મોબાઈલનો આવિષ્કાર કરનાર જ નથી કરતા તેનો ઉપયોગ, લોકોને આપી આ સલાહ

On

આજના સમયમાં જેને જુઓ, તે મોબાઈલ ફોનમાં રચ્યો-પચ્યો રહે છે. લોકો પોતાની આસપાસની લાઈફ કરતા વધુ મોબાઈલમાં જ ઘૂસ્યા રહે છે. આ મોબાઈલનો આવિષ્કાર કરવાનો શ્રેય માર્ટિન કૂપરને આપવામાં આવે છે. તેમણે 1973માં મોબાઈલનો આવિષ્કાર કર્યો હતો. પરંતુ, હવે તેમણે જ પોતાના ઈન્ટરવ્યૂમાં લોકોનો તેનો ઉપયોગ ઓછો કરવાની રિક્વેસ્ટ કરી છે. આ ઈન્ટરવ્યૂએ તમામને સ્તબ્ધ કરી દીધા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જે વસ્તુને માર્ટિને પોતે બનાવી તેનો ઓછો ઉપયોગ કરવાની તેઓ રિક્વેસ્ટ શા માટે કરી રહ્યા છે?

હાલમાં જ BBC સાથે માર્ટિન એક ચેટ શો કરતા દેખાયા હતા. તેમા ઈન્વેન્ટર અને એન્જિનિયર માર્ટિને જણાવ્યું હતું કે, તેઓ પોતાના ચોવીસ કલાકમાં માત્ર પાંચ ટકા સમય જ મોબાઈલ ફોન જોવામાં ખર્ચ કરે છે. મૂળરીતે શિકાગોમાં રહેતા માર્ટિનને જ્યારે ઈન્ટરવ્યૂ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ એ લોકોને શું કેહશે જે પોતાના દિવસનો મોટાભાગનો સમય મોબાઈલમાં ખર્ચ કરી દે છે. તેના પર માર્ટિને કહ્યું કે, તેઓ આવા લોકોને પોતાનો મોબાઈલ ફોન ઓફ કરીને પોતાનું જીવન થોડું જીવી લેવાની સલાહ આપશે.

મોબાઈલની દુનિયામાં 70નો દાયકો ખૂબ જ ક્રાંતિકારી હતો. તે સમયે મોટાભાગે કારની બેટરીથી ચાલતા ફોન લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ, માર્ટિને એવા ફોનને માર્કેટમાં ઉતાર્યો જે પોર્ટેબલ હતો. તેને તારની જરૂર નહોતી. આ ઉપરાંત, દરેક વ્યક્તિને અલગ-અલગ નંબર આપવાનો આઈડિયા પણ તેમનો જ હતો. આ સાથે જ સેલ ફોન ટાવરથી ફોનને ચલાવવાનો કોન્સેપ્ટ પણ માર્ટિન જ લઈને આવ્યા હતા.

માર્ટિન દ્વારા બનાવવામાં આવેલો પહેલો મોબાઈલ ફોન હાલના મોબાઈલ ફોન કરતા ખૂબજ અલગ હતો. તેની બેટરી 25 મિનિટ ચાલતી હતી. સાથે જ તેને ચાર્જ કરવામાં 10 કલાકનો સમય લાગતો હતો. પહેલો ફોન ખૂબ જ ભારે પણ હતો. તેનું વજન એક કિલો તેર ગ્રામ હતું. તેની લંબાઈ 10 ઈંચ વધુ હતી. માર્ટિનને હવે 50 વર્ષ બાદ એવુ લાગી રહ્યું છે કે, મોબાઈલ ફોનના કારણે લોકો પોતાનું જીવન નથી જીવી શકતા. તેમનો મોટાભાગનો સમય મોબાઈલમાં જ વીતી રહ્યો છે. તેમણે લોકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા અને પોતાના મિત્રો સાથે ભેગા મળીને વધુ સમય વિતાવવાની વાત કહી છે.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.