બોલો જૂનાગઢમાં મહિલા PSI જ જુગાર રમતા પકડાયા, સસ્પેન્ડ કરાયા

નોકરી પર રજા મુકીને પોતાના ગામ ગયેલા મહિલા PSIના ગામમાં જુગાર રમવાનું ભારે પડી ગયું છે. પોલીસે પાડેલા દરોડામાં મહિલા PSI પણ જુગાર રમતા પકડાઇ જતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસમાં નોકરી કરતા હોવા છતા મહિલા પોતાને બચાવી શક્યા નહોતા.જિલ્લા પોલીસ વડાએ મહિલા PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સાથે પોલીસ કર્મચારીઓને ચેતવણી પણ આપી છે કે ગેરકાયદે પ્રવૃતિઓથી દુર રહેજો, નહીં તો નોકરી ગુમાવવી પડશે.

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘વાડ જ ચીભડા ગળે’ જુગારીઓને પકડવાનું કામ પોલીસનું છે, પરંતુ જ્યારે પોલીસ પોતે જ જુગાર રમતા પકડાઇ તો પછી કોને ફરિયાદ કરવી? જાણવા મળેલી વિગત મુજબ સોમનાથ મંદિરની સુરક્ષાની જવાબદારી સંભાળતા એક મહિલા PSI રજા લઇને પોતાના ગામ પાદરિયા ગયા હતા. મહિલા PSIને એમ કે પોતે પોલીસમાં છે તો કોણ પકડવાનું? આ મહિલા PSI એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામમાં જુગાર રમવા ગયા હતા. પોલીસને માહિતી મળી અને દરોડા પાડ્યા તો મહિલા PSI પણ જુગાર રમતા રંગે હાથે પકડાયા હતા. જિલ્લા પોલીસ વડાએ મહિલા PSIને સસ્પેન્ડ કરી દીધા છે.

જાણવા મળેલી વિગત મુજબ ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા મહિલા PSI સરોજ વાવૈયા થોડા દિવસો પહેલાં રજા મુકીને પોતાના જૂનાગઢના પાદરિયા ગામ ગયા હતા.

પોલીસને માહિતી મળી હતી કે પાદરિયા ગામની એક વાડીમાં સરફરાજ કુરેશીએ જુગારધામ શરૂ કરર્યું છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PI જે જે પટેલ અને તેમની ટીમે આ જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને 4.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગારધામના સંચાલક સરફરાજ કુરેશી, મયુર વંશ, રાહુલ ભોવાણે, સંજય સારદીયા, ગોપાલ ભંડેરી, દિલીપ વિઠલાણી, ભૂપેન્દ્ર મકવાણા, જીતુ પટેલ, રીના ખૂંટી અને મહિલા PSI સરોજ વાવૈયાની ધરપકડ કરી હતી. પોલીસે આ દરોડો 2 ઓગસ્ટે પાડ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહર સિંહ જાડેજા

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ મહિલા PSI સરોજ વાવૈયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે પણ ચિમકી ઉચ્ચારી છે. આગામી દિવસોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિમાં પકડાશે તો તેની સામે શિક્ષાત્મક પગલાની વાત તેમણે કરી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.