ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ભરૂચ શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તોએ હાજરી આપી. આ વિશેષ દરબાર માનવ જીવનના ચાર મુખ્ય ક્ષેત્રો — આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક પ્રશ્નોના માર્ગદર્શન માટે કેન્દ્રસ્થાન બન્યો.

કાર્યક્રમ દરમિયાન ઓમ ગુરુએ આર્થિક પ્રગતિ, વ્યવસાયિક વિકાસ અને જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે ભક્તોને સકારાત્મક વિચારસરણી, યોગ્ય દિશામાં પ્રયત્નો અને આધ્યાત્મિક શક્તિ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને દિવ્ય “કુબેર પેન્ડન્ટ” અને “કુબેર લક્ષ્મી મલમ” નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

WhatsApp Image 2026-04-25 at 4.57.02 PM

સામાજિક જીવનમાં સુખ-શાંતિ અને સુરક્ષા માટે દિવ્ય સ્ટોન, રક્ષા સૂત્ર અને બ્રેસલેટ પણ ભક્તોને આપવામાં આવ્યા. માનસિક તણાવ, નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ માટે ઓમ ગુરુએ માનસિક સંતુલન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું.

શારીરિક પીડા અને રોજિંદી તકલીફો માટે ઉપસ્થિત લોકોને દિવ્ય બામ આપવામાં આવ્યું. આયોજકોના જણાવ્યા મુજબ, મંત્ર થેરાપી દરબાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેનો હેતુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન તથા માનસિક સશક્તિકરણ પૂરૂં પાડવાનો છે.

About The Author

Related Posts

Top News

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

શુક્રવારે, સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એવો કેસ આવ્યો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બિહારની એક મહિલા અધિકારી...
National 
‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર...
પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ભરૂચ શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી...
ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.