લગ્ન સમારોહમાં લાગી આગ, 100થી વધુ લોકોના મોત, દુલ્હા-દુલ્હન પણ...

ઈરાકમાંથી એક મોટી ઘટના સામે આવી છે. ઈરાકી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોર્થ ઈરાકના નેવેહ પ્રાંતના અલ-હમદાનિયા શહેરમાં એક લગ્ન દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 150થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના મંગળવારની છે. 26 સપ્ટેમ્બરે રાતે સ્થાનીય સમય અનુસાર લગભગ 10.45 વાગ્યે આ ઘટના બની.

ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઈરાકી પ્રેસ એજન્સી INAએ AFPનો હવાલો આપતા કહ્યું, શરૂઆતી ગણતરી અનુસાર ઓછામાં ઓછા 100 લોકોના મોતની ખબર સામે આવી છે. આ આંકડો વધી પણ શકે છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દુલ્હા અને દુલ્હન પણ આગની ચપેટમાં આવી ગયા છે.

આગ પાછળનું કારણ શું

શરૂઆતી જાણકારીમાં સામે આવ્યું કે, લગ્ન દરમિયાન આતશબાજી થઇ રહી હતી, જેને લીધે હોલની અંદર જ આગ લાગી ગઇ. નાગરકિ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, અત્યંત જ્વલનશીલ અને ઓછી ગુણવત્તાવાળી નિર્માણ સામગ્રીનો ઉપયોગ થવાના કારણે આગ લાગ્યા પછી સીલિંગના અમુક ભાગો પડી ગયા. જોકે, આગ કયા કારણે લાગી તેની આધિકારિક કે સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

ઈરાકના પ્રધાનમંત્રી મોહમ્મદ અલ સુદાનીએ પણ આ ઘટનાને લઇ દુખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને આદેશ આપ્યો કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા પ્રયાસ કરવામાં આવે.

34 વર્ષીય ઈમાદ યોહાના આ દુર્ઘટનામાં બચી ગયા. તેણે જણાવ્યું કે, અમે જોયું કે આગ હોલથી બહાર આવી રહી હતી. જે લોકો નીકળી શક્યા તેઓ બહાર આવી ગયા અને અમુક હોલની અંદર ફસાઇ ગયા. જે લોકો બહાર નીકળી શક્યા તેઓ પણ ગંભીર સ્થિતિમાં હતા.

હમદાનિયાહ શહેર મોસુલના પૂર્વમાં સ્થિત છે. જ્યાં ઈસાઈઓની જનસંખ્યા વધારે છે. ઘટના પછી સૌ કોઈ હેરાન છે. લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. શહેરની મુખ્ય હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરવા માટે લોકોની લાંબી લાઇનો લાગી છે. હોસ્પિટલની આસપાસ પણ બસ એમ્બ્યુલેંસના સાયરનનો અવાજ આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.