નરી આંખેથી આ દિવસે પૃથ્વીથી દેખાશે શનિ ગ્રહ

ભારતના ચંદ્રયાન-3ની સફળતાએ અવકાશમાં લોકોની જિજ્ઞાસા વધારી દીધી છે. આખી દુનિયા ભારતની આ સફળતાની પ્રશંસા કરી રહી છે. આ બધાની વચ્ચે અવકાશમાં એક એવી ખગોળીય ઘટના થવાની છે. જેને દુર્લભ માનવામાં આવી રહી છે. આ મહિનાના લાસ્ટ વીકમાં શનિ ગ્રહ આપણી પૃથ્વીથી ખૂબ જ નજીક આવાનો છે. આ દરમિયાન લોકો પૃથ્વીથી કોઈપણ રીતના ઉપકરણની મદદ વિના શનિ ગ્રહને જોઇ શકો છો. નાસાએ કહ્યું કે, જો કોઈ દર્શક પાસે અંધારૂ અને ચોખ્ખુ આકાશ રહેશે તો તે દૂરબીનની મદદથી શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનને પણ જોવામાં સક્ષમ થઇ શકે છે.

ધરતીથી ક્યારે દેખાશે શનિ ગ્રહ

નાસાએ શુક્રવારે કહ્યું કે, શનિ ગ્રહ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26-27 ઓગસ્ટના રોજ સૂર્યથી સીધી રીતે વિરોધમાં રહેશે. સૂર્યની રોશનીના કારણે શનિ ગ્રહ પહેલા અને ત્યાર પછીના અઠવાડિયામાં આકાશમાં સૌથી મોટો અને સૌથી ચમકતો દેખાશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી જોઇ શકાશે. આ દરમિયાન કોઇપણ સરળતાથી આકાશમાં દેખાતા શનિ ગ્રહને ઓળખી શકશે.

નરી આંખે જોઇ શકાશે

નાસાનું કહેવું છે કે, શનિ પૃથ્વીથી સૌથી દૂર સ્થિત ગ્રહોમાંથી એક છે. પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તે માનવ આંખોથી સરળતાથી જોઇ શકાશે. નાસા અનુસાર, આ સૂર્યાસ્તના સમયે દક્ષિણ-પૂર્વીય ક્ષિતિજ પર દેખાશે અને સૂર્યોદય સુધી આખી રાત કોઇપણ આખી રાત ચમકતા પીળા રંગના તારાને જોઇ શકશે. આકારમાં મોટો અને વધારે ચમકતા હોવાના કારણે શનિ ગ્રહને ઓળખી કાઢવો સરળ રહેશે.

પૃથ્વીની સૌથી નજીક આવ્યા હોવા છતાં લોકો શનિ ગ્રહના પ્રસિદ્ધ આઈસ છલ્લોને પોતાની આંખથી સીધી રીતે જોઇ શકશે નહીં. આના માટે તેમણે કોઇ અવકાશીય ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ છતાં આ ગ્રહ આકાશમાં મોજૂદ અન્ય તારાઓની તુલનામાં વધારે ચમકતો જોવા મળશે. નાસાએ કહ્યું કે દૂરબીનના માધ્યમથી ગ્રહને વધુ સારી રીતે જોઇ શકાશે. જેનાથી તેનો સોનેરી રંગ વધારે નિખરીને જોઇ શકાશે. આ દર્શકોમા કાનની જેમ દેખાતા છલ્લોને પણ જોવામાં મદદ કરશે.

Related Posts

Top News

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.