખે. ઇઝરાયલ પાસે બે વિકલ્પો છે, કાં તો તેની મૂર્ખાઈ બંધ કરે અથવા એવી પરિસ્થિતિનો સામનો કરે જ્યાં બે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર સંતુલિત પ્રતિભાવ મળી શકે.' ઈરાની નેતાનો સ્પષ્ટ સંકેત દરિયાઈ ટ્રાફિક પર દબાણ વધારવાનો છે.

Bab Al Mandab Strait
india.com

મધ્ય પૂર્વમાં આ નવા યુદ્ધથી સમગ્ર વિશ્વમાં તણાવ તો વધારી દીધો છે. કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને પહેલાથી જ બંધ કરી દીધું છે, જે વિશ્વની લગભગ 20 ટકા તેલ જરૂરિયાતો પૂરી પાડે છે, આનાથી પાકિસ્તાન, બ્રિટન, શ્રીલંકા અને ભારત સહિતના દેશોમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે.

હવે જયારે, બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાનની ધમકી આ કટોકટીને વધુ તીવ્ર બનાવી શકે છે. આનું કારણ એ છે કે યમન, જીબુટી અને એરિટ્રિયા વચ્ચે સ્થિત બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ યુરોપ, એશિયા અને આરબ દેશો વચ્ચેના વેપાર માટે મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો પણ એમ કહી રહ્યા છે કે બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ પર દબાણ વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠાને અસર કરી શકે છે, જેના કારણે ઘણા દેશોમાં ફુગાવો વધવાની ચિંતા છે.

Bab Al Mandab Strait
india.com

બાબ-અલ-મંડેબને સુએઝ નહેરનો પ્રવેશ બિંદુ માનવામાં આવે છે. તે ઘણા દેશોમાં તેલ અને ગેસ સપ્લાય માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, અને એશિયાથી યુરોપ જતા જહાજો આ રસ્તેથી પસાર થાય છે. આ માર્ગે દરરોજ લાખો બેરલ ક્રૂડ તેલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો પસાર થાય છે. ખાસ કરીને ગલ્ફ દેશોમાંથી તેલ યુરોપિયન યુનિયન (EU) દેશો, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, જર્મની અને યુનાઇટેડ કિંગડમ સુધી પહોંચે છે. તેના બંધ થવાથી આ દેશોમાં મુશ્કેલીઓ વધી શકે છે.

Bab Al Mandab Strait
india.com

જોકે, અહીં તમને બતાવી દઈએ કે, બાબ અલ-મંડેબ વ્યવહારીક રીતે ઈરાની નિયંત્રણ હેઠળ નથી, પરંતુ ઈરાન સમર્થિત હુતી બળવાખોરો યમનના કેટલાક ભાગો પર પ્રભાવ ધરાવે છે અને તેલ અને ગેસ જહાજોની અવરજવરમાં વિક્ષેપ પાડીને વૈશ્વિક તેલ અને ગેસ સંકટ વધારી શકે છે.

About The Author

Related Posts

Top News

હવે બાબ-અલ-મંડેબ બંધ કરવાની ઈરાનની ધમકીએ દુનિયાને ભયમાં મૂકી દીધી

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેનાથી અચાનક વૈશ્વિક તણાવ વધ્યો છે. ઈરાન, હિઝબુલ્લાહ અને ઈઝરાયલ...
Business 
હવે બાબ-અલ-મંડેબ બંધ કરવાની ઈરાનની ધમકીએ દુનિયાને ભયમાં મૂકી દીધી

સૂર્યાને મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાંકુ પડ્યું, ઈન્સ્ટા પરથી MIની બધી પોસ્ટ હટાવી

સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ માટે હાલનો સમય ઘણો મુશ્કેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય T20I ટીમના કેપ્ટન પદેથી હટાવવામાં...
સૂર્યાને મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાંકુ પડ્યું, ઈન્સ્ટા પરથી MIની બધી પોસ્ટ હટાવી

અખિલેશનો આરોપ- રામ મંદિરના દાનના કરોડો રૂપિયા ગાયબ, મંદિર ટ્રસ્ટે આપ્યો જવાબ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ રામ મંદિરમાંથી દાનના કરોડો રૂપિયા ગાયબ થવા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. ...
National 
અખિલેશનો આરોપ- રામ મંદિરના દાનના કરોડો રૂપિયા ગાયબ, મંદિર ટ્રસ્ટે આપ્યો જવાબ

કોંગ્રેસે ચૂંટણી માટે 5 કરોડ આપ્યા, પણ ચૂંટણી પછી વધેલા 4 કરોડ પાછા આપી દીધા! પ્રામાણિકતાથી રાહુલ પ્રભાવિત, મીનાક્ષીને રાજ્યસભા ઉમેદવાર બનાવવા પાછળની સરસ કહાની...

જ્યારે રાજકારણીઓ ચૂંટણી લડવાની ટિકિટ મેળવવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કરે છે, ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી...
National 
કોંગ્રેસે ચૂંટણી માટે 5 કરોડ આપ્યા, પણ ચૂંટણી પછી વધેલા 4 કરોડ પાછા આપી દીધા! પ્રામાણિકતાથી રાહુલ પ્રભાવિત, મીનાક્ષીને રાજ્યસભા ઉમેદવાર બનાવવા પાછળની સરસ કહાની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.