ચંદ્રયાન-4 પણ રચશે ઇતિહાસ, આ વખત અંતરીક્ષમાં કરવા જઇ રહ્યા છે કમાલ, ISRO ચીફે..

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વ ઉતારીને ઇતિહાસ રચી દીધો હતો. ભારત દુનિયાનો પહેલો દેશ હતો, જેને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 23 ઓગસ્ટ 2023ની એ તારીખ ઇતિહાસ બની ચૂકી છે. હવે ભારત ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ISRO ખુશી બેગણી કરવા માટે મોટા પ્લાન પર કામ કરી રહ્યું છે. ISRO ચીફ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-4 ચંદ્ર પરથી સેમ્પલ લઈને પાછું ધરતી પર પાછું ફરશે.

એટલું જ નહીં તે એક વખતમાં લોન્ચ કરવામાં નહીં આવે. તેને 2 હિસ્સામાં લોન્ચિંગના માધ્યમથી ચંદ્રની કક્ષામાં મોકલવામાં આવશે. ISRO ચીફે કહ્યું કે, ચંદ્રયાન-4ને 2 હિસામાં લોન્ચ કર્યા બાદ તેણે અંતરીક્ષમાં જ જોડવામાં આવશે. એક હિસ્સો અંતરીક્ષમાં મોકલ્યા બાદ બીજો હિસ્સો લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બંને હિસ્સાને અંતરીક્ષમાં જ જોડવામાં આવશે. જો એમ થાય છે તો એ દુનિયાનો પહેલો એવો દેશ હશે જે આ કારનામું અંતરીક્ષમાં પૂરું કરશે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-4ના લેન્ડર મોડ્યૂલને ISRO તૈયાર કરી રહ્યું છે, જ્યારે તેનું રોવર જાપાન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-4 માટે ભારતની અંતરીક્ષ એજન્સી ISRO અને જાપાનની JAXA વચ્ચે સમજૂતી થઈ છે. તેને વર્ષ 2026 સુધી ચંદ્ર પર મોકલવાની તૈયારી છે. ચંદ્રયાન-4ની સાઇટને લઈને પણ ISROએ ખુલાસો કરી દીધો છે. ISROએ કહ્યું કે, તેની લેન્ડિંગ સાઇટ શિવ શક્તિ પોઈન્ટ પર હશે. ચંદ્રયાન-3ની લેન્ડિંગ પણ આ જગ્યા પર થઈ હતી. એવું એટલે કેમ કે ચંદ્રયાન-3એ લેન્ડિંગ બાદ ચંદ્ર પર ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળોની શોધ કરી હતી. જેનાથી નવા મિશનમાં ખૂબ મદદ મળવાની છે.

ચંદ્રયાન-4નું લક્ષ્ય શું છે?

ચંદ્રયાન-4ના માધ્યમથી નમૂનાને ધરતી પર લાવવામાં આવશે. આ અગાઉ ચીન એમ કરી ચૂક્યું છે. ISRO ચીફે કહ્યું કે, અમે ચંદ્રયાન-4ની સંરચના પર આ પ્રકારે કામ કર્યું છે કે ચંદ્ર પરથી નમૂના પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવે? અમે તેના ઘણા પ્રક્ષેપણો સાથે કરવાના પ્રસ્તાવ રાખે છે કેમ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક વખતમાં એમ કરવા માટે પૂરતું નથી. સોમનાથે કહ્યું કે, એટલે અમે અંતરીક્ષમાં ડોકિંગ ક્ષમતા (અંતરીક્ષ યાનના વિભિન્ન ભાગોને જોડવાની) આવશ્યકતા છે. આ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે અમારી પાસે આ વર્ષના અંતમાં સ્પેડેક્સ નામનું એક મિશન નિર્ધારિત છે.

Related Posts

Top News

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે

BCCIએ એક પ્રસંશનીય પગલું લીધું છે.IPL 2025ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે અને...
Sports 
IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.