છઠ્ઠુ ભણેલા મિકેનિકે ભંગારનો ઉપયોગ કરીને 70 હજારમાં બનાવી E-Bike, 60km...

આ મિકેનિકે 70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને એક E-Bike તૈયાર કરી લીધી છે. આ E-Bike 15-20 રૂપિયામાં ફૂલ ચાર્જ થઈ જાય છે, ત્યારબાદ એ બાઇક ફૂલ ચાર્જ થવા પર 60-70 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ અનોખુ કારનામું કરનાર વ્યક્તિનું નામ છે તાહિર મિયાં. તે બરેલીમાં SV ઇન્ટર કૉલેજ પાસે જોશી ઓટો કર્મા એક મિકેનિકના રૂપમાં કામ કરે છે. તાહિર માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો છે, પરંતુ તેની પાસે ઓટો મિકેનિકના ક્ષેત્રમાં કામ કરવાનો 23 વર્ષનો અનુભવ છે.

પોતાના આ અનુભવના દમ પર તેણે હવે ભંગાર થઈ ચૂકેલી એક બાઇકને E-Bikeમાં બદલી દીધી છે. તાહિરે લગભગ એક મહિનામાં આ E-Bikeને તૈયાર કરી છે. તેણે બાઈકના ચેસિસ નંબર બદલ્યા વિના, તેની બેટરી અને એન્જિનના પાર્ટ હટાવી દીધા. ત્યારબાદ તેણે તેમાં મોડિફિકેશન કરીને ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી. તેને લોડ ઓછું કરવા માટે આ ભંગાર બાઇકના પૈડાં પણ બદલી દીધા. બાઇક તૈયાર થયા બાદ લગભગ એક અઠવાડિયાથી તે રસ્તા પર દોડી રહી છે અને કોઈ પણ પ્રકારની પરેશાની નથી.

એક રિપોર્ટ મુજબ તાહિરનું કહેવું છે કે તેણે ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી છે. તેના પર લગભગ 16,500 રૂપિયા ખર્ચ થયા. આ બેટરીઓની એક વર્ષની ગેરન્ટી છે. આ આખી બાઇકને તૈયાર કરવામાં તેને 70 હજાર રૂપિયા લાગ્યા છે. તેને બાઇકને સુંદર બનાવવામાં કોઈ કસર છોડી નથી. તેનું કહેવું છે કે, તે આગળ પણ એવી બાઇક બનાવશે અને તેને અપગ્રેડ કરશે, જેથી તેના સુરક્ષા માનાંકોને હજુ સારા કરી શકાય. તેની સાથે જ તે આ બાઇકને તૈયાર કરવામાં આવનાર ખર્ચને પણ ઓછો કરશે.

જોશી ઓટો કેરના માલિક દેવેન્દ્ર જોશીનું કહેવું છે કે તાહિર મિયાં હંમેશાં કંઈક ને કંઈક પ્રયોગ કરતો રહે છે. આ જ કારણ છે કે તેનું મગજ નવા પ્રયોગ કરીને E-Bike તૈયાર કરી શક્યું. આ બાઇકને ઘર પર જ ખૂબ સરળતાથી ચાર્જ કરી શકાય છે. એ લગભગ બે થી અઢી કલાકમાં ફૂલ ચાર્જ થાય છે. તે ફૂલ ચાર્જ થવામાં લગભગ 15-20 રૂપિયાની વીજળી ખર્ચ થાય છે. એક વખત ચાર્જ કર્યા બાદ તે સરળતાથી 60-70 કિલોમીટર સુધી જાય છે. તાહિરે જણાવ્યું કે, આ E-Bikeની 50-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સૌથી સારી છે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.