સાઉદી અરેબિયાની દુનિયાભરના મુસ્લિમોને મોટી ભેટ, બાળકો કરી શકશે હજ, જાણો નવા નિયમ

આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી અરેબિયાએ 2023માં તમામ પ્રતિબંધો હટાવી દીધા છે, જે તેણે બે વર્ષ પહેલા 2020માં કોરોના વાયરસ રોગચાળાને કારણે લગાવ્યા હતા. આનો અર્થ એ છે કે હજ યાત્રાની આવનારી સીઝન રોગચાળા પહેલા જેવી જ હશે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે 9 જાન્યુઆરીએ ટ્વિટર પર આની જાહેરાત કરતા કહ્યું, 1444H માં હજ યાત્રીઓની સંખ્યા વય પ્રતિબંધ વિના કોરોના રોગચાળા પહેલા જેવી જ સ્થિતિમાં પરત ફરશે.

હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાએ હજ એક્સ્પો 2023ના ઉદઘાટન દરમિયાન આની જાહેરાત કરી હતી. 2023માં હજ સીઝન 26 જૂનથી શરૂ થઈ શકે છે. સ્થાનિક મીડિયા અનુસાર, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિકતા એવા લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ ક્યારેય હજ નથી કરી. અગાઉ એવા અહેવાલ હતા કે મંત્રાલય હજ યાત્રીઓને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા વિઝા માટે અરજી કરવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે.

2019માં કોરોના વાયરસની મહામારીની અસર હજ યાત્રા પર પણ પડી હતી. વિશ્વવ્યાપી પ્રતિબંધો પહેલા, હજ કરનારા લોકોની સંખ્યા 2.6 મિલિયન હતી. કોવિડ બાદ સાઉદી સરકારે 2022માં 10 લાખ હજ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. જોકે, ગયા વર્ષે ફક્ત 18 થી 65 વર્ષની વયના લોકોને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી અને જેઓ કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત હતા.

હજ યાત્રા માટે કોઈપણ વય મર્યાદાની ગેરહાજરીનો અર્થ એ છે કે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક 2023માં તેનો ભાગ બની શકશે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે દરેક 'સક્ષમ' મુસ્લિમે તેના જીવનમાં ઓછામાં ઓછું એકવાર હજ કરવી જોઈએ. કોરોના પ્રતિબંધ હટાવ્યા પછી, સાઉદી અરેબિયા વિશ્વભરના હજ યાત્રીઓને ઘણી સુવિધાઓ આપી રહ્યું છે. ગયા વર્ષે મહિલાઓને મોટી રાહત આપતા સાઉદી સરકારે તેમને પુરૂષ સાથી 'મેહરમ' વગર હજ કરવાની મંજૂરી આપી હતી. આ સિવાય ઉમરાહ વિઝાની અવધિ 30 થી વધારીને 90 દિવસ કરવામાં આવી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.