- National
- મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અ...
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...
દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું નિરીક્ષણ કરવા માટે રોડ પર ફરી રહ્યા હતા, ત્યારે તેમની સામે એક ઘટના બની, જેના કારણે નજીકમાં ઉભેલા BMC અધિકારીઓ ગભરાઈ ગયા હતા.
દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાઈ જવાથી પીડાઈ રહી છે. જ્યારે વિપક્ષ પાણી ભરાઈ જવા માટે BJP મેયર રીતુ તાવડે પર હુમલો કરી રહ્યા છે, ત્યારે મેયર પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. જોકે, બુધવારે કંઈક એવું બન્યું જેનાથી મેયર અને તેમના સ્ટાફ ગુસ્સે થયા. રીતુ તાવડે મુંબઈના દાદર ગાંધી માર્કેટનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે મીડિયા પણ હાજર હતું. તે જ ક્ષણે, એક વ્યક્તિ ખાડામાં પડી ગયો. આ જોઈને, મેયર BMC અધિકારીઓ પર ગુસ્સે થયા. તેમણે કડક સૂચનાઓ આપી કે, જો મુંબઈમાં ક્યાંય પણ કોઈ મેનહોલ ખુલ્લો જોવા મળશે, તો વોર્ડ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવશે.
વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવા અને વિપક્ષના હુમલાઓનો સામનો કરી રહેલા મેયરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હકીકતમાં તે વ્યક્તિ ખાડામાં પડ્યો તે પહેલા, મેયર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે બધું નિયંત્રણમાં છે. પરંતુ જેવા તેઓ પાછળ ફર્યા હતા, ત્યારે છત્રી લઈને ફરતો એક માણસ પાણી ભરેલા ખાડામાં પડી ગયો. જોકે તે વ્યક્તિને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ BMCની તૈયારીનો અભાવ સામે લાવી દીધો. આના પછી તરત જ, મેયરે હાજર અધિકારીઓને ઠપકો આપતા પૂછ્યું, 'શું આ તમારી વ્યવસ્થા છે?' તેમના ઠપકા પછી, બધા અધિકારીઓના ચહેરા લટકી ગયા હતા.
https://twitter.com/sirajnoorani/status/2069722299021058514
આ ઘટના પહેલા, મુંબઈમાં ઘણા વિપક્ષી નેતાઓએ મેયર પર નિશાન સાધ્યું. શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા આદિત્ય ઠાકરેએ મેયર રીતુ તાવડે પર નિશાન સાધતા કહ્યું, 'તેઓએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર એટલું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે, તેમને ખબર પણ નથી કે મુંબઈની શું હાલત થઇ રહી છે.' તેમણે કહ્યું, 'ઘરે બેસીને કામ કરનારાઓએ બહાર રોડ પર આવીને જોવું જોઈએ કે કામ કેવી રીતે થાય છે.'
અહીં તમને બતાવી દઈએ કે, ચોમાસાના આગમનથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાણી ભરાઈ ગયા છે. તાજેતરમાં BMC ચૂંટણી જીતનાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર માટે આ પહેલી ચોમાસાની ઋતુ છે. આ અગાઉ, BMC પર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથનું નિયંત્રણ હતું. તેથી, મુંબઈના લોકો સહિત, દરેક વ્યક્તિ ચોમાસાની ઋતુ દરમિયાન મેયર રીતુ તાવડેના નેતૃત્વ હેઠળ BMCના કામ પર નજર રાખી રહ્યા છે.

