સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના જ બળવાખોરો અને કોંગ્રેસે મોરચો માંડીને કુલ 32 ફોર્મ ભરતા આ જંગ હવે આંતરિક જૂથબંધીનો શિકાર બન્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની પકડ મજબૂત બનાવતા મોટી સફળતા મેળવી છે. ડેરીની કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય વર્તૂળોમાં આશ્ચર્ય અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત કલેક્ટરના આદેશથી ચૂંટણી અધિકારી એન.એન. સવાણી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર આગામી 15 જુલાઈએ 15 મતદાન કેન્દ્રો પર વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ભાજપ પ્રેરિત પેનલના 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બાકીની 11 બેઠકો માટે જ હવે મહાજંગ ખેલાશે.

sumul-dairy-elections3
divyabhaskar.co.in

બુધવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ પ્રેરિત પેનલના અગ્રણી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત 15 ઉમેદવારોએ અને તે પહેલાં મંગળવારે રાજૂ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી, જેથી સત્તાવાર પેનલના કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે. તેની સામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલ સહિતના ભાજપના જ બળવાખોર નેતાઓએ પક્ષના આદેશને અવગણીને 16 બેઠકો પર ફોર્મ ભરી રણશિંગું ફૂંક્યું છે. ખાસ કરીને વાલોડ બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર રાજુ આહિર સામે જ પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે મોરચો ખોલ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચૂંટણી જંગના સત્તાવાર મતદાન પૂર્વે જ ભાજપ પ્રેરિત પેનલે 5 બેઠકો પર સંપૂર્ણ બિનહરીફ જીત હાસલ કરી લીધી છે. તેમાં ચોર્યાસી બેઠક પર ધારાસભ્ય સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પર બળવંત પટેલ, માગરોળ બેઠક પર વર્તમાન વાઇસ ચેરમેન રાજુ પાઠક, બારડોલી બેઠક પર અજયભાઈ, પલસાણા બેઠક પર ભરતભાઈ ડાભી બિનહરિફ થયા છે.

આ ચૂંટણીમાં 1000 કરોડના કથિત ગેરવહીવટના આક્ષેપોનો સામનો કરનાર રાજૂ પાઠક જૂથનો દબદબો યથાવત રહ્યો છે, જ્યારે તેમની સામે અવાજ ઉઠાવનારા પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલનું પત્તું સાફ કરી દેવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રક્રિયા અને મતદાન માટેની મહત્ત્વપૂર્ણ તારીખો:

26 જૂન: ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.

6 જુલાઈ: ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ (ત્યારબાદ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે).

15 જુલાઈ: સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ઓલપાડ, વ્યારા, બારડોલી, સોનગઢ સહિતના 15 તાલુકા મથકો પર મતદાન થશે. (ચોર્યાસી અને ઓલપાડ બેઠક માટે સુમુલ ડેરી કેમ્પસના બેન્કવેટ હોલ ખાતે મતદાન મથક રખાશે).

sumul-dairy-elections
gujaratfirst.com

17 જુલાઈ: સુમુલ ડેરીના બેન્કવેટ હોલમાં જ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઓફિશિયલ મેન્ડેટ વિરૂદ્ધ બળવાખોરી કરનારા ઉમેદવારો જો પોતાના ફોર્મ પાછા નહીં ખેંચે તો તેમને કોઈ પણ સંજોગોમાં સમજાવવામાં આવશે નહીં અને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા સુધીની આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.