મોબાઈલનો આવિષ્કાર કરનાર જ નથી કરતા તેનો ઉપયોગ, લોકોને આપી આ સલાહ

આજના સમયમાં જેને જુઓ, તે મોબાઈલ ફોનમાં રચ્યો-પચ્યો રહે છે. લોકો પોતાની આસપાસની લાઈફ કરતા વધુ મોબાઈલમાં જ ઘૂસ્યા રહે છે. આ મોબાઈલનો આવિષ્કાર કરવાનો શ્રેય માર્ટિન કૂપરને આપવામાં આવે છે. તેમણે 1973માં મોબાઈલનો આવિષ્કાર કર્યો હતો. પરંતુ, હવે તેમણે જ પોતાના ઈન્ટરવ્યૂમાં લોકોનો તેનો ઉપયોગ ઓછો કરવાની રિક્વેસ્ટ કરી છે. આ ઈન્ટરવ્યૂએ તમામને સ્તબ્ધ કરી દીધા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જે વસ્તુને માર્ટિને પોતે બનાવી તેનો ઓછો ઉપયોગ કરવાની તેઓ રિક્વેસ્ટ શા માટે કરી રહ્યા છે?

હાલમાં જ BBC સાથે માર્ટિન એક ચેટ શો કરતા દેખાયા હતા. તેમા ઈન્વેન્ટર અને એન્જિનિયર માર્ટિને જણાવ્યું હતું કે, તેઓ પોતાના ચોવીસ કલાકમાં માત્ર પાંચ ટકા સમય જ મોબાઈલ ફોન જોવામાં ખર્ચ કરે છે. મૂળરીતે શિકાગોમાં રહેતા માર્ટિનને જ્યારે ઈન્ટરવ્યૂ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ એ લોકોને શું કેહશે જે પોતાના દિવસનો મોટાભાગનો સમય મોબાઈલમાં ખર્ચ કરી દે છે. તેના પર માર્ટિને કહ્યું કે, તેઓ આવા લોકોને પોતાનો મોબાઈલ ફોન ઓફ કરીને પોતાનું જીવન થોડું જીવી લેવાની સલાહ આપશે.

મોબાઈલની દુનિયામાં 70નો દાયકો ખૂબ જ ક્રાંતિકારી હતો. તે સમયે મોટાભાગે કારની બેટરીથી ચાલતા ફોન લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ, માર્ટિને એવા ફોનને માર્કેટમાં ઉતાર્યો જે પોર્ટેબલ હતો. તેને તારની જરૂર નહોતી. આ ઉપરાંત, દરેક વ્યક્તિને અલગ-અલગ નંબર આપવાનો આઈડિયા પણ તેમનો જ હતો. આ સાથે જ સેલ ફોન ટાવરથી ફોનને ચલાવવાનો કોન્સેપ્ટ પણ માર્ટિન જ લઈને આવ્યા હતા.

માર્ટિન દ્વારા બનાવવામાં આવેલો પહેલો મોબાઈલ ફોન હાલના મોબાઈલ ફોન કરતા ખૂબજ અલગ હતો. તેની બેટરી 25 મિનિટ ચાલતી હતી. સાથે જ તેને ચાર્જ કરવામાં 10 કલાકનો સમય લાગતો હતો. પહેલો ફોન ખૂબ જ ભારે પણ હતો. તેનું વજન એક કિલો તેર ગ્રામ હતું. તેની લંબાઈ 10 ઈંચ વધુ હતી. માર્ટિનને હવે 50 વર્ષ બાદ એવુ લાગી રહ્યું છે કે, મોબાઈલ ફોનના કારણે લોકો પોતાનું જીવન નથી જીવી શકતા. તેમનો મોટાભાગનો સમય મોબાઈલમાં જ વીતી રહ્યો છે. તેમણે લોકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા અને પોતાના મિત્રો સાથે ભેગા મળીને વધુ સમય વિતાવવાની વાત કહી છે.

About The Author

Related Posts

Top News

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત...
Opinion 
બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.