દરેક ફોનમાં આવશે આ સરકારી એપ, તમે ડીલિટ પણ નહીં કરી શકો, સરકારનો આદેશ છે

ભારતવાસીઓને ટૂંક સમયમાં તેમના સ્માર્ટફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એક સરકારી એપ મળશે. એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયે ખાનગી રીતે સ્માર્ટફોન ઉત્પાદકોને સાયબર સિક્યુરિટીથી સુરક્ષા પૂરી પાડતી સરકારી એપ ઇન્સ્ટોલ કરવા કહ્યું છે. આ એપ ડિલીટ કરી શકશો નહીં. જોકે, મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

ભારતમાં 1.2 અબજથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને આપનો દેશ વિશ્વના સૌથી મોટા મોબાઇલ ઉત્પાદકોમાંનો એક છે. ભારત સરકાર પાસે સંચાર સાથી એપ છે. આ સરકારી એપ સાયબર ધમકીઓને રોકવામાં, ચોરાયેલા/ખોવાયેલા ફોનને ટ્રેક અને બ્લોક કરવામાં અને કાળા બજારમાં નકલી મોબાઇલ ફોનના વેચાણને રોકવામાં મદદ કરશે.

Government-App-Sanchar-Sathi.jpg-2

સરકારી માહિતી અનુસાર, આ એપની મદદથી અત્યાર સુધીમાં 7,00,000 ખોવાયેલા અથવા ચોરાયેલા સ્માર્ટફોન પાછા મેળવવામાં સફળતા મળી છે, જેમાંથી 50,000 તો ફક્ત ઓક્ટોબરમાં જ રિકવર કરવામાં આવ્યા છે. DoT2023માં સંચાર સાથી પ્લેટફોર્મ શરૂ કર્યું હતું.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આદેશ 28 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. કંપનીઓને નવી એપ્લિકેશન વિકસાવવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ, કંપનીઓએ ખાતરી કરવી આવશ્યક છે કે, સંચાર સાથી એપ્લિકેશન નવા મોબાઇલ ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે અને તેને 'દેખાવી નહીં' અથવા 'નીકાળી' શકાતી નથી.

સંચાર સાથી એપ્લિકેશન પ્લે સ્ટોર અને iPhone એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. ચાલો તેની સુવિધાઓ વિશે જાણી લઈએ.

Government-App-Sanchar-Sathi.jpg-3

છેતરપિંડીવાળા કોલ/SMS/WhatsAppની જાણ કરવી: જો તમને સાયબર છેતરપિંડીના ઇરાદાથી કોલ, SMS અથવા સંદેશ પ્રાપ્ત થાય છે, તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેની જાણ કરી શકો છો.

ખોવાયેલ અથવા ચોરાયેલ મોબાઇલ ફોનને બ્લોક કરવો: જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો હેન્ડસેટનો IMEI નંબર એપ્લિકેશનમાં દાખલ કરો અને તેને બ્લોક કરો. આ પછી, તે હવે કોઈપણ મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકશે નહીં.

તમારા નામે કેટલા સિમ કાર્ડ છે?: તમે આ એપ્લિકેશન દ્વારા તમારા નામે સિમ કાર્ડની સંખ્યા ચકાસી શકો છો. શંકાસ્પદ સિમ કાર્ડ પણ બ્લોક કરી શકાય છે.

Government-App-Sanchar-Sathi.jpg-4

ફોન અસલી છે કે નકલી?: જો તમે નવો કે જૂનો વપરાયેલો ફોન ખરીદી રહ્યા છો અને તે અસલી છે કે નકલી તે ચકાસવા માંગતા હો, તો તમે સંચાર સાથી એપનો ઉપયોગ કરી શકો છો.

સપ્લાય ચેઇનમાં પહેલાથી જ રહેલા સ્માર્ટફોન માટે, કંપનીઓએ સોફ્ટવેર અપડેટ આપવાની જરૂર પડશે, અને પછી સંચાર સાથી એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.

એપલ તેના ઉપકરણો પર તેની પોતાની એપ્સ પહેલાથી ઇન્સ્ટોલ કરે છે, પરંતુ તેની નીતિ iPhones પર સરકારી અથવા તૃતીય-પક્ષ એપ્સ ઇન્સ્ટોલ કરવાની મનાઈ ફરમાવે છે. એપલ, ગૂગલ, સેમસંગ અને શાઓમીએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

About The Author

Top News

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.