પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબના ગ્રેજ્યુએટ્સ તૈયાર કરવાની તથા તેમને પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગારની તકો પ્રદાન કરવાની યુનિ.ની ક્ષમતા દર્શાવે છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનું સફળ પ્લેસમેન્ટ શૈક્ષણિક કાર્યક્રમો અને ઇન્ડસ્ટ્રી અપેક્ષાઓ વચ્ચે યોગ્ય તાલમેલ, વિદ્યાર્થીઓની ટેક્નિકલ કુશળતાઓ અને પ્રોબ્લેમ-સોલ્વિંગ ક્ષમતાઓ તથા કોર્પોરેટ માહોલને અનુરૂપ કૌશલ્ય વિકસિત કરવાની તેમની ક્ષમતાઓ દર્શાવે છે. આ કેમ્પસ રિક્રુટમેન્ટમાં એમસીએ અને એમએસસી આઇટી, બીટેક સીએસઇ અને એઆઇ, એઆઇ એન્ડ બિગ ડેટા એનાલિટિક્સ એન્ડ બ્લોક ચેઇન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બીટેક કમ્પ્યુટર એન્જિનિયરીંગ અને એમસીએ સાયબર સિક્યુરિટી, ફોરેન્સિક સહિતના ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને રૂ. 3.6 લાખથી રૂ. 9 લાખ સુધીના વાર્ષિક પેકેજીસ ઓફર થયાં છે.  બીટેક સીએસઇના વિદ્યાર્થી અભિષેક ગુપ્તા, કોય્યા સાઇ શ્રીવાસ્તવ અને શૈલેન્દ્ર સોનીએ સૌથી વધુ વાર્ષિક રૂ. 9 લાખના પેકેજ મેળવ્યાં છે.

યુનિ.ના વિદ્યાર્થીઓની પ્રતિભામાં વિશ્વાસ મૂકતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 108 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ સાથે પારૂલ યુનિ.ની વર્ષ 2026 બેચના 3500થી વધુ વિદ્યાર્થીઓનું અલગ-અલગ કંપનીઓમાં પ્લેસમેન્ટ થયું છે, જેમાં કેપજેમિનીએ 157 વિદ્યાર્થીઓને માસ પ્લેસમેન્ટ ઓફર કર્યાં છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ, કોગ્નિઝન્ટ, એલટીઆઇ માન્ડટ્રી, હેક્સાવેર સહિતની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને આકર્ષક સેલેરી પેકેજીસ ઓફર કર્યાં છે.

બીજી તરફ યુનિ.ના 23 વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીઓએ જોબ ઓફર કરી છે, જેમાંથી 4 વિદ્યાર્થીઓને લિંક્ડઇન દ્વારા પ્રોફેશનલ કોચિંગ અને મેન્ટરશીપ ઓફર કરાયું છે. આ કૌશલ્ય વર્ધન, કારકિર્દી માટે સજ્જતા અને પ્રોફેશનલ નેટવર્ક વિકસિત કરવામાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવાના યુનિ.ના પ્રયાસો સૂચવે છે.

ક્વોલિટી એજ્યુકેશન, એક્સેસ, ટ્રેનિંગ ઇકોસિસ્ટમ અને કોર્પોરેટ્સ સાથે જોડાણ સહિતની પહેલોના પરિણામરૂપે પારૂલ યુનિ.ના વિદ્યાર્થીઓ ઉભરતા ઉદ્યોગો અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓમાં પસંદગી પામ્યાં છે.

પારૂલ યુનિ.ના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ સિદ્ધિ માત્ર નંબર જ નહીં, પરંતુ તે 234 વિદ્યાર્થીઓના સપનાને સાકાર થતાં દર્શાવે છે. ટીસીએસમાં પસંદગી પામનાર પ્રત્યે વિદ્યાર્થી વર્ષોની સખત મહેનત અને માર્ગદર્શનનું પરિણામ છે. વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન તકો ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે તેમને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવામાં અમે ગર્વ કરીએ છીએ.

આ પ્લેસમેન્ટ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબ અભ્યાસક્રમ તૈયાર કરવા અને વિદ્યાર્થીઓને સજ્જ કરવાના યુનિ.ના પ્રયાસોનો મજબૂત પુરાવો છે.

About The Author

Related Posts

Top News

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

શુક્રવારે, સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એવો કેસ આવ્યો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બિહારની એક મહિલા અધિકારી...
National 
‘લાંચના પૈસા ઉંદરો ખાઈ જતા...’ સુપ્રીમ કોર્ટે દોષિત મહિલા અધિકારીને જામીન આપી દીધા અને સજા પર રોક લગાવી દીધી

પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર...
પારૂલ યુનિ.ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ભરૂચ શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી...
ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.