- National
- અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ...
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના મંદિરમાં ધાર્મિક વિધિ-વિધાનથૂ પૂજા-પાઠ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો. ધર્મમાં પાછા ફર્યા પછી પિતા અબ્દુલ્લાએ પોતાનું નામ દરોગા સિંહ અને પુત્ર ખાલિદે નીતિશ સિંહ નામ રાખ્યું. દરોગા સિંહે આરોપ લગાવ્યો કે શરૂઆતમાં તેને ખોટા કેસમાં ફસાવવામાં અને ત્યારબાદ તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેણે અન્ય લોકોને સતર્ક રહેવા વિનંતી કરી.
નોંધનીય છે કે ઘર વાપસી કરનારા દારોગા સિંહની પત્ની અને બે અન્ય બાળકો હજી પણ ઇસ્લામનું પાલન કરે છે. દરોગા સિંહના જણાવ્યા મુજબ, તેણે લગભગ આઠ વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેનો આરોપ છે કે સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ પહેલા તેમને ખોટા કેસમાં ફસાવ્યો હતો અને પછી મદદનું વચન આપીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે સમજાવ્યો. દારોગા સિંહ જણાવે છે કે ધર્માંતરણ પછી પણ તેને કોઈ મદદ મળી નથી.
દારોગા સિંહે કહ્યું કે બજરંગ દળના કાર્યકરોના સહયોગથી જ તેમનું ધર્મમાં પાછા ફરવાનું શક્ય બન્યું. મંદિરમાં હવન-પૂજન પ્રાર્થના બાદ પિતા-પુત્ર બંનેને જનોઇ પહેરાવવામાં આવી અને સનાતન ધર્મમાં વાપસી થઇ. આ દરમિયાન, બજરંગ દળના કાર્યકરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા.
ધર્મમાં પાછા ફર્યા પછી, દરોગા સિંહે અન્ય લોકોને અપીલ કરી કે તેઓ બીજાના પ્રભાવ અથવા સમજાવટના આધારે પોતાનો ધર્મ ન બદલો. પોલીસે જણાવ્યું છે કે બંનેએ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે અને કોઈ પ્રકારનું દબાણ નથી. તેમ છતા સાવચેતીના પગલા તરીકે, વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 'ઘર વાપસી'ના મુદ્દાએ વારંવાર વિવાદ ઉભો થતો રહ્યો છે. વહીવટીતંત્રનો દાવો છે કે કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ બળજબરીથી ધર્મ પરિવર્તન અથવા પ્રલોભન દ્વારા પ્રેરિત ધર્મ પરિવર્તન ગેરકાયદેસર છે.

