નરી આંખેથી આ દિવસે પૃથ્વીથી દેખાશે શનિ ગ્રહ

ભારતના ચંદ્રયાન-3ની સફળતાએ અવકાશમાં લોકોની જિજ્ઞાસા વધારી દીધી છે. આખી દુનિયા ભારતની આ સફળતાની પ્રશંસા કરી રહી છે. આ બધાની વચ્ચે અવકાશમાં એક એવી ખગોળીય ઘટના થવાની છે. જેને દુર્લભ માનવામાં આવી રહી છે. આ મહિનાના લાસ્ટ વીકમાં શનિ ગ્રહ આપણી પૃથ્વીથી ખૂબ જ નજીક આવાનો છે. આ દરમિયાન લોકો પૃથ્વીથી કોઈપણ રીતના ઉપકરણની મદદ વિના શનિ ગ્રહને જોઇ શકો છો. નાસાએ કહ્યું કે, જો કોઈ દર્શક પાસે અંધારૂ અને ચોખ્ખુ આકાશ રહેશે તો તે દૂરબીનની મદદથી શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનને પણ જોવામાં સક્ષમ થઇ શકે છે.

ધરતીથી ક્યારે દેખાશે શનિ ગ્રહ

નાસાએ શુક્રવારે કહ્યું કે, શનિ ગ્રહ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26-27 ઓગસ્ટના રોજ સૂર્યથી સીધી રીતે વિરોધમાં રહેશે. સૂર્યની રોશનીના કારણે શનિ ગ્રહ પહેલા અને ત્યાર પછીના અઠવાડિયામાં આકાશમાં સૌથી મોટો અને સૌથી ચમકતો દેખાશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી જોઇ શકાશે. આ દરમિયાન કોઇપણ સરળતાથી આકાશમાં દેખાતા શનિ ગ્રહને ઓળખી શકશે.

નરી આંખે જોઇ શકાશે

નાસાનું કહેવું છે કે, શનિ પૃથ્વીથી સૌથી દૂર સ્થિત ગ્રહોમાંથી એક છે. પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તે માનવ આંખોથી સરળતાથી જોઇ શકાશે. નાસા અનુસાર, આ સૂર્યાસ્તના સમયે દક્ષિણ-પૂર્વીય ક્ષિતિજ પર દેખાશે અને સૂર્યોદય સુધી આખી રાત કોઇપણ આખી રાત ચમકતા પીળા રંગના તારાને જોઇ શકશે. આકારમાં મોટો અને વધારે ચમકતા હોવાના કારણે શનિ ગ્રહને ઓળખી કાઢવો સરળ રહેશે.

પૃથ્વીની સૌથી નજીક આવ્યા હોવા છતાં લોકો શનિ ગ્રહના પ્રસિદ્ધ આઈસ છલ્લોને પોતાની આંખથી સીધી રીતે જોઇ શકશે નહીં. આના માટે તેમણે કોઇ અવકાશીય ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ છતાં આ ગ્રહ આકાશમાં મોજૂદ અન્ય તારાઓની તુલનામાં વધારે ચમકતો જોવા મળશે. નાસાએ કહ્યું કે દૂરબીનના માધ્યમથી ગ્રહને વધુ સારી રીતે જોઇ શકાશે. જેનાથી તેનો સોનેરી રંગ વધારે નિખરીને જોઇ શકાશે. આ દર્શકોમા કાનની જેમ દેખાતા છલ્લોને પણ જોવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.