મોબાઈલનો આવિષ્કાર કરનાર જ નથી કરતા તેનો ઉપયોગ, લોકોને આપી આ સલાહ

આજના સમયમાં જેને જુઓ, તે મોબાઈલ ફોનમાં રચ્યો-પચ્યો રહે છે. લોકો પોતાની આસપાસની લાઈફ કરતા વધુ મોબાઈલમાં જ ઘૂસ્યા રહે છે. આ મોબાઈલનો આવિષ્કાર કરવાનો શ્રેય માર્ટિન કૂપરને આપવામાં આવે છે. તેમણે 1973માં મોબાઈલનો આવિષ્કાર કર્યો હતો. પરંતુ, હવે તેમણે જ પોતાના ઈન્ટરવ્યૂમાં લોકોનો તેનો ઉપયોગ ઓછો કરવાની રિક્વેસ્ટ કરી છે. આ ઈન્ટરવ્યૂએ તમામને સ્તબ્ધ કરી દીધા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જે વસ્તુને માર્ટિને પોતે બનાવી તેનો ઓછો ઉપયોગ કરવાની તેઓ રિક્વેસ્ટ શા માટે કરી રહ્યા છે?

હાલમાં જ BBC સાથે માર્ટિન એક ચેટ શો કરતા દેખાયા હતા. તેમા ઈન્વેન્ટર અને એન્જિનિયર માર્ટિને જણાવ્યું હતું કે, તેઓ પોતાના ચોવીસ કલાકમાં માત્ર પાંચ ટકા સમય જ મોબાઈલ ફોન જોવામાં ખર્ચ કરે છે. મૂળરીતે શિકાગોમાં રહેતા માર્ટિનને જ્યારે ઈન્ટરવ્યૂ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ એ લોકોને શું કેહશે જે પોતાના દિવસનો મોટાભાગનો સમય મોબાઈલમાં ખર્ચ કરી દે છે. તેના પર માર્ટિને કહ્યું કે, તેઓ આવા લોકોને પોતાનો મોબાઈલ ફોન ઓફ કરીને પોતાનું જીવન થોડું જીવી લેવાની સલાહ આપશે.

મોબાઈલની દુનિયામાં 70નો દાયકો ખૂબ જ ક્રાંતિકારી હતો. તે સમયે મોટાભાગે કારની બેટરીથી ચાલતા ફોન લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ, માર્ટિને એવા ફોનને માર્કેટમાં ઉતાર્યો જે પોર્ટેબલ હતો. તેને તારની જરૂર નહોતી. આ ઉપરાંત, દરેક વ્યક્તિને અલગ-અલગ નંબર આપવાનો આઈડિયા પણ તેમનો જ હતો. આ સાથે જ સેલ ફોન ટાવરથી ફોનને ચલાવવાનો કોન્સેપ્ટ પણ માર્ટિન જ લઈને આવ્યા હતા.

માર્ટિન દ્વારા બનાવવામાં આવેલો પહેલો મોબાઈલ ફોન હાલના મોબાઈલ ફોન કરતા ખૂબજ અલગ હતો. તેની બેટરી 25 મિનિટ ચાલતી હતી. સાથે જ તેને ચાર્જ કરવામાં 10 કલાકનો સમય લાગતો હતો. પહેલો ફોન ખૂબ જ ભારે પણ હતો. તેનું વજન એક કિલો તેર ગ્રામ હતું. તેની લંબાઈ 10 ઈંચ વધુ હતી. માર્ટિનને હવે 50 વર્ષ બાદ એવુ લાગી રહ્યું છે કે, મોબાઈલ ફોનના કારણે લોકો પોતાનું જીવન નથી જીવી શકતા. તેમનો મોટાભાગનો સમય મોબાઈલમાં જ વીતી રહ્યો છે. તેમણે લોકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા અને પોતાના મિત્રો સાથે ભેગા મળીને વધુ સમય વિતાવવાની વાત કહી છે.

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.