શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું હતું, તેને હવે બંધ કરવામાં આવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, OnePlusની પેરેન્ટ કંપની, Oppo તેને ધીમે ધીમે બંધ કરી રહી છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ દાવાઓ Android Headlines તરફથી આવ્યા છે, જે જણાવે છે કે OnePlusને 'બંધ કરવામાં આવી રહ્યું છે અને તેને લાઇફ સપોર્ટ પર મૂકવામાં આવી રહ્યું છે.' પ્રકાશક જણાવે છે કે, તેના તારણો ત્રણ ખંડોમાં હાથ ધરવામાં આવેલી તપાસ અને ચાર સ્વતંત્ર વિશ્લેષક કંપનીઓના બજાર ડેટા પર આધારિત છે.

આ પહેલીવાર નથી જ્યારે OnePlusમાં મોટો આંતરિક ફેરફાર થયો હોય. થોડા વર્ષો પહેલા, 2021માં, કંપની પરિવર્તન પ્રક્રિયાના ભાગ રૂપે, OnePlusએ તેની ડિઝાઇન અને સંશોધન ટીમોના ભાગોને તેની પેરેન્ટ કંપની, Oppo સાથે મર્જ કર્યા.

તે સમયે, OnePlusએ જણાવ્યું હતું કે, આ સંસાધનો શેર કરવામાં અને ઉત્પાદન વિકાસને ઝડપી બનાવવામાં મદદ કરશે, જ્યારે બ્રાન્ડ સ્વતંત્ર રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે. જો કે, ચાહકોને તે ફેરફાર પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી. હવે, તે જ પરિવર્તનને યાદ કરવામાં આવી રહ્યું છે અને તે દર્શાવે છે કે OnePlusનું ભવિષ્ય Oppoના નિર્ણયો સાથે કેટલું ઊંડે સુધી જોડાયેલું છે.

Oneplus
aajtak.in

Android Headlines અનુસાર, ઘણા ચેતવણી ચિહ્નો OnePlus માટે ગંભીર મુશ્કેલી તરફ ઈશારો કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, 2024માં વૈશ્વિક શિપમેન્ટ 20 ટકાથી વધુ ઘટીને 17 મિલિયન યુનિટથી 13થી 14 મિલિયન યુનિટની વચ્ચે થઇ ગયું છે.

ભારત અને ચીનમાં પરિસ્થિતિ વધુ ખરાબ દેખાય રહી છે, જ્યાં OnePlus વૈશ્વિક શિપમેન્ટના લગભગ ત્રણ-ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે.

રિપોર્ટમાં IDC ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ભારતમાં, OnePlus 2024માં તેના બજાર હિસ્સાનો 32.6 ટકા ગુમાવશે, જે ઘટીને માત્ર 3.9 ટકા થઈ જશે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે, આ જ સમયગાળા દરમિયાન OnePlus ઉપકરણો વેચતા લગભગ 4,500 રિટેલ સ્ટોર્સ બંધ થઈ ગયા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, છ ભારતીય રાજ્યોએ OnePlus ફોન વેચવાનું બંધ કરી દીધું હતું, કારણ કે વેચાણકર્તાઓ માટે નફાનું માર્જિન ખૂબ ઓછું હતું.

બ્રાન્ડ ચીનમાં પણ તેના વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. રિપોર્ટ અનુસાર, વિસ્તરણ થવાને બદલે, 2024માં તેનો બજાર હિસ્સો 2 ટકાથી ઘટીને 1.6 ટકા થઈ ગયો.

Oneplus
prabhatkhabar.com

Android Headlines દાવો કરે છે કે, યુરોપ અને ઉત્તર અમેરિકામાં OnePlusના સંચાલનમાં પણ ભારે ઘટાડો થયો છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, રિપોર્ટ સ્પષ્ટપણે જણાવે છે કે, 'આ એક એવું બ્રાન્ડ છે કે જે પતનની આરે છે.'

પ્રકાશક કહે છે કે, તેણે ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના કર્મચારીઓ સાથે વાત કરી છે અને વિશ્લેષક ડેટા સાથે તેના દાવાઓને સમર્થન આપે છે, જે 'વનપ્લસ શું નથી કહી રહ્યું તેની પુષ્ટિ કરે છે.'

તે એવો પણ દાવો કરે છે કે, મુખ્ય નિર્ણયો હવે સ્થાનિક ટીમો દ્વારા લેવામાં આવતા નથી. બધા મુખ્ય વ્યૂહાત્મક નિર્ણયો સીધા ચીનથી લેવામાં આવી રહ્યા છે.

રિપોર્ટમાં સૌથી આશ્ચર્યજનક દાવાઓમાંનો એક રદ કરાયેલ ઉત્પાદનો વિશે છે. Android Headlines અનુસાર, OnePlus Open 2 Foldable અને OnePlus 15s કોમ્પેક્ટ ફ્લેગશિપ બંને રદ કરવામાં આવ્યા છે અને શેડ્યૂલ મુજબ લોન્ચ કરવામાં આવશે નહીં.

જો આ રિપોર્ટ સાચો સાબિત થાય છે, તો તે બ્રાન્ડ માટે નિરાશાજનક અંત હશે, જેણે એક સમયે વૈશ્વિક સ્માર્ટફોન બજારને પુનર્જીવિત કર્યું હતું. 2014માં OnePlus One સાથે ડેબ્યૂ કર્યા પછી, કંપનીએ ધીમે ધીમે મજબૂત ચાહકોનો આધાર બનાવ્યો અને 'ફ્લેગશિપ કિલર'થી પ્રીમિયમ બ્રાન્ડમાં વિકસિત થઈ.

Oneplus
mobileappdaily.com

તાજેતરમાં, OnePlus 15, OnePlus Pad 3 અને OnePlus Watch જેવા ઉપકરણોને તેમની કિંમત અને પ્રદર્શન માટે સારી રીતે આવકાર મળ્યો હતો.

Android Headlines અનુસાર, Oppoએ વચન આપ્યું છે કે, હાલના OnePlus વપરાશકર્તાઓને સુરક્ષા અપડેટ્સ અને વોરંટી સપોર્ટ મળતો રહેશે. જો કે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એકવાર હાલના મોડેલ્સ માટે અપડેટ્સ બંધ થઈ ગયા પછી, OnePlus બ્રાન્ડનો અંત આવી શકે છે.

હાલમાં, OnePlus અથવા Oppo તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ દાવાઓ, ડેટા અને જમીની માહિતીના આધારે, આ રિપોર્ટે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે કે, શું સ્માર્ટફોન જગતમાં સૌથી વધુ ઓળખાતા નામોમાંથી એક ચુપચાપ વિદાય લઈ રહ્યું છે.

One Plus Indiaના CEOX પર પોસ્ટ કરીને કહ્યું, 'Onlusના બંધ થવા અંગેના તાજેતરના અહેવાલો ખોટા છે. OnePlus India સામાન્ય રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે.

અમે બધા હિસ્સેદારોને વિનંતી કરીએ છીએ કે, તેઓ અપ્રમાણિત દાવાઓ શેર કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતી ચકાસે.'

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.