ચંદ્રયાન-4 પણ રચશે ઇતિહાસ, આ વખત અંતરીક્ષમાં કરવા જઇ રહ્યા છે કમાલ, ISRO ચીફે..

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વ ઉતારીને ઇતિહાસ રચી દીધો હતો. ભારત દુનિયાનો પહેલો દેશ હતો, જેને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 23 ઓગસ્ટ 2023ની એ તારીખ ઇતિહાસ બની ચૂકી છે. હવે ભારત ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ISRO ખુશી બેગણી કરવા માટે મોટા પ્લાન પર કામ કરી રહ્યું છે. ISRO ચીફ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-4 ચંદ્ર પરથી સેમ્પલ લઈને પાછું ધરતી પર પાછું ફરશે.

એટલું જ નહીં તે એક વખતમાં લોન્ચ કરવામાં નહીં આવે. તેને 2 હિસ્સામાં લોન્ચિંગના માધ્યમથી ચંદ્રની કક્ષામાં મોકલવામાં આવશે. ISRO ચીફે કહ્યું કે, ચંદ્રયાન-4ને 2 હિસામાં લોન્ચ કર્યા બાદ તેણે અંતરીક્ષમાં જ જોડવામાં આવશે. એક હિસ્સો અંતરીક્ષમાં મોકલ્યા બાદ બીજો હિસ્સો લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બંને હિસ્સાને અંતરીક્ષમાં જ જોડવામાં આવશે. જો એમ થાય છે તો એ દુનિયાનો પહેલો એવો દેશ હશે જે આ કારનામું અંતરીક્ષમાં પૂરું કરશે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-4ના લેન્ડર મોડ્યૂલને ISRO તૈયાર કરી રહ્યું છે, જ્યારે તેનું રોવર જાપાન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-4 માટે ભારતની અંતરીક્ષ એજન્સી ISRO અને જાપાનની JAXA વચ્ચે સમજૂતી થઈ છે. તેને વર્ષ 2026 સુધી ચંદ્ર પર મોકલવાની તૈયારી છે. ચંદ્રયાન-4ની સાઇટને લઈને પણ ISROએ ખુલાસો કરી દીધો છે. ISROએ કહ્યું કે, તેની લેન્ડિંગ સાઇટ શિવ શક્તિ પોઈન્ટ પર હશે. ચંદ્રયાન-3ની લેન્ડિંગ પણ આ જગ્યા પર થઈ હતી. એવું એટલે કેમ કે ચંદ્રયાન-3એ લેન્ડિંગ બાદ ચંદ્ર પર ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળોની શોધ કરી હતી. જેનાથી નવા મિશનમાં ખૂબ મદદ મળવાની છે.

ચંદ્રયાન-4નું લક્ષ્ય શું છે?

ચંદ્રયાન-4ના માધ્યમથી નમૂનાને ધરતી પર લાવવામાં આવશે. આ અગાઉ ચીન એમ કરી ચૂક્યું છે. ISRO ચીફે કહ્યું કે, અમે ચંદ્રયાન-4ની સંરચના પર આ પ્રકારે કામ કર્યું છે કે ચંદ્ર પરથી નમૂના પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવે? અમે તેના ઘણા પ્રક્ષેપણો સાથે કરવાના પ્રસ્તાવ રાખે છે કેમ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક વખતમાં એમ કરવા માટે પૂરતું નથી. સોમનાથે કહ્યું કે, એટલે અમે અંતરીક્ષમાં ડોકિંગ ક્ષમતા (અંતરીક્ષ યાનના વિભિન્ન ભાગોને જોડવાની) આવશ્યકતા છે. આ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે અમારી પાસે આ વર્ષના અંતમાં સ્પેડેક્સ નામનું એક મિશન નિર્ધારિત છે.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.