છઠ્ઠુ ભણેલા મિકેનિકે ભંગારનો ઉપયોગ કરીને 70 હજારમાં બનાવી E-Bike, 60km...

આ મિકેનિકે 70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને એક E-Bike તૈયાર કરી લીધી છે. આ E-Bike 15-20 રૂપિયામાં ફૂલ ચાર્જ થઈ જાય છે, ત્યારબાદ એ બાઇક ફૂલ ચાર્જ થવા પર 60-70 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ અનોખુ કારનામું કરનાર વ્યક્તિનું નામ છે તાહિર મિયાં. તે બરેલીમાં SV ઇન્ટર કૉલેજ પાસે જોશી ઓટો કર્મા એક મિકેનિકના રૂપમાં કામ કરે છે. તાહિર માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો છે, પરંતુ તેની પાસે ઓટો મિકેનિકના ક્ષેત્રમાં કામ કરવાનો 23 વર્ષનો અનુભવ છે.

પોતાના આ અનુભવના દમ પર તેણે હવે ભંગાર થઈ ચૂકેલી એક બાઇકને E-Bikeમાં બદલી દીધી છે. તાહિરે લગભગ એક મહિનામાં આ E-Bikeને તૈયાર કરી છે. તેણે બાઈકના ચેસિસ નંબર બદલ્યા વિના, તેની બેટરી અને એન્જિનના પાર્ટ હટાવી દીધા. ત્યારબાદ તેણે તેમાં મોડિફિકેશન કરીને ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી. તેને લોડ ઓછું કરવા માટે આ ભંગાર બાઇકના પૈડાં પણ બદલી દીધા. બાઇક તૈયાર થયા બાદ લગભગ એક અઠવાડિયાથી તે રસ્તા પર દોડી રહી છે અને કોઈ પણ પ્રકારની પરેશાની નથી.

એક રિપોર્ટ મુજબ તાહિરનું કહેવું છે કે તેણે ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી છે. તેના પર લગભગ 16,500 રૂપિયા ખર્ચ થયા. આ બેટરીઓની એક વર્ષની ગેરન્ટી છે. આ આખી બાઇકને તૈયાર કરવામાં તેને 70 હજાર રૂપિયા લાગ્યા છે. તેને બાઇકને સુંદર બનાવવામાં કોઈ કસર છોડી નથી. તેનું કહેવું છે કે, તે આગળ પણ એવી બાઇક બનાવશે અને તેને અપગ્રેડ કરશે, જેથી તેના સુરક્ષા માનાંકોને હજુ સારા કરી શકાય. તેની સાથે જ તે આ બાઇકને તૈયાર કરવામાં આવનાર ખર્ચને પણ ઓછો કરશે.

જોશી ઓટો કેરના માલિક દેવેન્દ્ર જોશીનું કહેવું છે કે તાહિર મિયાં હંમેશાં કંઈક ને કંઈક પ્રયોગ કરતો રહે છે. આ જ કારણ છે કે તેનું મગજ નવા પ્રયોગ કરીને E-Bike તૈયાર કરી શક્યું. આ બાઇકને ઘર પર જ ખૂબ સરળતાથી ચાર્જ કરી શકાય છે. એ લગભગ બે થી અઢી કલાકમાં ફૂલ ચાર્જ થાય છે. તે ફૂલ ચાર્જ થવામાં લગભગ 15-20 રૂપિયાની વીજળી ખર્ચ થાય છે. એક વખત ચાર્જ કર્યા બાદ તે સરળતાથી 60-70 કિલોમીટર સુધી જાય છે. તાહિરે જણાવ્યું કે, આ E-Bikeની 50-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સૌથી સારી છે.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.