આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

શું તમારા ઘરમાં પણ વિવિધ ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે પણ વીજળી વાપરે છે? જો એમ હોય, તો તમારે UP પાવર કોર્પોરેશનના આ ટ્વીટ પર ધ્યાન આપવું જોઈએ. તેના ટ્વીટમાં, UPPCL સમજાવે છે કે, TV અને ચાર્જર જેવા ઉપકરણો પ્લગમાં લાગેલા હોય ત્યારે વીજળીનો વપરાશ કેવી રીતે કરે છે. અમને જાણવા મળ્યું છે કે, છ પ્રકારના ઉપકરણો અથવા ગેજેટ્સ સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે જે, TV અને ચાર્જર જેવા, પ્લગ ઇન હોય ત્યારે વીજળીનો વપરાશ ચાલુ રાખે છે. તમારા વીજળી બિલને ઘટાડવા માટે, તમારે તમારી આદતોમાં એક ફેરફાર કરવાની જરૂર છે.

modi1
bbc.com

શું તમે જાણો છો કે તમારા ઘરમાં ઘણા ઉપકરણો ભલે તમને બંધ દેખાતા હોય શકે છે, પરંતુ તેઓ ખરેખર સતત વીજળીનો વપરાશ કરી રહ્યા છે? એક ટ્વીટમાં, UP પાવર કોર્પોરેશને ચેતવણી આપી હતી કે, TV અને ચાર્જર જેવા ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે વીજળીનો વપરાશ કેવી રીતે કરે છે. અમારી તપાસમાં, અમને 6 એવા ગેજેટ્સ મળ્યા, જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે જે બંધ દેખાય છે પરંતુ સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે વીજળીનો વપરાશ ચાલુ રાખે છે.

Charger-Plugged1
apnabazaar.indiatimes.com

UPPCLએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, એક નાની સાવધાની વધારે આવતા બિલની સમસ્યાને દૂર કરી શકે છે. અહીં સાવધાનીનો અર્થ TV, ચાર્જર અથવા સેટ-ટોપ બોક્સ જેવા ઉપકરણોને સ્ટેન્ડબાય મોડમાં રાખવાની આદત છે.

Set-Top-Box1
apnabazaar.indiatimes.com

સ્ટેન્ડબાય મોડ એ એવી સ્થિતિ છે, જેમાં ઉપકરણ કામ ન કરતું હોય ત્યારે પણ ચાલુ રહે છે. આ મોડ TV અને સેટ-ટોપ બોક્સ જેવા ઉપકરણોમાં ઉપલબ્ધ છે, જેથી વપરાશકર્તાને તેના વપરાશમાં સરળતા રહે. હકીકતમાં, જો તમે કોઈ ઉપકરણને સંપૂર્ણપણે બંધ કરો છો, તો તેને સંપૂર્ણપણે પાવર પાછું ચાલુ કરવામાં થોડો સમય લાગે છે. સ્ટેન્ડબાય મોડ આ સમય બચાવે છે, પરંતુ તેમાં પાવરનો વપરાશ ચાલુ હોય છે.

Set-Top-Box3

UPPCLના મતે, આવા ઉપકરણોને સ્ટેન્ડબાય મોડમાં રાખવાને બદલે તેને સંપૂર્ણપણે બંધ કરવાની આદત પાડવી મહત્વપૂર્ણ છે. આવી આદત વીજળી બચાવે છે અને ઉપકરણોનું જીવન લંબાવે છે. હવે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે ઘરોમાં કયા ઉપકરણો અથવા ગેજેટ્સ સામાન્ય રીતે સ્ટેન્ડબાય મોડમાં રાખવામાં આવે છે.

જો તમે રિમોટથી TV બંધ કરો છો, તો તે બંધ થતું નથી પરંતુ સ્ટેન્ડબાય મોડમાં જાય છે. આ મોડમાં, TV ચાલુ ન હોય તો પણ વીજળીનો વપરાશ ચાલુ રાખે છે. તેથી, TV બંધ કરવા માટે તમારે રિમોટ નહીં, પણ સ્વીચનો ઉપયોગ કરવો જોઈએ.

Switch-Off-AC
indiatv.in

TVની જેમ સેટ-ટોપ બોક્સ પણ સ્ટેન્ડબાય મોડમાં સતત પાવર વાપરે છે. તેથી, TVની જેમ સેટ-ટોપ બોક્સને પણ બંધ કરવું એ એક સારી આદત છે.

TV અને સેટ-ટોપ બોક્સ પછી, સ્ટેન્ડબાય મોડમાં રહેલું સૌથી સામાન્ય ઉપકરણ ચાર્જર છે. લોકો ઘણીવાર તેને પ્લગમાં લગાવીને છોડી દે છે, અને ચાર્જર કંઈપણ ચાર્જ કર્યા વિના પાવરનો વપરાશ કરવાનું ચાલુ રાખે છે. તેથી, ઉપયોગ કર્યા પછી તરત જ ચાર્જરને પ્લગમાંથી નીકાળવાની આદત બનાવી લો.

TV-Standby-Mode1
blog.rentacenter.com

લોકો TV અને સેટ-ટોપ બોક્સની જેમ, AC બંધ કરવા માટે પણ રિમોટનો ઉપયોગ કરે છે, અને ધારી લે છે કે તે બંધ થઇ ગયું છે. હકીકતમાં, ACની સર્કિટ TV અને સેટ-ટોપ બોક્સની જેમ સ્ટેન્ડબાય મોડમાં પાવરનો વપરાશ કરવાનું ચાલુ રાખે છે. તેથી, ACની સ્વિચ બંધ કરવાનું ભૂલશો નહીં.

WiFi-Router
navbharattimes.indiatimes.com

આવી સમસ્યા વાઇ-ફાઇ રાઉટર સાથે પણ જોવા મળી છે, કે લોકો તેને એકવાર ચાલુ કરે છે અને તેને કાયમ માટે ભૂલી જાય છે. જો કે, એક આદત બનાવવી જોઈએ કે જ્યારે તમે લાંબા સમય સુધી વાઇફાઇનો ઉપયોગ કરવાના નથી, ત્યારે વાઇફાઇ રાઉટરની સ્વિચ બંધ કરો. રાત્રે સૂતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે તમારે આમ કરવાની આદત પાડવી જોઈએ.

RO-Water
navbharattimes.indiatimes.com

ઘણી વાર એવું જોવા મળે છે કે, ઘરોમાં RO સ્ટેન્ડબાય મોડમાં પણ વીજળીનો વપરાશ કરે છે. જો કે, એક વખત ROની ટાંકી ભરાઈ ગયા પછી અને ટાંકીમાં પાણીનું સ્તર ઓછું થાય ત્યાં સુધી તમે RO બંધ કરી શકો છો. આનાથી પણ તમને વેડફાઈ રહેલી વીજળી બચાવવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

શું તમારા ઘરમાં પણ વિવિધ ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે પણ વીજળી વાપરે છે? જો એમ હોય, તો...
Tech and Auto 
આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.