વ્યક્તિએ 12 કરતા વધુ વખત કૂતરાને બચકાં ભર્યા, ડોગીને હૉસ્પિટલ લઈ જવો પડ્યો

જો કૂતરું માણસને બચકાં ભારે તો તે સામાન્ય ઘટના છે, પરંતુ માણસ કૂતરાને બચકાં ભરી લે તો? તમે પણ કદાચ એવા સમાચાર પહેલી વખત જ સાંભળ્યા હશે. કેટલી અજીબ વાત છે ને? કદાચ તમને હેરાની પણ થઈ રહી હશે, પરંતુ આ સમાચાર સાચા છે. જી હા, નશામાં છાકટા બનેલા એક વ્યક્તિએ કૂતરાને બચકાં ભાવના શરૂ કરી દીધા. આ ઘટના અમેરિકાની છે. આ ઘટના પોલીસની આંખો સામે થઈ છે. જ્યારે વ્યક્તિ કૂતરાને બચકાં બાહરી રહ્યો હતો, તો પોલીસવાળા પણ હેરાન રહી ગયા હતા.

તેણે પોલીસવાળા સામે કૂતરા પર હુમલો કર્યો અને પોતાના દાંતોથી તેને બચકાં ભરવા લાગ્યો. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, આ ઘટના અમેરિકન ડેલાવેર રાજ્યની છે. ત્યાં એક વ્યક્તિ ટ્રાફિક નિયમો તોડ્યા બાદ ભાગી રહ્યો હતો. પોલીસ તેનો પીછો કરી રહી હતી. તે નશામાં છાકટો થયો હતો. ત્યારબાદ તેણે જે કર્યું તેને જોઈને પોતે પોલીસવાળા પણ હેરાન રહી ગયા. હકીકતમાં વ્યક્તિએ પોલીસના સ્નિફર ડોંગને જ બચકાં ભરવાના શરૂ કરી દીધા. તે કૂતરાને પોતાના દાંતોથી બચકાં ભરતો રહ્યો.

પોલીસવાળા એ કૂતરાને છોડાવે ત્યાં સુધી તેણે 12 કરતા વધુ વખત કૂતરાને બચકાં ભરી લીધા હતા. આરોપીની ઓળખ 47 વર્ષીય જમાલ વિંગના રૂપમાં થઈ છે. ઘટના 8 જુલાઈની છે. ટ્રાફિકના નિયમો તોડ્યા બાદ વ્યક્તિ ભાગી રહ્યો હતો. પોલીસે તેને પકડી લીધો અને ગાડીમાં બેસવા કહ્યું, પરંતુ તે ન માન્યો. ત્યારબાદ પોલીસે ટ્રેઇન્ડ કુતરા (K9)ને આગળ કર્યો, પરંતુ નશામાં છાકટા થયેલા વ્યક્તિએ કૂતરા પર જ હુમલો કરી દીધો. આરોપીએ કૂતરાને દાંતોથી બચકાં ભર્યા, જેથી તે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો.

પોલીસે કૂતરાને આરોપી પાસેથી છોડાવ્યો અને તેને ગાડીમાં બેસાડ્યો. ત્યારબાદ સારવાર માટે આરોપી અને કૂતરાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, પોલીસ સાથે ઘર્ષણ બાદ આરોપીને ખૂબ ઇજા થઈ. તો કૂતરાને સારવારે માટે પશુ દવાખાને લઈ જવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી ધરપકડથી બચવા માગતો નથી. તે નશામાં હતો. આ દરમિયાન તેણે ઘણી વખત કૂતરાને બચકાં ભર્યા. હાલમાં આરોપી પર ડ્યુટી પોલીસ અધિકારીઓ અને તેમના ડોગ પર હુમલો કરવા અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.