બજાજ જૂનમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ, ખર્ચો પેટ્રોલ કરતા અડધો

બજાજ ઓટોએ ભારતીય બજારમાં સૌથી સસ્તી 400cc મોટરસાઇકલ પલ્સર NS400G લોન્ચ કર્યા પછી ઐતિહાસિક જાહેરાત કરી છે. બજાજ ઓટો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જાહેરાત કરી છે કે, વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ 18 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે, જે ગ્રાહકોને સસ્તું અને વધુ સારી પ્રોડક્ટ્સ આપવાના વચન સાથે તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સાથે રાજીવ બજાજે એમ પણ કહ્યું કે, બજાજની આવનારી CNG બાઇકની રનિંગ કોસ્ટ પેટ્રોલથી ચાલતી બાઇક કરતા ઓછી હશે અને તે પર્યાવરણ માટે પણ સારી છે.

ઘણા સમયથી, આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે, બજાજ ઓટો ટુ-વ્હીલર ઉદ્યોગમાં કંઈક એવું કરવા જઈ રહી છે, જે આજ સુધી કોઈએ કર્યું નથી. હવે વિશ્વની પ્રથમ CNG બાઇક લાવવાની જાહેરાત પછી તે કન્ફર્મ થઇ ગયું છે. એવું માનવામાં આવે છે કે, તે પ્લેટિના શ્રેણી હેઠળ 100cc અથવા 110cc સેગમેન્ટમાં આવી શકે છે, જેની માઇલેજ ઘણી જબરદસ્ત હોવાની શક્યતા છે. બજાજની આવનારી CNG મોટરસાઇકલમાં CNG સિલિન્ડરનું સેટઅપ એવી રીતે કરી શકાય છે કે, લોકોને કોઇપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે અને પર્ફોર્મન્સ પણ સારું રહે.

બજાજ ઓટો દ્વારા CNG બાઈકનું લોન્ચિંગ ભારતમાં માત્ર ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા નથી, પરંતુ પર્યાવરણને પણ ફાયદો કરાવે છે. હકીકતમાં, તેના ઘણા ફાયદા હોઈ શકે છે, જેના વિશે અમે તમને એક પછી એક જણાવવા જઈ રહ્યા છીએ.

પેટ્રોલ કરતાં CNG ઘણું સસ્તું હોય છે, જેનાથી મોટરસાઇકલ ચલાવવા માટે ખર્ચો ઓછો થઇ શકે છે.

CNG સંચાલિત બાઈક પેટ્રોલ મોટરસાઈકલ કરતાં વધુ માઈલેજ આપી શકશે, જેનાથી ઈંધણનો ખર્ચ ઓછો થઈ શકે છે.

CNG પેટ્રોલ કરતાં ઓછું પ્રદૂષણ પેદા કરે છે, જેના કારણે હવાની ગુણવત્તા સુધરી શકે છે.

CNG મોટરસાઇકલ પેટ્રોલથી ચાલતી મોટરસાઇકલ કરતાં ઓછો અવાજ ઉત્પન્ન કરે છે, જેનાથી ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય થાય છે.

બજાજ ઓટોના માલિકે ભલે તેની CNG મોટરસાઇકલની લોન્ચિંગ તારીખની જાહેરાત કરી હોય, પરંતુ ઉત્પાદન વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. એવા અહેવાલો છે કે, મોટરસાઇકલ CNG સિલિન્ડર સાથે આવશે, જે સીટની નીચે લગાવવામાં આવશે. મોટરસાઇકલમાં પેટ્રોલ ટાંકી પણ હશે, જે રાઇડર્સને તેમની જરૂરિયાત મુજબ ઇંધણનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપશે.

જોકે CNG બાઇકને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ તેને વ્યાપકપણે અપનાવવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમાં CNG સ્ટેશનનો અભાવ, સિલિન્ડરનું મોટું કદ અને વજન અને પ્રારંભિક કિંમતમાં વધારો સામેલ છે. જો કે, બજાજની CNG મોટરસાઇકલ ભારતમાં પરિવહનના ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-06-2025 દિવસ: ગુરુવાર મેષ:  તમારે મની ટ્રાન્સફરની લેવડદેવડ સાવધાનીથી કરવી પડશે.  તમને કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરવાની તક મળશે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
World 
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.