લગ્ન સમારોહમાં લાગી આગ, 100થી વધુ લોકોના મોત, દુલ્હા-દુલ્હન પણ...

ઈરાકમાંથી એક મોટી ઘટના સામે આવી છે. ઈરાકી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોર્થ ઈરાકના નેવેહ પ્રાંતના અલ-હમદાનિયા શહેરમાં એક લગ્ન દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 150થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના મંગળવારની છે. 26 સપ્ટેમ્બરે રાતે સ્થાનીય સમય અનુસાર લગભગ 10.45 વાગ્યે આ ઘટના બની.

ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઈરાકી પ્રેસ એજન્સી INAએ AFPનો હવાલો આપતા કહ્યું, શરૂઆતી ગણતરી અનુસાર ઓછામાં ઓછા 100 લોકોના મોતની ખબર સામે આવી છે. આ આંકડો વધી પણ શકે છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દુલ્હા અને દુલ્હન પણ આગની ચપેટમાં આવી ગયા છે.

આગ પાછળનું કારણ શું

શરૂઆતી જાણકારીમાં સામે આવ્યું કે, લગ્ન દરમિયાન આતશબાજી થઇ રહી હતી, જેને લીધે હોલની અંદર જ આગ લાગી ગઇ. નાગરકિ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, અત્યંત જ્વલનશીલ અને ઓછી ગુણવત્તાવાળી નિર્માણ સામગ્રીનો ઉપયોગ થવાના કારણે આગ લાગ્યા પછી સીલિંગના અમુક ભાગો પડી ગયા. જોકે, આગ કયા કારણે લાગી તેની આધિકારિક કે સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

ઈરાકના પ્રધાનમંત્રી મોહમ્મદ અલ સુદાનીએ પણ આ ઘટનાને લઇ દુખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને આદેશ આપ્યો કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા પ્રયાસ કરવામાં આવે.

34 વર્ષીય ઈમાદ યોહાના આ દુર્ઘટનામાં બચી ગયા. તેણે જણાવ્યું કે, અમે જોયું કે આગ હોલથી બહાર આવી રહી હતી. જે લોકો નીકળી શક્યા તેઓ બહાર આવી ગયા અને અમુક હોલની અંદર ફસાઇ ગયા. જે લોકો બહાર નીકળી શક્યા તેઓ પણ ગંભીર સ્થિતિમાં હતા.

હમદાનિયાહ શહેર મોસુલના પૂર્વમાં સ્થિત છે. જ્યાં ઈસાઈઓની જનસંખ્યા વધારે છે. ઘટના પછી સૌ કોઈ હેરાન છે. લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. શહેરની મુખ્ય હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરવા માટે લોકોની લાંબી લાઇનો લાગી છે. હોસ્પિટલની આસપાસ પણ બસ એમ્બ્યુલેંસના સાયરનનો અવાજ આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.